ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના જૂના વીડિયો તેમજ ટ્વિટ થઈ રહ્યા છે વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:24:04

આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એકદમ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ચૂંટણીની ગંભીરતા સમજી આમ આદમી પાર્ટીએ અનેક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના 6 લિસ્ટ જાહેર કરી દીધા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આપના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની જૂની ટ્વિટ વાયરલ થઈ રહી છે. આની પહેલા ગોપાલ ઈટાલિયાના અનેક જૂના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે આ ટ્વિટ વાયરલ થતા રાજકારણ ફરી ગરમાયું છે. 

ચેતન ગજેરાની જૂની ટ્વિટ થઈ વાયરલ 

ગુજરાતની રાજનીતિમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ ભાજપની વચ્ચે આ વખતે જંગ જામવાનો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા ત્યારે આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોના નામ જાહેરાત થતાં જ જૂનાગઢથી આપના ઉમેદવાર ચેતન ગજેરાની જૂની ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 



ચેતન ગજેરાની આ ટ્વિટ 2016ની છે. આ ટ્વિટ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. ભાજપના યુવા પદ તરીકેનો કાર્યભાર છોડી તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે દેવરાજ ઈન્દ્ર કા સિંહાસન પહેલા રાક્ષસોની તપસ્યાને કારણે ડોલતું હતું જ્યારે આજ કાલ અરવિંદ કેજરીવાલ કે મોદી જાપને કારણે હલી રહ્યું છે. તેમની બીજી એક ટ્વિટ પણ વાયરલ થઈ હતી જેમાં તેમણે લખ્યું છે કે ઐસા કોઈ સગા નહીં, જિસકો હમને ઠગા નહીં, નામ તો સુના હી હોગા...કેજરીવાલ.   


આ પહેલા ઈટાલિયાના વીડિયો પણ થયો છે વાયરલ

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જૂના ફોટા, વીડિયો તેમજ ટ્વિટ સામે આવી રહ્યા છે. આ ટ્વિટ વાયરલ થયું તે પહેલા ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો એકાએક સોશિયલ મીડિયમાં વાયરલ થયા હતા. પોતાના વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી તેમજ તેમની માતા વિષે અપમાન જનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ ટ્વિટને કારણે રાજકારણ ગરમાયું હતું ત્યારે આ ટ્વિટથી રાજનીતિમાં શું ઉથલપાથલ થવાની છે તે આવનારો સમય બતાવશે.          




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.