CRએ તો કહ્યું કે ભઈલા પરણી લે... પણ કન્યા તો રેડી હોવી જોઈએ!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 22:10:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ભાજપ, કોંગ્રેસના નેતાઓ ટિકિટની રાહે બેઠા છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીના પોતાના ઉમેદવાર 41 સભ્યોની ચાર લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપના નેતા અને OBC અગ્રણી અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા માટે જીદ પકડીને બેઠા છે. પરંતુ રાધનપુરના સ્થાનિક નેતાઓ માગણી કરીને બેઠા છે કે તેમને સ્થાનિક નેતા જ જોઈએ છે. તેમને કોઈ બહારનો નેતા નથી જોયતો. 


અલ્પેશભાઈને પૈણું-પૈણું થાય છે

અલ્પેશ ઠાકોરને કહેવામાં આવે છે કે તેમને પૈણું પૈણું થાય છે. તેમનું કહેવું છે કે વરરાજો લગ્ન માટે તૈયાર છે. બસ જાન કાઢવાની બાકી છે. ત્યારે ટૂંક સમય પહેલા સીઆર પાટીલે પણ અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડવા બાબતે નિવેદન આપ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે અને આજ વખતે તેમનો ચૂંટણી લડવાનું નક્કી છે. 


અલ્પેશભાઈ તૈયાર પણ જાનૈયા નથી

સમી તાલુકાના રાણાવાડા ગામે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગજી ઠાકોર અને લવિંગજી ઠાકોરની આગેવાનીમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમની માગણી છે કે બહારના કોઈ વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે અને સ્થાનિકને જ ધારાસભ્ય બનાવવામાં આવે. તેમણે 'જીતશે સ્થાનિક, હારશે બહારનો' સૂત્ર હેઠળ સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં ભાવસિંહજી રાઠોડના પુત્રી નીરુ રાઠોડ, પાટણ જિ. પં.ના બાબુજી ઠાકોર, રાધનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ રામા આહીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 

રાધનપુર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની માગ માટે ભાજપના જ નેતાઓએ ગણગણાટ શરૂ કર્યો છે. રાધનપુર બેઠકમાં ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય બનાવવાની સામે આવતા અલ્પેશ ઠાકોરની તકલીફો વધશે તેવી સંભાવના છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.