નાગાલેન્ડ તેમજ મેઘાલયમાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ, સીએમે લીધા શપથ, સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ રહ્યા હાજર


  • Published By :
  • Published Date : 2023-03-08 12:12:24

થોડા સમય પહેલા ત્રણ રાજ્યો એટલે કે નાગલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જે બાદ આજે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મેઘાલયના મુખ્યમંત્રી તરીકે કોનરાડ સંગમાએ શપથ લીધા હતા. જ્યારે નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે નેફ્યુ રિયોએ શપથ લીધા હતા. સવારે 11 વાગ્યે સંગમા કોનરોડે શપથ લીધા હતા જ્યારે બપોરના સમયે નેફ્યુ રિયોએ શપથ ગ્રહણ કર્યા હતા. બંનેના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. બંને રાજ્યોમાં બે ડે.સીએમની નિયુક્તિ કરવામાં આવી છે.

 


ભાજપ ગઠબંધને બનાવી સરકાર 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યો મતદાન પૂર્ણ થઈ ગયું છે. મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મેઘાયલ વિધાનસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. 2 માર્ચના રોજ ચૂંટણી પરિણામ આવ્યા હતા. નાગાલેન્ડમાં ફરી એક વખત એનડીપીપી-બીજેપી ગઠબંધનની સરકાર બની છે. 60 બેઠકો માટે મતદાન થયું હતું જેમાંથી એનપીપી-બીજેપીને 37 સીટો મળી હતી.  જેમાંથી એનપીપીના ખાતામાં 25 સીટો મળી હતી જ્યારે બીજેપીને 12 સીટો મળી હતી.


મેઘાયલના સીએમ તરીકે સંગમાએ લીધા શપથ 

જો મેઘાલયની વાત કરવામાં આવે તો ભાજપ ગઠબંધન સરકાર રચશે. એનપીપી, યુપીપી અને ભાજપે ગઠબંધન કરી સરકાર બનાવી છે. મેઘાયલમાં પણ મતદાન 27 ફેબ્રુઆરીના રોજ થયું હતું અને 2 માર્ચના રોજ પરિણામ આવ્યું હતું. 59 બેઠકો માટે મતદાન થયું હતું જેમાં એનપીપીને 27 સીટો મળી હતી, યુપીપીને 11 સીટો જ્યારે બીજેપીને બે સીટો મળી હતી. મેઘાયલના મુખ્યમંત્રી તરીકે કોનરોડ સંગમાએ શપથ લીધા છે. 

              




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.