મોત ક્યા, ક્યારે અને કેવી રીતે આવશે તે કોઇ જાણી શકતું નથી, રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે યુવકના મોત


  • Published By :
  • Published Date : 2023-01-30 13:13:17

શિયાળાને કારણે અનેક લોકોના મોત હાર્ટએકેટને કારણે થઈ રહ્યા છે. નાની ઉંમરે પણ લોકો હાર્ટએકેટનો શિકાર બનતા હોય છે. અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ બે યુવાનોના મોત હાર્ટએકેટને કારણે થયા છે. બે ઘટના બની છે જેમાં એક ઘટનામાં રેસકોર્સ ખાતે રમતા યુવાન અને બીજી ઘટના ફૂટબોલ રમતા મારવાડી કોલેજના વિદ્યાર્થીનું મોત હાર્ટએકેટ થવાને કારણે થયા છે.  બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે લોકોના મોત 

થોડા સમય પહેલા એક રિચર્સ સામે આવ્યો હતો જેમાં એવું તારણ આવ્યું હતું કે શિયાળાના સમય દરમિયાન હાર્ટએકેટની સંખ્યામાં વધારો થયો છે. હાર્ટએકેટને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હાર્ટએકેટે વધુ બે યુવાનોનો જીવ લીધો છે. મોત ક્યાં, ક્યારે અને કેવી રીતે આવશે તે વિશે જાણકારી નથી હોતી. આવી જ બે ઘટનાઓ રાજકોટમાં બની છે. 


મેચ રમતી વખતે વાગ્યો હતો બોલ 

રેસકોર્સ ખાતે મેચ રમાઈ રહી હતી તે દરમિયાન યુવકને ટેનિસ બોલ વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ પણ તેણે રમવાનું ચાલું રાખ્યું હતું. ઈજા બાદ 22 રન કરીને તે યુવક આઉટ થઈ ગયો હતો. આઉટ થયા બાદ કારમાં બેસી યુવક મેચ જોઈ રહ્યો હતો. તે વખતે જ તેનું હાર્ટ ફેલ થઈ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 


ફૂટબોલ રમતા દરમિયાન યુવક થયો બેભાન 

બીજી ઘટનામાં રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા યુવકનું મોત થઈ ગયું છે. કેમ્પસમાં ફૂટબોલ રમતી વખતે આ ઘટના સર્જાઈ હતી. ફૂટબોલ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયો હતો. બેભાન હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓ રમતી વખતે બની હતી.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.