ઓઈલ મિનિસ્ટ્રીની પેનલનો રિપોર્ટ, વર્ષ 2027 સુધી ડીઝલથી ચાલનારા ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવો


  • Published By :
  • Published Date : 2023-05-09 16:50:15

કેન્દ્ર સરકારે હવે ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોને પ્રોત્સાહન આપવું જોઈએ તેવી સલાહ ઓઈલ મિનિસ્ટ્રીની એક પેનલે આપી છે. પેનલે રજુ કરેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2027 સુધી 10 લાખથી વધુ વાહનોવાળા શહેરોમાં ડીઝલથી ચાલનારા  ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. તે ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષમાં શહેરી વિસ્તારોમાં ડીઝલ બસનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે.


ડીઝલની વધતી માગ ચિંતાજનક


પેનલે તેના રિપોર્ટમાં ડીઝલની વધતી માગને લઈ ચિંતા વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં પેનલે સુચન કર્યુ છે કે જો અત્યારથી જ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોનો ઉપયોગ વધારીશું નહીં તો ભવિષ્યમાં પરિસ્થિતિ બેકાબુ બની શકે છે. પૂર્વ ઓઈલ સેક્રેટરી તરૂણ કપૂરની અધ્યક્ષતામાં પેનલે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ઈન્ટરનલ કન્ઝપ્શન એન્જિનવાળી મોટર સાઈકલ, સ્કૂટર અને થ્રી વ્હીલરને વર્ષ 2035 સુધી તબક્કાવાર રીતે હટાવી દેવાની સુચના આપી છે. 


2040 સુધીમાં ડીઝલની માંગ ટોચ પર હશે 


પેનલે આવતા વર્ષથી માત્ર ઈલેક્ટ્રીક વાહનો માટે નવા રજીસ્ટ્રેશનની તરફેણ કરી છે અને કાર્ગોની અવરજવર માટે રેલ્વે અને ગેસથી ચાલતા ટ્રકનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. રિપોર્ટ અનુસાર 2040 સુધીમાં દેશમાં ડીઝલની માંગ તેની ટોચે પહોંચી જશે. આવી સ્થિતિમાં જો ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવાનું શરૂ કરવામાં આવે તો આ માંગમાં ઘટાડો થવાની આશા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.