નાગાલેન્ડ તેમજ મેઘાલયમાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ, સીએમે લીધા શપથ, સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ રહ્યા હાજર


  • Published By :
  • Published Date : 2023-03-08 12:12:24

થોડા સમય પહેલા ત્રણ રાજ્યો એટલે કે નાગલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જે બાદ આજે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મેઘાલયના મુખ્યમંત્રી તરીકે કોનરાડ સંગમાએ શપથ લીધા હતા. જ્યારે નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે નેફ્યુ રિયોએ શપથ લીધા હતા. સવારે 11 વાગ્યે સંગમા કોનરોડે શપથ લીધા હતા જ્યારે બપોરના સમયે નેફ્યુ રિયોએ શપથ ગ્રહણ કર્યા હતા. બંનેના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. બંને રાજ્યોમાં બે ડે.સીએમની નિયુક્તિ કરવામાં આવી છે.

 


ભાજપ ગઠબંધને બનાવી સરકાર 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યો મતદાન પૂર્ણ થઈ ગયું છે. મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મેઘાયલ વિધાનસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. 2 માર્ચના રોજ ચૂંટણી પરિણામ આવ્યા હતા. નાગાલેન્ડમાં ફરી એક વખત એનડીપીપી-બીજેપી ગઠબંધનની સરકાર બની છે. 60 બેઠકો માટે મતદાન થયું હતું જેમાંથી એનપીપી-બીજેપીને 37 સીટો મળી હતી.  જેમાંથી એનપીપીના ખાતામાં 25 સીટો મળી હતી જ્યારે બીજેપીને 12 સીટો મળી હતી.


મેઘાયલના સીએમ તરીકે સંગમાએ લીધા શપથ 

જો મેઘાલયની વાત કરવામાં આવે તો ભાજપ ગઠબંધન સરકાર રચશે. એનપીપી, યુપીપી અને ભાજપે ગઠબંધન કરી સરકાર બનાવી છે. મેઘાયલમાં પણ મતદાન 27 ફેબ્રુઆરીના રોજ થયું હતું અને 2 માર્ચના રોજ પરિણામ આવ્યું હતું. 59 બેઠકો માટે મતદાન થયું હતું જેમાં એનપીપીને 27 સીટો મળી હતી, યુપીપીને 11 સીટો જ્યારે બીજેપીને બે સીટો મળી હતી. મેઘાયલના મુખ્યમંત્રી તરીકે કોનરોડ સંગમાએ શપથ લીધા છે. 

              




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.