રાજ્યમાં વધતી અકસ્માતોની સંખ્યા, વડોદરા-પાદરા રોડ પર સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા પાંચ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-24 11:25:48

ગુજરાતમાં અકસ્માતને કારણે અનેક લોકોના મોત થાય છે. ગંભીર રીતે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા-પાદરા રોડ પર સર્જાયો છે જેમાં 5 લોકોના મોત થયા છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા છે. મૃતકોમાં 3 બાળકો અને પતિપત્નીનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે 3 લોકોના મોત થયાં હતા જ્યારે 2 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. 

રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં.

રિક્ષાનો બુકડો બોલી ગયો.

કાર અને રિક્ષા વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોણ ક્યારે કાળનો કોળિયો બની જાય છે તેની જાણ થતી નથી. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વડોદરા પાદરા રોડ પર સર્જાઈ છે. રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં રિક્ષામાં સવાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે જેમાં 3 બાળકો અને માતા પિતાનો સમાવેશ થયો છે. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને કારણે સ્થાનિક લોકો તેમજ પોલીસ પણ ઘટનાસ્થળ આવી ગઈ હતી.  

કારના ફુરચેફુરચા બોલી ગયા.


દુર્ઘટનામાં 5 લોકોના થયા મોત 

મળતી માહિતી અનુસાર પરિવાર રિક્ષામાં સવારે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. ગાડી અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં ગોઝારો અકસ્માત થયો છે. આ ઘટનામાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા જ્યારે બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમના પણ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.