હીટવેવ: ઓડિસામાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો સરકારે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-12 14:21:39

ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની છે. આકાસમાંથી વરસતી ગરમી અને લૂના કારણે  શાળાઓ અને બાલમંદિરોમાં ભણતા ભૂલકાઓના આરોગ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે. આ જ કારણે ઓડિસા સરકારે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવાના આદેશ આપ્યા છે.  


સરકારે આપ્યો આદેશ


ઓડિશામાં વધતી ગરમીને કારણે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઓડિશા સરકારે નવો આદેશ જાહેર કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓ, પછી ભલે તે ખાનગી હોય કે સરકારી, 16મી એપ્રિલ, 2023 સુધી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે. નવા આદેશમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આજથી તમામ આંગણવાડી કેન્દ્રો પણ બંધ રહેશે. રાજ્યમાં હિટ વેવની સ્થિતીના કારણે  ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ, વર્ગો સવારે 7 થી 11:30 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યા હતા.


CM પટનાયકે યોજી સમીક્ષા બેઠક


ઉનાળાની ગરમીને લઈ ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.  જેમાં વર્તમાન લૂની સ્થિતી અને તેનાથી થતી આરોગ્ય પર અસર અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠક બાદ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 12થી 16 એપ્રીલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તે ઉપરાંત ધોરણ 11 અને 12 અને કોલેજોના વર્ગોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની અને  કોવિડની સ્થિતી પર નજર રાખવાની પણ તેમણે અધિકારીઓને સુચના આપી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.