ઓડિશા ટ્રેન અકસ્માત કેસમાં આવ્યું અપડેટ! સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરને કરાયું સીલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 13:47:48

થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્રણ ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો જેને લઈ સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી હતી. ત્યારે આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે અપડેટ સામે આવી છે જેમાં સિગ્નલ જૂનિયર ઈંજિનિયર પોતાના પરિવાર સાથે ગાયબ થઈ ગયો છે. પરિવાર સાથે અચાનક ગાયબ થઈ જતાં સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા તેમના ઘરને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે તપાસ માટે સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે તેમનું ઘર બંધ હતું અને પરિવારના સભ્યો કોઈ હાજર ન હતા. એવી પણ માહિતી સામે આવી છે જેમાં શરૂઆતી તપાસ દરમિયાન સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી. 



ઓડિશામાં સર્જાયો હતો ત્રિપલ ટ્રેન અકસ્માત!

ઓડિશામાં થોડા સમય પહેલા ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે લોકોમાં દુખની લાગણી પ્રવર્તી ઉઠી હતી. ત્યારે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટના જ્યારથી બની હતી ત્યારથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ત્યાં ઉપસ્થિત હતા. પીએમ મોદીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલ લોકો સાથે વાતચીત કરી હતી. આ ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. 16 જૂનના રોજ તપાસ માટે ટીમે ત્યાંની મુલાકાત લીધી હતી તે બાદ 19 જૂનના રોજ ફરી એક વખત ટીમ ત્યાં ગઈ હતી. તે દરમિયાન સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરની પૂછપરછ કરી હતી. 


સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરને કરાયું સીલ!

જ્યારે સીબીઆઈની ટીમ ફરી વખત સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરે પહોંચી ત્યારે પરિવારના સભ્યો હાજર ન હતા. ઘરમાં કોઈ મળ્યું ન હતું. મળતી માહિતી અનુસાર સીબીઆઈની ટીમ દ્વારા તેમના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. ટ્રેન સંચાલન દરમિયાન ટ્રેનની સુરક્ષામાં જૂનિયર ઈન્જિનિયરનો રોલ મહત્વનો હોય છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 200થી વધારે લોકોના મોત થઈ ગયા છે. થોડા સમય પહેલા એક ચિઠ્ઠી પણ વાયરલ થઈ હતી જેમાં ટ્રેનને લઈ વોર્નિંગ આપવામાં આવી હતી.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.