1 એપ્રિલથી ભંગાર થઈ જશે 15 વર્ષ જૂના વાહનો, વાહનો માટે ફિટનેસ સર્ટિ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-02-07 20:07:32

દેશ અને રાજ્યમાં 15 વર્ષથી જૂના વાહનો અને બસોનું રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી રદ કરવામાં આવશે અને તેને ભંગાર કરવામાં આવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલ, 2023થી પંદર વર્ષથી જૂના તમામ વાહનો ભંગાર થઈ જશે અને તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. નવી સ્ક્રેપ પોલીસી મુજબ 10 વર્ષ જૂના કોમર્શિયલ વ્હિકલ અને અને 15 વર્ષ જૂના પ્રાઈવેટ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો વાહન ટેસ્ટમાં પાસ થઈ જશે તો ચલાવવાની મંજૂરી મળશે પણ જો ફેલ થશે તો ભંગારવાડામાં જશે.


15 વર્ષ જૂના વાહનો ભંગારવાડે 


ગુજરાતના 15 વર્ષ જૂના 20 લાખ ભારે વાહનો ભંગારવાડે જવાના છે કારણ કે તે સ્ક્રેપ પોલીસી મુજબ અનફીટ છે. ભારે વાહનો એટલે ટ્રક ટેમ્પો બસ જેવા વાહનોનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં એંજીનની હાલત, તેનાથી નિકળતો ધુમાડો, પેટ્રોલ ની ખપત, વાહનના સેફ્ટી ફિચર્સ તે બધાની તપાસ થશે. જો આમાં ખામી હશે તો વાહનનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે અને ગાડી સીધી ભંગારવાડે લઈ જવું પડશે.


રાજ્યમાં સ્ક્રેપ સેન્ટર ખૂલ્યા 


ગુજરાતમાં આવા લગભગ બાજુ 20 લાખ જૂના વાહનો છે, પણ આપણે ત્યાં તો હજુ સુધી ચાર જ સર્ટિફિકેટવાળા ભંગારવાડા ખુલ્યા છે. આ ફિટનેસ સર્ટિનું સર્ટિફિકેટ આપતા ભંગારવાડા સુરત, અમરેલી, ભુજ, અને ભરૂચમાં ખુલ્યા છે. ભંગારવાડામાં જો કોઈ વાહન જશે તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ અપાશે. જે  બે વર્ષ સુધી ચાલશે. જો જૂની ગાડી ભંગારમાં જતી રહેશે ત્યારે નવી ગાડી ખદીદતી વખતે આ સ્ક્રેપ સર્ટિફિકેટથી 5 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે, અને નવી ગાડી લેવા પર રજિસ્ટ્રેશન ફી પણ નહીં આપવી પડે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.