70 કરોડના ખર્ચે 3 વર્ષમાં ઉભી કરાયેલી 40 માળની ઈમારત માત્ર 9 સેકન્ડમાં થશે ધરાશાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 15:58:24

ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલા નોઈડા સ્થિત સુપરટેક બિલ્ડરના ટ્વિન ટાવર(એપેક્સ અને સિયાન)ને રવિવારે બપોરે અઢી વાગ્યે જમીનદોસ્ત કરી દેવામાં આવશે. ત્રણ વર્ષના સમયગાળામાં 70 કરોડના ખર્ચે તૈયાર થયેલી 40 માળની આ બે ઈમારત માત્ર 9 જ સેકન્ડમાં ધરાશાઈ થઈ જશે. ટ્વીન ટાવરને તોડી પાડવા માટે 3700 કિલોગ્રામ જેટલા વિષ્ફોટકોનો ઉપયોગ કરાશે. 


આવી રીતે તોડી પડાશે ઈમારત


ટ્વીન ટાવર સોક ટ્યૂબ સિસ્ટમ હેઠળ ધ્વસ્ત કરવામાં આવશે. આ ટેકનોલોજીમાં કાટમાળ પાણીના ઝરણાની જેમ સીધે નીચે પડે છે. ટાવરને પાડવા માટે અલગ-અલગ સેકન્ડમાં વિષ્ફોટ કરવામાં આવશે. ટાવર તોડી પાડવાની શરૂઆત બેસમેન્ટથી થશે. એક પછી એક કરીને સ્લેબ નીચે પડશે. બંને ટાવરનો પહેલો ફ્લોર એક સેકન્ડ અને અંતિમ ફ્લોર સાત સેકન્ડમાં ધ્વ્સ્ત થઈ જશે.એડિફિસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે ટાવર પડવા દરમિયાન મહત્તમ વાઇબ્રેશન લેવલ 34 અને લઘુત્તમ 2 મિમી પ્રતિ સેકન્ડ રહેવાની અનુમાન છે. આવી સ્થિતિમાં, 10 મીટરની ત્રિજ્યામાં આવેલા ફ્લેટમાં માત્ર નજીવી તિરાડ આવી શકે છે. બાકીના પર કોઈ અસર થશે નહીં. આ સમયગાળા દરમિયાન અવાજનું સ્તર 150 ડેસિબલ રહેવાની સંભાવના છે. નોઈડા સિસ્મિક ઝોન-4માં આવે છે. અહીં બનેલી તમામ ઈમારતો 7 અને 8 રિક્ટર સ્કેલના ભૂકંપનો સામનો કરી શકે છે. આ ઇમારતો 300 મીમી પ્રતિ સેકન્ડના કંપનનો સામનો કરી શકે તે પ્રમાણે બનાવવામાં આવી છે. વાઇબ્રેશન ઓછું કરવા માટે બંને ટાવરના બેઝમેન્ટમાં કોંક્રીટ વેવ બનાવવામાં આવ્યા છે.



કઈ રીતે ઉભી થઈ ઈમારત?


નોઈડા ઓથોરિટીએ 20 જૂન 2005ના રોજ સુપરટેક બિલ્ડરને એમરાલ્ડ કોર્ટના બાંધકામની મંજૂરી આપી હતી. આ સંકુલમાં 14 ટાવર બનાવવાના હતા. ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને નવ માળ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે, બિલ્ડરે વર્ષ 2006માં તેમાં ફેરફાર કરીને ગ્રાઉન્ડ ફ્લોર અને 11 માળની સાથે બે વધારાના ટાવરનો સમાવેશ કર્યો હતો. આ પછી વર્ષ 2009માં નકશામાં ફેરફાર કરીને ટાવરની ઊંચાઈ વધારવામાં આવી હતી. આ વખતે ટાવરમાં 24 માળ બનાવવાનું નક્કી કરાયું હતું. વર્ષ 2012માં નકશામાં ફરીથી સુધારો કરીને ઊંચાઈ વધારીને 40 માળ કરવામાં આવી હતી. એમરોલ્ડ કોર્ટ સોસાયટીમાં રહેતા લોકોએ સુપરટેક બિલ્ડર અને નોઈડા ઓથોરિટી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સોસાયટીના લોકોએ વર્ષ 2012માં અલ્લાહબાદ હાઈકોર્ટનાં દરવાજા ખખડાવ્યા હતા. 11 એપ્રીલ 2014માં વિવાદાસ્પદ ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવાનો હુકમ આપ્યો હતો.સુપરટેક બિલ્ડરે આ હુકમને સુપ્રીમમાં પડકાર્યો હતો. જોકે સુપ્રીમે પણ 31 ઓગસ્ટ 2021ના દિવસે ટાવરને ધરાસાઈ કરવાનો હુકમ આપ્યો હતો. 


28 ઓગસ્ટના દિવસે વિષ્ફોટકોથી ધ્વસ્ત થનારા ટ્વીન ટાવર દેશની સૌથી ઉંચી ઈમારત હશે. આ પહેલા દેશમાં આટલું મોટું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું નથી.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.