હીટવેવ: ઓડિસામાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો સરકારે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-12 14:21:39

ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની છે. આકાસમાંથી વરસતી ગરમી અને લૂના કારણે  શાળાઓ અને બાલમંદિરોમાં ભણતા ભૂલકાઓના આરોગ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે. આ જ કારણે ઓડિસા સરકારે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવાના આદેશ આપ્યા છે.  


સરકારે આપ્યો આદેશ


ઓડિશામાં વધતી ગરમીને કારણે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઓડિશા સરકારે નવો આદેશ જાહેર કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓ, પછી ભલે તે ખાનગી હોય કે સરકારી, 16મી એપ્રિલ, 2023 સુધી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે. નવા આદેશમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આજથી તમામ આંગણવાડી કેન્દ્રો પણ બંધ રહેશે. રાજ્યમાં હિટ વેવની સ્થિતીના કારણે  ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ, વર્ગો સવારે 7 થી 11:30 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યા હતા.


CM પટનાયકે યોજી સમીક્ષા બેઠક


ઉનાળાની ગરમીને લઈ ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.  જેમાં વર્તમાન લૂની સ્થિતી અને તેનાથી થતી આરોગ્ય પર અસર અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠક બાદ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 12થી 16 એપ્રીલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તે ઉપરાંત ધોરણ 11 અને 12 અને કોલેજોના વર્ગોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની અને  કોવિડની સ્થિતી પર નજર રાખવાની પણ તેમણે અધિકારીઓને સુચના આપી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.