મોત ક્યા, ક્યારે અને કેવી રીતે આવશે તે કોઇ જાણી શકતું નથી, રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે યુવકના મોત


  • Published By :
  • Published Date : 2023-01-30 13:13:17

શિયાળાને કારણે અનેક લોકોના મોત હાર્ટએકેટને કારણે થઈ રહ્યા છે. નાની ઉંમરે પણ લોકો હાર્ટએકેટનો શિકાર બનતા હોય છે. અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ બે યુવાનોના મોત હાર્ટએકેટને કારણે થયા છે. બે ઘટના બની છે જેમાં એક ઘટનામાં રેસકોર્સ ખાતે રમતા યુવાન અને બીજી ઘટના ફૂટબોલ રમતા મારવાડી કોલેજના વિદ્યાર્થીનું મોત હાર્ટએકેટ થવાને કારણે થયા છે.  બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે લોકોના મોત 

થોડા સમય પહેલા એક રિચર્સ સામે આવ્યો હતો જેમાં એવું તારણ આવ્યું હતું કે શિયાળાના સમય દરમિયાન હાર્ટએકેટની સંખ્યામાં વધારો થયો છે. હાર્ટએકેટને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હાર્ટએકેટે વધુ બે યુવાનોનો જીવ લીધો છે. મોત ક્યાં, ક્યારે અને કેવી રીતે આવશે તે વિશે જાણકારી નથી હોતી. આવી જ બે ઘટનાઓ રાજકોટમાં બની છે. 


મેચ રમતી વખતે વાગ્યો હતો બોલ 

રેસકોર્સ ખાતે મેચ રમાઈ રહી હતી તે દરમિયાન યુવકને ટેનિસ બોલ વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ પણ તેણે રમવાનું ચાલું રાખ્યું હતું. ઈજા બાદ 22 રન કરીને તે યુવક આઉટ થઈ ગયો હતો. આઉટ થયા બાદ કારમાં બેસી યુવક મેચ જોઈ રહ્યો હતો. તે વખતે જ તેનું હાર્ટ ફેલ થઈ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 


ફૂટબોલ રમતા દરમિયાન યુવક થયો બેભાન 

બીજી ઘટનામાં રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા યુવકનું મોત થઈ ગયું છે. કેમ્પસમાં ફૂટબોલ રમતી વખતે આ ઘટના સર્જાઈ હતી. ફૂટબોલ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયો હતો. બેભાન હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓ રમતી વખતે બની હતી.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.