ઓઈલ મિનિસ્ટ્રીની પેનલનો રિપોર્ટ, વર્ષ 2027 સુધી ડીઝલથી ચાલનારા ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવો


  • Published By :
  • Published Date : 2023-05-09 16:50:15

કેન્દ્ર સરકારે હવે ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોને પ્રોત્સાહન આપવું જોઈએ તેવી સલાહ ઓઈલ મિનિસ્ટ્રીની એક પેનલે આપી છે. પેનલે રજુ કરેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2027 સુધી 10 લાખથી વધુ વાહનોવાળા શહેરોમાં ડીઝલથી ચાલનારા  ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. તે ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષમાં શહેરી વિસ્તારોમાં ડીઝલ બસનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે.


ડીઝલની વધતી માગ ચિંતાજનક


પેનલે તેના રિપોર્ટમાં ડીઝલની વધતી માગને લઈ ચિંતા વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં પેનલે સુચન કર્યુ છે કે જો અત્યારથી જ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોનો ઉપયોગ વધારીશું નહીં તો ભવિષ્યમાં પરિસ્થિતિ બેકાબુ બની શકે છે. પૂર્વ ઓઈલ સેક્રેટરી તરૂણ કપૂરની અધ્યક્ષતામાં પેનલે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ઈન્ટરનલ કન્ઝપ્શન એન્જિનવાળી મોટર સાઈકલ, સ્કૂટર અને થ્રી વ્હીલરને વર્ષ 2035 સુધી તબક્કાવાર રીતે હટાવી દેવાની સુચના આપી છે. 


2040 સુધીમાં ડીઝલની માંગ ટોચ પર હશે 


પેનલે આવતા વર્ષથી માત્ર ઈલેક્ટ્રીક વાહનો માટે નવા રજીસ્ટ્રેશનની તરફેણ કરી છે અને કાર્ગોની અવરજવર માટે રેલ્વે અને ગેસથી ચાલતા ટ્રકનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. રિપોર્ટ અનુસાર 2040 સુધીમાં દેશમાં ડીઝલની માંગ તેની ટોચે પહોંચી જશે. આવી સ્થિતિમાં જો ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવાનું શરૂ કરવામાં આવે તો આ માંગમાં ઘટાડો થવાની આશા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.