મોત ક્યા, ક્યારે અને કેવી રીતે આવશે તે કોઇ જાણી શકતું નથી, રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે યુવકના મોત


  • Published By :
  • Published Date : 2023-01-30 13:13:17

શિયાળાને કારણે અનેક લોકોના મોત હાર્ટએકેટને કારણે થઈ રહ્યા છે. નાની ઉંમરે પણ લોકો હાર્ટએકેટનો શિકાર બનતા હોય છે. અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ બે યુવાનોના મોત હાર્ટએકેટને કારણે થયા છે. બે ઘટના બની છે જેમાં એક ઘટનામાં રેસકોર્સ ખાતે રમતા યુવાન અને બીજી ઘટના ફૂટબોલ રમતા મારવાડી કોલેજના વિદ્યાર્થીનું મોત હાર્ટએકેટ થવાને કારણે થયા છે.  બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે લોકોના મોત 

થોડા સમય પહેલા એક રિચર્સ સામે આવ્યો હતો જેમાં એવું તારણ આવ્યું હતું કે શિયાળાના સમય દરમિયાન હાર્ટએકેટની સંખ્યામાં વધારો થયો છે. હાર્ટએકેટને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હાર્ટએકેટે વધુ બે યુવાનોનો જીવ લીધો છે. મોત ક્યાં, ક્યારે અને કેવી રીતે આવશે તે વિશે જાણકારી નથી હોતી. આવી જ બે ઘટનાઓ રાજકોટમાં બની છે. 


મેચ રમતી વખતે વાગ્યો હતો બોલ 

રેસકોર્સ ખાતે મેચ રમાઈ રહી હતી તે દરમિયાન યુવકને ટેનિસ બોલ વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ પણ તેણે રમવાનું ચાલું રાખ્યું હતું. ઈજા બાદ 22 રન કરીને તે યુવક આઉટ થઈ ગયો હતો. આઉટ થયા બાદ કારમાં બેસી યુવક મેચ જોઈ રહ્યો હતો. તે વખતે જ તેનું હાર્ટ ફેલ થઈ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 


ફૂટબોલ રમતા દરમિયાન યુવક થયો બેભાન 

બીજી ઘટનામાં રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા યુવકનું મોત થઈ ગયું છે. કેમ્પસમાં ફૂટબોલ રમતી વખતે આ ઘટના સર્જાઈ હતી. ફૂટબોલ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયો હતો. બેભાન હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓ રમતી વખતે બની હતી.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.