નાગાલેન્ડ તેમજ મેઘાલયમાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ, સીએમે લીધા શપથ, સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ રહ્યા હાજર


  • Published By :
  • Published Date : 2023-03-08 12:12:24

થોડા સમય પહેલા ત્રણ રાજ્યો એટલે કે નાગલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જે બાદ આજે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મેઘાલયના મુખ્યમંત્રી તરીકે કોનરાડ સંગમાએ શપથ લીધા હતા. જ્યારે નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે નેફ્યુ રિયોએ શપથ લીધા હતા. સવારે 11 વાગ્યે સંગમા કોનરોડે શપથ લીધા હતા જ્યારે બપોરના સમયે નેફ્યુ રિયોએ શપથ ગ્રહણ કર્યા હતા. બંનેના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. બંને રાજ્યોમાં બે ડે.સીએમની નિયુક્તિ કરવામાં આવી છે.

 


ભાજપ ગઠબંધને બનાવી સરકાર 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યો મતદાન પૂર્ણ થઈ ગયું છે. મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મેઘાયલ વિધાનસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. 2 માર્ચના રોજ ચૂંટણી પરિણામ આવ્યા હતા. નાગાલેન્ડમાં ફરી એક વખત એનડીપીપી-બીજેપી ગઠબંધનની સરકાર બની છે. 60 બેઠકો માટે મતદાન થયું હતું જેમાંથી એનપીપી-બીજેપીને 37 સીટો મળી હતી.  જેમાંથી એનપીપીના ખાતામાં 25 સીટો મળી હતી જ્યારે બીજેપીને 12 સીટો મળી હતી.


મેઘાયલના સીએમ તરીકે સંગમાએ લીધા શપથ 

જો મેઘાલયની વાત કરવામાં આવે તો ભાજપ ગઠબંધન સરકાર રચશે. એનપીપી, યુપીપી અને ભાજપે ગઠબંધન કરી સરકાર બનાવી છે. મેઘાયલમાં પણ મતદાન 27 ફેબ્રુઆરીના રોજ થયું હતું અને 2 માર્ચના રોજ પરિણામ આવ્યું હતું. 59 બેઠકો માટે મતદાન થયું હતું જેમાં એનપીપીને 27 સીટો મળી હતી, યુપીપીને 11 સીટો જ્યારે બીજેપીને બે સીટો મળી હતી. મેઘાયલના મુખ્યમંત્રી તરીકે કોનરોડ સંગમાએ શપથ લીધા છે. 

              




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.