ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કુમાર દાસ પર પર ફાયરિંગ, સુરક્ષામાં તૈનાત ASIએ જ ગોળી મારી


  • Published By :
  • Published Date : 2023-01-29 16:26:51

ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કુમાર દાસ પર ઝરસુગુડા જિલ્લામાં બ્રીજરાજનગર નજીક ફાયરિંગ કરવામાં આવ્યું છે. નાબા કુમાર દાસની જ સુરક્ષામાં તૈનાત ASI ગોપાલદાસે જ ગોળી મારી દીધી હતી. આ ઘટના રવિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર વિસ્તારમાં બની હતી. ફાયરિંગ બાદ ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ભુવનેશ્વર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.


નાબા કુમાર દાસ હોસ્પિટલમાં દાખલ


એક કાર્યક્રમમાં હાજરી આપવા બ્રીજરાજનગર પહોંચેલા નબા દાસ કારમાંથી નીચે ઉતરતા હતા ત્યારે સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર તેમને છાતીમાં 4-5 ગોળીઓ વાગી છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. નાબા કુમાર કિશોર દાસને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી છે. 


આરોપી ASI ફરાર


નાબા દાસ પર ફાયરિંગ તેમની જ સુરક્ષા માટે ફરજ બજાવતા ASI ગોપાલદાસે જ કર્યું છે. આરોગ્ય મંત્રી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ તરફથી હજી સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે આરોપી ASI ગોપાલ દાસ ફરાર થઈ ગયો છે.  નાબા દાસ પર આ હુમલો પૂર્વયોજીત હોવાનું મનાય છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.