ડોનાલ્ડ ટ્રમ્પ હવે બોઇંગને તારવા આવ્યા મેદાને!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-29 20:57:28

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે. 

Is Donald Trump's private jet really 'crappy' and 'dilapidated'? The former  president's plane, dubbed Trump Force One, was bought from Microsoft's Paul  Allen after serving a defunct Mexican airline | South China

હાલમાં અમેરિકન વિમાન બનાવતી કંપની બોઇંગ સતત વિવાદોમાં રહે છે. તેના વિમાનોમાં સતત ટેક્નિકલ ખામીઓ સામે આવતી હોય છે. એટલુંજ નહિ તેના વિમાનોમાં ભયંકર અકસ્માતો પણ સર્જાયા છે . જેમ કે , ૧૨જી જૂનના રોજ , એરઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફલાઇટ મેઘાણીનગરમાં અતુલ્યમ હોસ્ટેલ પર પડતા ખુબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુને ભેટ્યા હતા . તો હવે , વાત કરીએ , બોઇંગની તે પાછલા કેટલાય વર્ષોથી તે આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . પરંતુ હવે પ્રખ્યાત અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે , ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી તેની સ્થિતિમાં સુધારો આવ્યો છે . બોઇંગને સતત નવા ઓર્ડર મળી રહ્યા છે . જેમ કે , આ મહિને ઇન્ડોનેશિયા અને જાપાન તરફથી બોઇંગને જેટ બનાવવાના  ઓર્ડર મળ્યા છે. આ વર્ષે બહેરીન , યુએઈ, સાઉદી અરેબિયા દ્વારા પણ સેંકડો વિમાનોનો સોદો કરાયો છે .મેં મહિનામાં કતાર એરવેઝે ૧૫૦ મોટા બોઇંગ વિમાનોનો ઓર્ડર બોઇંગને આપ્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે બોઇંગને ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધથી ખુબ મોટો ફાયદો મળ્યો છે. સાથે જ  ટ્રમ્પ તંત્ર બોઇંગ વિમાન ખરીદવા માટે વિવિધ દેશો પાર દબાણ ઉભું કરી રહ્યું છે. સાથે જ ટ્રમ્પ અને તેમના સહાયકો બોઇંગના નવા ઓર્ડરને તેમના વેપાર સોદાનો ભાગ ગણાવે છે.  

737 MAX

આપને જણાવી દયિકે , દુનિયાભરની એરલાઇન્સ પાસે વિમાન ખરીદવા માટે માત્ર બે જ વિકલ્પ હોય છે . ૧) બોઇંગ ૨) એરબસ. એરબસ કંપની એ યુરોપીઅન વિમાન બનાવતી કંપની છે .  વાત કરીએ , બોઇંગની તો , આ કંપની હજારો અમેરિકનોને રોજગારી આપે છે. તે અમેરિકાની સૌથી મોટી નિકાસકાર છે. બોઇંગને મળતા નવા ઓર્ડરની અસર હવે યુએસના શેરબજાર પર પણ પડી છે. એપ્રિલથી બોઇંગના શેરના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આજ સમયગાળામાં ડોનાલ્ડ ટ્રમ્પએ અનેક દેશો પર ટેરિફ લગાવીને "ટેરિફ વિસ્ફોટ " કર્યો હતો. હવે વેપાર સોદાઓની જાહેરાતથી , બોઇંગને વધારે ઓર્ડર મળી શકે છે. જે દેશોએ ઓર્ડર આપ્યા નથી તેમના પર હવે ટ્રમ્પ તંત્રએ વિમાન ખરીદવાનું દબાણ ઉભું કર્યું છે. પરંતુ બોઇંગએ આ સમાચાર પર સત્તાવાર ટિપ્પણી નથી કરી પણ બોઇંગના ચીફ કેલી ઓર્ટબર્ગ મેં મહિનામાં ટ્રમ્પ સાથે પશ્ચિમ એશિયાના પ્રવાસે ગયા હતા . આ સમય દરમયાન કતારને વિમાનો આપવા માટે સેહમતી સધાઈ હતી. અમેરિકાની પ્રખ્યાત કંપની બોઇંગ જે પેસેન્જર વિમાનોની સાથે , રોટરક્રાફ્ટ , રોકેટ્સ , સેટેલાઇટ અને મિસાઈલ્સ બનાવે છે. તેની સ્થાપના ૧૯૧૬માં વિલિયમ ઈ બોઇંગ દ્વારા કરવામાં આવી હતી . બોઇંગ કંપની પર આરોપો લાગતા રહે છે કે , પોતાના એરકફ્રાફ્ટનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરે છે.  આ માટેનો ઘટસ્ફોટ વહીસલબ્લોવર જ્હોન બાર્નેટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ ૭૮૭ ડ્રિમલાઈનર સિરીઝના ક્વોલિટી કન્ટ્રોલ ઇન્સ્પેકટર હતા . ૨૦૧૬માં તેમણે બોઇંગ પર આરોપ લગાવ્યા કે , બોઇંગ કંપની પોતાના જહાજોનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ પાર્ટ્સનો ઉપયોગ કરે છે. જ્હોનના આરોપોને FAA એટલેકે , અમેરિકન એવિએશન ફેડરેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા સાચા ઠેરવવામાં આવ્યા હતા. જોકે માર્ચ , ૨૦૨૪માં જ્હોન બારનેટનું મૃત્યુ થયું છે. 




"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.