CRએ તો કહ્યું કે ભઈલા પરણી લે... પણ કન્યા તો રેડી હોવી જોઈએ!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 22:10:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ભાજપ, કોંગ્રેસના નેતાઓ ટિકિટની રાહે બેઠા છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીના પોતાના ઉમેદવાર 41 સભ્યોની ચાર લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપના નેતા અને OBC અગ્રણી અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા માટે જીદ પકડીને બેઠા છે. પરંતુ રાધનપુરના સ્થાનિક નેતાઓ માગણી કરીને બેઠા છે કે તેમને સ્થાનિક નેતા જ જોઈએ છે. તેમને કોઈ બહારનો નેતા નથી જોયતો. 


અલ્પેશભાઈને પૈણું-પૈણું થાય છે

અલ્પેશ ઠાકોરને કહેવામાં આવે છે કે તેમને પૈણું પૈણું થાય છે. તેમનું કહેવું છે કે વરરાજો લગ્ન માટે તૈયાર છે. બસ જાન કાઢવાની બાકી છે. ત્યારે ટૂંક સમય પહેલા સીઆર પાટીલે પણ અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડવા બાબતે નિવેદન આપ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે અને આજ વખતે તેમનો ચૂંટણી લડવાનું નક્કી છે. 


અલ્પેશભાઈ તૈયાર પણ જાનૈયા નથી

સમી તાલુકાના રાણાવાડા ગામે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગજી ઠાકોર અને લવિંગજી ઠાકોરની આગેવાનીમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમની માગણી છે કે બહારના કોઈ વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે અને સ્થાનિકને જ ધારાસભ્ય બનાવવામાં આવે. તેમણે 'જીતશે સ્થાનિક, હારશે બહારનો' સૂત્ર હેઠળ સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં ભાવસિંહજી રાઠોડના પુત્રી નીરુ રાઠોડ, પાટણ જિ. પં.ના બાબુજી ઠાકોર, રાધનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ રામા આહીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 

રાધનપુર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની માગ માટે ભાજપના જ નેતાઓએ ગણગણાટ શરૂ કર્યો છે. રાધનપુર બેઠકમાં ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય બનાવવાની સામે આવતા અલ્પેશ ઠાકોરની તકલીફો વધશે તેવી સંભાવના છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે