હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! Rajkotની નામચિન હોટલને મળ્યા ધમકી ભર્યા મેલ, તપાસનો ધમધમાટ શરૂ થયો


  • Published By :
  • Published Date : 2024-10-26 16:19:08

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. થોડા સમય પહેલા વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી. ધમકી ભર્યો મેલ મળતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્તો અને ઉચિત કાર્યવાહી કરવામાં આવતી.. ત્યારે હવે હોટલને ધમકી ભર્યા મેલ કરવામાં આવી રહ્યા છે.. રાજકોટની 10 હોટલને ધમકી ભર્યા મેલ મળ્યા છે.. આ 10 હોટલમાંથી અનેક એવી હોટલો છે જ્યાં સ્ટાર્સ રહેવા આવે છે.. ફાઈવ સ્ટાર હોટલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..  


10 હોટલને મળ્યા ધમકીભર્યા ઈમેલ

જે હોટલને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે તેની વાત કરીએ તો રાજકોટની જાણીતી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજંસી સહિતની હોટલનો સમાવેશ થાય છે.. દિવાળી ટાણે હોટલને આ પ્રકારનો મેલ આવતા પોલીસ દોડતી થઈ છે. ડોગ સ્કોડને બોલાવામાં આવી છે... ઈમેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરાઈ રહી છે.... મેલમાં લખ્યું છે - 

મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં નીકળી જશે. આજે અનેક નિર્દોષોના જીવ જશે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો. હમણાં જ ખાલી કરો. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે..

શહેર પોલીસે ચેકિંગની કામગીરી શરૂ કરી.


ભાભા હોટલમાં ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ.


કોઈ વખત ફ્લાઈટને તો કોઈ વખત મોલને ઉડાવી દેવાની મળે છે ચીમકી

મહત્વનું છે કે ઘણા કેટલાય સમયથી આવા ધમકી ભર્યા મેલ મોલ વાળાને, સ્કૂલમાં, ફ્લાઈટ વાળાને મોકલાઈ રહ્યા છે.... અમદાવાદની સ્કૂલોને, સુરતના મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.. અનેક ફ્લાઈટને ધમકી વાળા મેલ મળ્યા છે  જેને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું છે.. અનેક ફ્લાઈટને ધમકીને કારણે અસર થઈ છે.. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી