ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના જૂના વીડિયો તેમજ ટ્વિટ થઈ રહ્યા છે વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:24:04

આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એકદમ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ચૂંટણીની ગંભીરતા સમજી આમ આદમી પાર્ટીએ અનેક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના 6 લિસ્ટ જાહેર કરી દીધા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આપના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની જૂની ટ્વિટ વાયરલ થઈ રહી છે. આની પહેલા ગોપાલ ઈટાલિયાના અનેક જૂના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે આ ટ્વિટ વાયરલ થતા રાજકારણ ફરી ગરમાયું છે. 

ચેતન ગજેરાની જૂની ટ્વિટ થઈ વાયરલ 

ગુજરાતની રાજનીતિમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ ભાજપની વચ્ચે આ વખતે જંગ જામવાનો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા ત્યારે આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોના નામ જાહેરાત થતાં જ જૂનાગઢથી આપના ઉમેદવાર ચેતન ગજેરાની જૂની ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 



ચેતન ગજેરાની આ ટ્વિટ 2016ની છે. આ ટ્વિટ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. ભાજપના યુવા પદ તરીકેનો કાર્યભાર છોડી તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે દેવરાજ ઈન્દ્ર કા સિંહાસન પહેલા રાક્ષસોની તપસ્યાને કારણે ડોલતું હતું જ્યારે આજ કાલ અરવિંદ કેજરીવાલ કે મોદી જાપને કારણે હલી રહ્યું છે. તેમની બીજી એક ટ્વિટ પણ વાયરલ થઈ હતી જેમાં તેમણે લખ્યું છે કે ઐસા કોઈ સગા નહીં, જિસકો હમને ઠગા નહીં, નામ તો સુના હી હોગા...કેજરીવાલ.   


આ પહેલા ઈટાલિયાના વીડિયો પણ થયો છે વાયરલ

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જૂના ફોટા, વીડિયો તેમજ ટ્વિટ સામે આવી રહ્યા છે. આ ટ્વિટ વાયરલ થયું તે પહેલા ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો એકાએક સોશિયલ મીડિયમાં વાયરલ થયા હતા. પોતાના વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી તેમજ તેમની માતા વિષે અપમાન જનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ ટ્વિટને કારણે રાજકારણ ગરમાયું હતું ત્યારે આ ટ્વિટથી રાજનીતિમાં શું ઉથલપાથલ થવાની છે તે આવનારો સમય બતાવશે.          




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.