ઓઈલ મિનિસ્ટ્રીની પેનલનો રિપોર્ટ, વર્ષ 2027 સુધી ડીઝલથી ચાલનારા ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવો


  • Published By :
  • Published Date : 2023-05-09 16:50:15

કેન્દ્ર સરકારે હવે ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોને પ્રોત્સાહન આપવું જોઈએ તેવી સલાહ ઓઈલ મિનિસ્ટ્રીની એક પેનલે આપી છે. પેનલે રજુ કરેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2027 સુધી 10 લાખથી વધુ વાહનોવાળા શહેરોમાં ડીઝલથી ચાલનારા  ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. તે ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષમાં શહેરી વિસ્તારોમાં ડીઝલ બસનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે.


ડીઝલની વધતી માગ ચિંતાજનક


પેનલે તેના રિપોર્ટમાં ડીઝલની વધતી માગને લઈ ચિંતા વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં પેનલે સુચન કર્યુ છે કે જો અત્યારથી જ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોનો ઉપયોગ વધારીશું નહીં તો ભવિષ્યમાં પરિસ્થિતિ બેકાબુ બની શકે છે. પૂર્વ ઓઈલ સેક્રેટરી તરૂણ કપૂરની અધ્યક્ષતામાં પેનલે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ઈન્ટરનલ કન્ઝપ્શન એન્જિનવાળી મોટર સાઈકલ, સ્કૂટર અને થ્રી વ્હીલરને વર્ષ 2035 સુધી તબક્કાવાર રીતે હટાવી દેવાની સુચના આપી છે. 


2040 સુધીમાં ડીઝલની માંગ ટોચ પર હશે 


પેનલે આવતા વર્ષથી માત્ર ઈલેક્ટ્રીક વાહનો માટે નવા રજીસ્ટ્રેશનની તરફેણ કરી છે અને કાર્ગોની અવરજવર માટે રેલ્વે અને ગેસથી ચાલતા ટ્રકનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. રિપોર્ટ અનુસાર 2040 સુધીમાં દેશમાં ડીઝલની માંગ તેની ટોચે પહોંચી જશે. આવી સ્થિતિમાં જો ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવાનું શરૂ કરવામાં આવે તો આ માંગમાં ઘટાડો થવાની આશા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.