ડોનાલ્ડ ટ્રમ્પ હવે બોઇંગને તારવા આવ્યા મેદાને!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-29 20:57:28

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે. 

Is Donald Trump's private jet really 'crappy' and 'dilapidated'? The former  president's plane, dubbed Trump Force One, was bought from Microsoft's Paul  Allen after serving a defunct Mexican airline | South China

હાલમાં અમેરિકન વિમાન બનાવતી કંપની બોઇંગ સતત વિવાદોમાં રહે છે. તેના વિમાનોમાં સતત ટેક્નિકલ ખામીઓ સામે આવતી હોય છે. એટલુંજ નહિ તેના વિમાનોમાં ભયંકર અકસ્માતો પણ સર્જાયા છે . જેમ કે , ૧૨જી જૂનના રોજ , એરઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફલાઇટ મેઘાણીનગરમાં અતુલ્યમ હોસ્ટેલ પર પડતા ખુબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુને ભેટ્યા હતા . તો હવે , વાત કરીએ , બોઇંગની તે પાછલા કેટલાય વર્ષોથી તે આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . પરંતુ હવે પ્રખ્યાત અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે , ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી તેની સ્થિતિમાં સુધારો આવ્યો છે . બોઇંગને સતત નવા ઓર્ડર મળી રહ્યા છે . જેમ કે , આ મહિને ઇન્ડોનેશિયા અને જાપાન તરફથી બોઇંગને જેટ બનાવવાના  ઓર્ડર મળ્યા છે. આ વર્ષે બહેરીન , યુએઈ, સાઉદી અરેબિયા દ્વારા પણ સેંકડો વિમાનોનો સોદો કરાયો છે .મેં મહિનામાં કતાર એરવેઝે ૧૫૦ મોટા બોઇંગ વિમાનોનો ઓર્ડર બોઇંગને આપ્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે બોઇંગને ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધથી ખુબ મોટો ફાયદો મળ્યો છે. સાથે જ  ટ્રમ્પ તંત્ર બોઇંગ વિમાન ખરીદવા માટે વિવિધ દેશો પાર દબાણ ઉભું કરી રહ્યું છે. સાથે જ ટ્રમ્પ અને તેમના સહાયકો બોઇંગના નવા ઓર્ડરને તેમના વેપાર સોદાનો ભાગ ગણાવે છે.  

737 MAX

આપને જણાવી દયિકે , દુનિયાભરની એરલાઇન્સ પાસે વિમાન ખરીદવા માટે માત્ર બે જ વિકલ્પ હોય છે . ૧) બોઇંગ ૨) એરબસ. એરબસ કંપની એ યુરોપીઅન વિમાન બનાવતી કંપની છે .  વાત કરીએ , બોઇંગની તો , આ કંપની હજારો અમેરિકનોને રોજગારી આપે છે. તે અમેરિકાની સૌથી મોટી નિકાસકાર છે. બોઇંગને મળતા નવા ઓર્ડરની અસર હવે યુએસના શેરબજાર પર પણ પડી છે. એપ્રિલથી બોઇંગના શેરના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આજ સમયગાળામાં ડોનાલ્ડ ટ્રમ્પએ અનેક દેશો પર ટેરિફ લગાવીને "ટેરિફ વિસ્ફોટ " કર્યો હતો. હવે વેપાર સોદાઓની જાહેરાતથી , બોઇંગને વધારે ઓર્ડર મળી શકે છે. જે દેશોએ ઓર્ડર આપ્યા નથી તેમના પર હવે ટ્રમ્પ તંત્રએ વિમાન ખરીદવાનું દબાણ ઉભું કર્યું છે. પરંતુ બોઇંગએ આ સમાચાર પર સત્તાવાર ટિપ્પણી નથી કરી પણ બોઇંગના ચીફ કેલી ઓર્ટબર્ગ મેં મહિનામાં ટ્રમ્પ સાથે પશ્ચિમ એશિયાના પ્રવાસે ગયા હતા . આ સમય દરમયાન કતારને વિમાનો આપવા માટે સેહમતી સધાઈ હતી. અમેરિકાની પ્રખ્યાત કંપની બોઇંગ જે પેસેન્જર વિમાનોની સાથે , રોટરક્રાફ્ટ , રોકેટ્સ , સેટેલાઇટ અને મિસાઈલ્સ બનાવે છે. તેની સ્થાપના ૧૯૧૬માં વિલિયમ ઈ બોઇંગ દ્વારા કરવામાં આવી હતી . બોઇંગ કંપની પર આરોપો લાગતા રહે છે કે , પોતાના એરકફ્રાફ્ટનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરે છે.  આ માટેનો ઘટસ્ફોટ વહીસલબ્લોવર જ્હોન બાર્નેટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ ૭૮૭ ડ્રિમલાઈનર સિરીઝના ક્વોલિટી કન્ટ્રોલ ઇન્સ્પેકટર હતા . ૨૦૧૬માં તેમણે બોઇંગ પર આરોપ લગાવ્યા કે , બોઇંગ કંપની પોતાના જહાજોનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ પાર્ટ્સનો ઉપયોગ કરે છે. જ્હોનના આરોપોને FAA એટલેકે , અમેરિકન એવિએશન ફેડરેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા સાચા ઠેરવવામાં આવ્યા હતા. જોકે માર્ચ , ૨૦૨૪માં જ્હોન બારનેટનું મૃત્યુ થયું છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.