70 કરોડના ખર્ચે 3 વર્ષમાં ઉભી કરાયેલી 40 માળની ઈમારત માત્ર 9 સેકન્ડમાં થશે ધરાશાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 15:58:24

ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલા નોઈડા સ્થિત સુપરટેક બિલ્ડરના ટ્વિન ટાવર(એપેક્સ અને સિયાન)ને રવિવારે બપોરે અઢી વાગ્યે જમીનદોસ્ત કરી દેવામાં આવશે. ત્રણ વર્ષના સમયગાળામાં 70 કરોડના ખર્ચે તૈયાર થયેલી 40 માળની આ બે ઈમારત માત્ર 9 જ સેકન્ડમાં ધરાશાઈ થઈ જશે. ટ્વીન ટાવરને તોડી પાડવા માટે 3700 કિલોગ્રામ જેટલા વિષ્ફોટકોનો ઉપયોગ કરાશે. 


આવી રીતે તોડી પડાશે ઈમારત


ટ્વીન ટાવર સોક ટ્યૂબ સિસ્ટમ હેઠળ ધ્વસ્ત કરવામાં આવશે. આ ટેકનોલોજીમાં કાટમાળ પાણીના ઝરણાની જેમ સીધે નીચે પડે છે. ટાવરને પાડવા માટે અલગ-અલગ સેકન્ડમાં વિષ્ફોટ કરવામાં આવશે. ટાવર તોડી પાડવાની શરૂઆત બેસમેન્ટથી થશે. એક પછી એક કરીને સ્લેબ નીચે પડશે. બંને ટાવરનો પહેલો ફ્લોર એક સેકન્ડ અને અંતિમ ફ્લોર સાત સેકન્ડમાં ધ્વ્સ્ત થઈ જશે.એડિફિસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે ટાવર પડવા દરમિયાન મહત્તમ વાઇબ્રેશન લેવલ 34 અને લઘુત્તમ 2 મિમી પ્રતિ સેકન્ડ રહેવાની અનુમાન છે. આવી સ્થિતિમાં, 10 મીટરની ત્રિજ્યામાં આવેલા ફ્લેટમાં માત્ર નજીવી તિરાડ આવી શકે છે. બાકીના પર કોઈ અસર થશે નહીં. આ સમયગાળા દરમિયાન અવાજનું સ્તર 150 ડેસિબલ રહેવાની સંભાવના છે. નોઈડા સિસ્મિક ઝોન-4માં આવે છે. અહીં બનેલી તમામ ઈમારતો 7 અને 8 રિક્ટર સ્કેલના ભૂકંપનો સામનો કરી શકે છે. આ ઇમારતો 300 મીમી પ્રતિ સેકન્ડના કંપનનો સામનો કરી શકે તે પ્રમાણે બનાવવામાં આવી છે. વાઇબ્રેશન ઓછું કરવા માટે બંને ટાવરના બેઝમેન્ટમાં કોંક્રીટ વેવ બનાવવામાં આવ્યા છે.



કઈ રીતે ઉભી થઈ ઈમારત?


નોઈડા ઓથોરિટીએ 20 જૂન 2005ના રોજ સુપરટેક બિલ્ડરને એમરાલ્ડ કોર્ટના બાંધકામની મંજૂરી આપી હતી. આ સંકુલમાં 14 ટાવર બનાવવાના હતા. ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને નવ માળ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે, બિલ્ડરે વર્ષ 2006માં તેમાં ફેરફાર કરીને ગ્રાઉન્ડ ફ્લોર અને 11 માળની સાથે બે વધારાના ટાવરનો સમાવેશ કર્યો હતો. આ પછી વર્ષ 2009માં નકશામાં ફેરફાર કરીને ટાવરની ઊંચાઈ વધારવામાં આવી હતી. આ વખતે ટાવરમાં 24 માળ બનાવવાનું નક્કી કરાયું હતું. વર્ષ 2012માં નકશામાં ફરીથી સુધારો કરીને ઊંચાઈ વધારીને 40 માળ કરવામાં આવી હતી. એમરોલ્ડ કોર્ટ સોસાયટીમાં રહેતા લોકોએ સુપરટેક બિલ્ડર અને નોઈડા ઓથોરિટી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સોસાયટીના લોકોએ વર્ષ 2012માં અલ્લાહબાદ હાઈકોર્ટનાં દરવાજા ખખડાવ્યા હતા. 11 એપ્રીલ 2014માં વિવાદાસ્પદ ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવાનો હુકમ આપ્યો હતો.સુપરટેક બિલ્ડરે આ હુકમને સુપ્રીમમાં પડકાર્યો હતો. જોકે સુપ્રીમે પણ 31 ઓગસ્ટ 2021ના દિવસે ટાવરને ધરાસાઈ કરવાનો હુકમ આપ્યો હતો. 


28 ઓગસ્ટના દિવસે વિષ્ફોટકોથી ધ્વસ્ત થનારા ટ્વીન ટાવર દેશની સૌથી ઉંચી ઈમારત હશે. આ પહેલા દેશમાં આટલું મોટું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું નથી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી