રાજ્યમાં વધતી અકસ્માતોની સંખ્યા, વડોદરા-પાદરા રોડ પર સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા પાંચ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-24 11:25:48

ગુજરાતમાં અકસ્માતને કારણે અનેક લોકોના મોત થાય છે. ગંભીર રીતે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા-પાદરા રોડ પર સર્જાયો છે જેમાં 5 લોકોના મોત થયા છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા છે. મૃતકોમાં 3 બાળકો અને પતિપત્નીનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે 3 લોકોના મોત થયાં હતા જ્યારે 2 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. 

રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં.

રિક્ષાનો બુકડો બોલી ગયો.

કાર અને રિક્ષા વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોણ ક્યારે કાળનો કોળિયો બની જાય છે તેની જાણ થતી નથી. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વડોદરા પાદરા રોડ પર સર્જાઈ છે. રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં રિક્ષામાં સવાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે જેમાં 3 બાળકો અને માતા પિતાનો સમાવેશ થયો છે. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને કારણે સ્થાનિક લોકો તેમજ પોલીસ પણ ઘટનાસ્થળ આવી ગઈ હતી.  

કારના ફુરચેફુરચા બોલી ગયા.


દુર્ઘટનામાં 5 લોકોના થયા મોત 

મળતી માહિતી અનુસાર પરિવાર રિક્ષામાં સવારે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. ગાડી અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં ગોઝારો અકસ્માત થયો છે. આ ઘટનામાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા જ્યારે બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમના પણ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.