રાજ્યમાં વધતી અકસ્માતોની સંખ્યા, વડોદરા-પાદરા રોડ પર સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા પાંચ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-24 11:25:48

ગુજરાતમાં અકસ્માતને કારણે અનેક લોકોના મોત થાય છે. ગંભીર રીતે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા-પાદરા રોડ પર સર્જાયો છે જેમાં 5 લોકોના મોત થયા છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા છે. મૃતકોમાં 3 બાળકો અને પતિપત્નીનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે 3 લોકોના મોત થયાં હતા જ્યારે 2 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. 

રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં.

રિક્ષાનો બુકડો બોલી ગયો.

કાર અને રિક્ષા વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોણ ક્યારે કાળનો કોળિયો બની જાય છે તેની જાણ થતી નથી. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વડોદરા પાદરા રોડ પર સર્જાઈ છે. રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં રિક્ષામાં સવાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે જેમાં 3 બાળકો અને માતા પિતાનો સમાવેશ થયો છે. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને કારણે સ્થાનિક લોકો તેમજ પોલીસ પણ ઘટનાસ્થળ આવી ગઈ હતી.  

કારના ફુરચેફુરચા બોલી ગયા.


દુર્ઘટનામાં 5 લોકોના થયા મોત 

મળતી માહિતી અનુસાર પરિવાર રિક્ષામાં સવારે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. ગાડી અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં ગોઝારો અકસ્માત થયો છે. આ ઘટનામાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા જ્યારે બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમના પણ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.