1 એપ્રિલથી ભંગાર થઈ જશે 15 વર્ષ જૂના વાહનો, વાહનો માટે ફિટનેસ સર્ટિ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-02-07 20:07:32

દેશ અને રાજ્યમાં 15 વર્ષથી જૂના વાહનો અને બસોનું રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી રદ કરવામાં આવશે અને તેને ભંગાર કરવામાં આવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલ, 2023થી પંદર વર્ષથી જૂના તમામ વાહનો ભંગાર થઈ જશે અને તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. નવી સ્ક્રેપ પોલીસી મુજબ 10 વર્ષ જૂના કોમર્શિયલ વ્હિકલ અને અને 15 વર્ષ જૂના પ્રાઈવેટ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો વાહન ટેસ્ટમાં પાસ થઈ જશે તો ચલાવવાની મંજૂરી મળશે પણ જો ફેલ થશે તો ભંગારવાડામાં જશે.


15 વર્ષ જૂના વાહનો ભંગારવાડે 


ગુજરાતના 15 વર્ષ જૂના 20 લાખ ભારે વાહનો ભંગારવાડે જવાના છે કારણ કે તે સ્ક્રેપ પોલીસી મુજબ અનફીટ છે. ભારે વાહનો એટલે ટ્રક ટેમ્પો બસ જેવા વાહનોનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં એંજીનની હાલત, તેનાથી નિકળતો ધુમાડો, પેટ્રોલ ની ખપત, વાહનના સેફ્ટી ફિચર્સ તે બધાની તપાસ થશે. જો આમાં ખામી હશે તો વાહનનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે અને ગાડી સીધી ભંગારવાડે લઈ જવું પડશે.


રાજ્યમાં સ્ક્રેપ સેન્ટર ખૂલ્યા 


ગુજરાતમાં આવા લગભગ બાજુ 20 લાખ જૂના વાહનો છે, પણ આપણે ત્યાં તો હજુ સુધી ચાર જ સર્ટિફિકેટવાળા ભંગારવાડા ખુલ્યા છે. આ ફિટનેસ સર્ટિનું સર્ટિફિકેટ આપતા ભંગારવાડા સુરત, અમરેલી, ભુજ, અને ભરૂચમાં ખુલ્યા છે. ભંગારવાડામાં જો કોઈ વાહન જશે તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ અપાશે. જે  બે વર્ષ સુધી ચાલશે. જો જૂની ગાડી ભંગારમાં જતી રહેશે ત્યારે નવી ગાડી ખદીદતી વખતે આ સ્ક્રેપ સર્ટિફિકેટથી 5 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે, અને નવી ગાડી લેવા પર રજિસ્ટ્રેશન ફી પણ નહીં આપવી પડે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.