હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! Rajkotની નામચિન હોટલને મળ્યા ધમકી ભર્યા મેલ, તપાસનો ધમધમાટ શરૂ થયો


  • Published By :
  • Published Date : 2024-10-26 16:19:08

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. થોડા સમય પહેલા વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી. ધમકી ભર્યો મેલ મળતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્તો અને ઉચિત કાર્યવાહી કરવામાં આવતી.. ત્યારે હવે હોટલને ધમકી ભર્યા મેલ કરવામાં આવી રહ્યા છે.. રાજકોટની 10 હોટલને ધમકી ભર્યા મેલ મળ્યા છે.. આ 10 હોટલમાંથી અનેક એવી હોટલો છે જ્યાં સ્ટાર્સ રહેવા આવે છે.. ફાઈવ સ્ટાર હોટલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..  


10 હોટલને મળ્યા ધમકીભર્યા ઈમેલ

જે હોટલને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે તેની વાત કરીએ તો રાજકોટની જાણીતી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજંસી સહિતની હોટલનો સમાવેશ થાય છે.. દિવાળી ટાણે હોટલને આ પ્રકારનો મેલ આવતા પોલીસ દોડતી થઈ છે. ડોગ સ્કોડને બોલાવામાં આવી છે... ઈમેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરાઈ રહી છે.... મેલમાં લખ્યું છે - 

મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં નીકળી જશે. આજે અનેક નિર્દોષોના જીવ જશે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો. હમણાં જ ખાલી કરો. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે..

શહેર પોલીસે ચેકિંગની કામગીરી શરૂ કરી.


ભાભા હોટલમાં ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ.


કોઈ વખત ફ્લાઈટને તો કોઈ વખત મોલને ઉડાવી દેવાની મળે છે ચીમકી

મહત્વનું છે કે ઘણા કેટલાય સમયથી આવા ધમકી ભર્યા મેલ મોલ વાળાને, સ્કૂલમાં, ફ્લાઈટ વાળાને મોકલાઈ રહ્યા છે.... અમદાવાદની સ્કૂલોને, સુરતના મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.. અનેક ફ્લાઈટને ધમકી વાળા મેલ મળ્યા છે  જેને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું છે.. અનેક ફ્લાઈટને ધમકીને કારણે અસર થઈ છે.. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.