ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કુમાર દાસ પર પર ફાયરિંગ, સુરક્ષામાં તૈનાત ASIએ જ ગોળી મારી


  • Published By :
  • Published Date : 2023-01-29 16:26:51

ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કુમાર દાસ પર ઝરસુગુડા જિલ્લામાં બ્રીજરાજનગર નજીક ફાયરિંગ કરવામાં આવ્યું છે. નાબા કુમાર દાસની જ સુરક્ષામાં તૈનાત ASI ગોપાલદાસે જ ગોળી મારી દીધી હતી. આ ઘટના રવિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર વિસ્તારમાં બની હતી. ફાયરિંગ બાદ ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ભુવનેશ્વર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.


નાબા કુમાર દાસ હોસ્પિટલમાં દાખલ


એક કાર્યક્રમમાં હાજરી આપવા બ્રીજરાજનગર પહોંચેલા નબા દાસ કારમાંથી નીચે ઉતરતા હતા ત્યારે સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર તેમને છાતીમાં 4-5 ગોળીઓ વાગી છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. નાબા કુમાર કિશોર દાસને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી છે. 


આરોપી ASI ફરાર


નાબા દાસ પર ફાયરિંગ તેમની જ સુરક્ષા માટે ફરજ બજાવતા ASI ગોપાલદાસે જ કર્યું છે. આરોગ્ય મંત્રી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ તરફથી હજી સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે આરોપી ASI ગોપાલ દાસ ફરાર થઈ ગયો છે.  નાબા દાસ પર આ હુમલો પૂર્વયોજીત હોવાનું મનાય છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.