CRએ તો કહ્યું કે ભઈલા પરણી લે... પણ કન્યા તો રેડી હોવી જોઈએ!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 22:10:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ભાજપ, કોંગ્રેસના નેતાઓ ટિકિટની રાહે બેઠા છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીના પોતાના ઉમેદવાર 41 સભ્યોની ચાર લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપના નેતા અને OBC અગ્રણી અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા માટે જીદ પકડીને બેઠા છે. પરંતુ રાધનપુરના સ્થાનિક નેતાઓ માગણી કરીને બેઠા છે કે તેમને સ્થાનિક નેતા જ જોઈએ છે. તેમને કોઈ બહારનો નેતા નથી જોયતો. 


અલ્પેશભાઈને પૈણું-પૈણું થાય છે

અલ્પેશ ઠાકોરને કહેવામાં આવે છે કે તેમને પૈણું પૈણું થાય છે. તેમનું કહેવું છે કે વરરાજો લગ્ન માટે તૈયાર છે. બસ જાન કાઢવાની બાકી છે. ત્યારે ટૂંક સમય પહેલા સીઆર પાટીલે પણ અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડવા બાબતે નિવેદન આપ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે અને આજ વખતે તેમનો ચૂંટણી લડવાનું નક્કી છે. 


અલ્પેશભાઈ તૈયાર પણ જાનૈયા નથી

સમી તાલુકાના રાણાવાડા ગામે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગજી ઠાકોર અને લવિંગજી ઠાકોરની આગેવાનીમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમની માગણી છે કે બહારના કોઈ વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે અને સ્થાનિકને જ ધારાસભ્ય બનાવવામાં આવે. તેમણે 'જીતશે સ્થાનિક, હારશે બહારનો' સૂત્ર હેઠળ સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં ભાવસિંહજી રાઠોડના પુત્રી નીરુ રાઠોડ, પાટણ જિ. પં.ના બાબુજી ઠાકોર, રાધનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ રામા આહીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 

રાધનપુર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની માગ માટે ભાજપના જ નેતાઓએ ગણગણાટ શરૂ કર્યો છે. રાધનપુર બેઠકમાં ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય બનાવવાની સામે આવતા અલ્પેશ ઠાકોરની તકલીફો વધશે તેવી સંભાવના છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.