જામનગરના જોડિયામાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત


  • Published By :
  • Published Date : 2023-07-12 15:00:48

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતા ઢોર વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા જોવા મળે છે. રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમ છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. જામનગર જિલ્લાના જોડિયામાં પણ એક વૃધ્ધને આખલાએ અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.


71 વર્ષના વૃધ્ધના મોતથી અરેરાટી


જામનગરના જોડિયામાં સવારના સમયે બકાલુ માર્કેટમાં રખડતા આખલાએ શિંગડે ચડાવતા 71 વર્ષના વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી. તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવારમાં મોત નીપજ્યું હતું. ગોપાલભાઈ ભુપતભાઈ દવે નામના વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાના કારણે હેમરેજ થઈ જતાં સારવાર માટે પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જોડિયા જેવા નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોર મુદ્દે ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. વૃદ્ધના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.