1 એપ્રિલથી ભંગાર થઈ જશે 15 વર્ષ જૂના વાહનો, વાહનો માટે ફિટનેસ સર્ટિ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-02-07 20:07:32

દેશ અને રાજ્યમાં 15 વર્ષથી જૂના વાહનો અને બસોનું રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી રદ કરવામાં આવશે અને તેને ભંગાર કરવામાં આવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલ, 2023થી પંદર વર્ષથી જૂના તમામ વાહનો ભંગાર થઈ જશે અને તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. નવી સ્ક્રેપ પોલીસી મુજબ 10 વર્ષ જૂના કોમર્શિયલ વ્હિકલ અને અને 15 વર્ષ જૂના પ્રાઈવેટ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો વાહન ટેસ્ટમાં પાસ થઈ જશે તો ચલાવવાની મંજૂરી મળશે પણ જો ફેલ થશે તો ભંગારવાડામાં જશે.


15 વર્ષ જૂના વાહનો ભંગારવાડે 


ગુજરાતના 15 વર્ષ જૂના 20 લાખ ભારે વાહનો ભંગારવાડે જવાના છે કારણ કે તે સ્ક્રેપ પોલીસી મુજબ અનફીટ છે. ભારે વાહનો એટલે ટ્રક ટેમ્પો બસ જેવા વાહનોનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં એંજીનની હાલત, તેનાથી નિકળતો ધુમાડો, પેટ્રોલ ની ખપત, વાહનના સેફ્ટી ફિચર્સ તે બધાની તપાસ થશે. જો આમાં ખામી હશે તો વાહનનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે અને ગાડી સીધી ભંગારવાડે લઈ જવું પડશે.


રાજ્યમાં સ્ક્રેપ સેન્ટર ખૂલ્યા 


ગુજરાતમાં આવા લગભગ બાજુ 20 લાખ જૂના વાહનો છે, પણ આપણે ત્યાં તો હજુ સુધી ચાર જ સર્ટિફિકેટવાળા ભંગારવાડા ખુલ્યા છે. આ ફિટનેસ સર્ટિનું સર્ટિફિકેટ આપતા ભંગારવાડા સુરત, અમરેલી, ભુજ, અને ભરૂચમાં ખુલ્યા છે. ભંગારવાડામાં જો કોઈ વાહન જશે તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ અપાશે. જે  બે વર્ષ સુધી ચાલશે. જો જૂની ગાડી ભંગારમાં જતી રહેશે ત્યારે નવી ગાડી ખદીદતી વખતે આ સ્ક્રેપ સર્ટિફિકેટથી 5 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે, અને નવી ગાડી લેવા પર રજિસ્ટ્રેશન ફી પણ નહીં આપવી પડે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.