કાયમી OBC કમિશન મુદ્દે હાઇકોર્ટની રાજ્ય સરકારને ફટકાર, 2 માર્ચ સુધીમાં જવાબ આપવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-02-09 16:28:37

ગુજરાત હાઈકોર્ટ વિવિધ મુદ્દે રાજ્ય સરકારને ફટકાર લગાવતી રહે છે. રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશન મુદ્દે હાઈકોર્ટે આજે સરકારની ઝાટકણી કાઢી છે. રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂકની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી યોજાઈ હતી.જેમાં  હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શા માટે કાયમી OBC કમિશનની સ્થાપના થઈ નથી?  


સરકાર 2 માર્ચ સુધીમાં જવાબ આપે


ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર પણ કરી કે નિવૃત જજની નિમણૂકએ કમિશનની રચના ન ગણાય.  OBC કમિશનની સ્થાપના મુદ્દે સરકાર મજબુત પગલા લે તેવી પણ કોર્ટે તાકીદ કરી છે. હાઈકોર્ટે 2 માર્ચ સુધીમાં સરકારને કોર્ટમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


અરજદારે શું રજૂઆત કરી 


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી ધોરણે OBC કમિશન નથી. એક અરજદારે કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂક કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે સરકાર પરિપત્ર મુજબ કમિશનના વડાની નિમણૂક કરે તે યોગ્ય નથી. 


આર.પી.ધોલરિયાની વરણી


ગુજરાત સરકારે રાજ્યના પછાત અન્ય વર્ગો OBC માટેના કાયમી કમિશનના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટમાંથી નિવૃત થયેલા ન્યાયાધીશ આ.પી ધોલરિયાની નિમણૂક કરી હતી. OBC કમિશનમાં લાંબો સમય ચેરપર્સન તરીકે જવાબદારી અદા કરનારા જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના અવસાનને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા સરકારે આ નિયુક્તિ કરી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.