હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! Rajkotની નામચિન હોટલને મળ્યા ધમકી ભર્યા મેલ, તપાસનો ધમધમાટ શરૂ થયો


  • Published By :
  • Published Date : 2024-10-26 16:19:08

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. થોડા સમય પહેલા વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી. ધમકી ભર્યો મેલ મળતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્તો અને ઉચિત કાર્યવાહી કરવામાં આવતી.. ત્યારે હવે હોટલને ધમકી ભર્યા મેલ કરવામાં આવી રહ્યા છે.. રાજકોટની 10 હોટલને ધમકી ભર્યા મેલ મળ્યા છે.. આ 10 હોટલમાંથી અનેક એવી હોટલો છે જ્યાં સ્ટાર્સ રહેવા આવે છે.. ફાઈવ સ્ટાર હોટલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..  


10 હોટલને મળ્યા ધમકીભર્યા ઈમેલ

જે હોટલને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે તેની વાત કરીએ તો રાજકોટની જાણીતી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજંસી સહિતની હોટલનો સમાવેશ થાય છે.. દિવાળી ટાણે હોટલને આ પ્રકારનો મેલ આવતા પોલીસ દોડતી થઈ છે. ડોગ સ્કોડને બોલાવામાં આવી છે... ઈમેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરાઈ રહી છે.... મેલમાં લખ્યું છે - 

મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં નીકળી જશે. આજે અનેક નિર્દોષોના જીવ જશે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો. હમણાં જ ખાલી કરો. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે..

શહેર પોલીસે ચેકિંગની કામગીરી શરૂ કરી.


ભાભા હોટલમાં ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ.


કોઈ વખત ફ્લાઈટને તો કોઈ વખત મોલને ઉડાવી દેવાની મળે છે ચીમકી

મહત્વનું છે કે ઘણા કેટલાય સમયથી આવા ધમકી ભર્યા મેલ મોલ વાળાને, સ્કૂલમાં, ફ્લાઈટ વાળાને મોકલાઈ રહ્યા છે.... અમદાવાદની સ્કૂલોને, સુરતના મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.. અનેક ફ્લાઈટને ધમકી વાળા મેલ મળ્યા છે  જેને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું છે.. અનેક ફ્લાઈટને ધમકીને કારણે અસર થઈ છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.