જામનગરના જોડિયામાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત


  • Published By :
  • Published Date : 2023-07-12 15:00:48

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતા ઢોર વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા જોવા મળે છે. રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમ છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. જામનગર જિલ્લાના જોડિયામાં પણ એક વૃધ્ધને આખલાએ અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.


71 વર્ષના વૃધ્ધના મોતથી અરેરાટી


જામનગરના જોડિયામાં સવારના સમયે બકાલુ માર્કેટમાં રખડતા આખલાએ શિંગડે ચડાવતા 71 વર્ષના વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી. તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવારમાં મોત નીપજ્યું હતું. ગોપાલભાઈ ભુપતભાઈ દવે નામના વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાના કારણે હેમરેજ થઈ જતાં સારવાર માટે પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જોડિયા જેવા નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોર મુદ્દે ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. વૃદ્ધના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.