નાગાલેન્ડ તેમજ મેઘાલયમાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ, સીએમે લીધા શપથ, સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ રહ્યા હાજર


  • Published By :
  • Published Date : 2023-03-08 12:12:24

થોડા સમય પહેલા ત્રણ રાજ્યો એટલે કે નાગલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જે બાદ આજે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મેઘાલયના મુખ્યમંત્રી તરીકે કોનરાડ સંગમાએ શપથ લીધા હતા. જ્યારે નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે નેફ્યુ રિયોએ શપથ લીધા હતા. સવારે 11 વાગ્યે સંગમા કોનરોડે શપથ લીધા હતા જ્યારે બપોરના સમયે નેફ્યુ રિયોએ શપથ ગ્રહણ કર્યા હતા. બંનેના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. બંને રાજ્યોમાં બે ડે.સીએમની નિયુક્તિ કરવામાં આવી છે.

 


ભાજપ ગઠબંધને બનાવી સરકાર 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યો મતદાન પૂર્ણ થઈ ગયું છે. મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મેઘાયલ વિધાનસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. 2 માર્ચના રોજ ચૂંટણી પરિણામ આવ્યા હતા. નાગાલેન્ડમાં ફરી એક વખત એનડીપીપી-બીજેપી ગઠબંધનની સરકાર બની છે. 60 બેઠકો માટે મતદાન થયું હતું જેમાંથી એનપીપી-બીજેપીને 37 સીટો મળી હતી.  જેમાંથી એનપીપીના ખાતામાં 25 સીટો મળી હતી જ્યારે બીજેપીને 12 સીટો મળી હતી.


મેઘાયલના સીએમ તરીકે સંગમાએ લીધા શપથ 

જો મેઘાલયની વાત કરવામાં આવે તો ભાજપ ગઠબંધન સરકાર રચશે. એનપીપી, યુપીપી અને ભાજપે ગઠબંધન કરી સરકાર બનાવી છે. મેઘાયલમાં પણ મતદાન 27 ફેબ્રુઆરીના રોજ થયું હતું અને 2 માર્ચના રોજ પરિણામ આવ્યું હતું. 59 બેઠકો માટે મતદાન થયું હતું જેમાં એનપીપીને 27 સીટો મળી હતી, યુપીપીને 11 સીટો જ્યારે બીજેપીને બે સીટો મળી હતી. મેઘાયલના મુખ્યમંત્રી તરીકે કોનરોડ સંગમાએ શપથ લીધા છે. 

              




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.