CRએ તો કહ્યું કે ભઈલા પરણી લે... પણ કન્યા તો રેડી હોવી જોઈએ!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 22:10:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ભાજપ, કોંગ્રેસના નેતાઓ ટિકિટની રાહે બેઠા છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીના પોતાના ઉમેદવાર 41 સભ્યોની ચાર લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપના નેતા અને OBC અગ્રણી અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા માટે જીદ પકડીને બેઠા છે. પરંતુ રાધનપુરના સ્થાનિક નેતાઓ માગણી કરીને બેઠા છે કે તેમને સ્થાનિક નેતા જ જોઈએ છે. તેમને કોઈ બહારનો નેતા નથી જોયતો. 


અલ્પેશભાઈને પૈણું-પૈણું થાય છે

અલ્પેશ ઠાકોરને કહેવામાં આવે છે કે તેમને પૈણું પૈણું થાય છે. તેમનું કહેવું છે કે વરરાજો લગ્ન માટે તૈયાર છે. બસ જાન કાઢવાની બાકી છે. ત્યારે ટૂંક સમય પહેલા સીઆર પાટીલે પણ અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડવા બાબતે નિવેદન આપ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે અને આજ વખતે તેમનો ચૂંટણી લડવાનું નક્કી છે. 


અલ્પેશભાઈ તૈયાર પણ જાનૈયા નથી

સમી તાલુકાના રાણાવાડા ગામે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગજી ઠાકોર અને લવિંગજી ઠાકોરની આગેવાનીમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમની માગણી છે કે બહારના કોઈ વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે અને સ્થાનિકને જ ધારાસભ્ય બનાવવામાં આવે. તેમણે 'જીતશે સ્થાનિક, હારશે બહારનો' સૂત્ર હેઠળ સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં ભાવસિંહજી રાઠોડના પુત્રી નીરુ રાઠોડ, પાટણ જિ. પં.ના બાબુજી ઠાકોર, રાધનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ રામા આહીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 

રાધનપુર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની માગ માટે ભાજપના જ નેતાઓએ ગણગણાટ શરૂ કર્યો છે. રાધનપુર બેઠકમાં ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય બનાવવાની સામે આવતા અલ્પેશ ઠાકોરની તકલીફો વધશે તેવી સંભાવના છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.