ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના જૂના વીડિયો તેમજ ટ્વિટ થઈ રહ્યા છે વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:24:04

આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એકદમ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ચૂંટણીની ગંભીરતા સમજી આમ આદમી પાર્ટીએ અનેક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના 6 લિસ્ટ જાહેર કરી દીધા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આપના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની જૂની ટ્વિટ વાયરલ થઈ રહી છે. આની પહેલા ગોપાલ ઈટાલિયાના અનેક જૂના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે આ ટ્વિટ વાયરલ થતા રાજકારણ ફરી ગરમાયું છે. 

ચેતન ગજેરાની જૂની ટ્વિટ થઈ વાયરલ 

ગુજરાતની રાજનીતિમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ ભાજપની વચ્ચે આ વખતે જંગ જામવાનો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા ત્યારે આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોના નામ જાહેરાત થતાં જ જૂનાગઢથી આપના ઉમેદવાર ચેતન ગજેરાની જૂની ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 



ચેતન ગજેરાની આ ટ્વિટ 2016ની છે. આ ટ્વિટ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. ભાજપના યુવા પદ તરીકેનો કાર્યભાર છોડી તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે દેવરાજ ઈન્દ્ર કા સિંહાસન પહેલા રાક્ષસોની તપસ્યાને કારણે ડોલતું હતું જ્યારે આજ કાલ અરવિંદ કેજરીવાલ કે મોદી જાપને કારણે હલી રહ્યું છે. તેમની બીજી એક ટ્વિટ પણ વાયરલ થઈ હતી જેમાં તેમણે લખ્યું છે કે ઐસા કોઈ સગા નહીં, જિસકો હમને ઠગા નહીં, નામ તો સુના હી હોગા...કેજરીવાલ.   


આ પહેલા ઈટાલિયાના વીડિયો પણ થયો છે વાયરલ

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જૂના ફોટા, વીડિયો તેમજ ટ્વિટ સામે આવી રહ્યા છે. આ ટ્વિટ વાયરલ થયું તે પહેલા ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો એકાએક સોશિયલ મીડિયમાં વાયરલ થયા હતા. પોતાના વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી તેમજ તેમની માતા વિષે અપમાન જનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ ટ્વિટને કારણે રાજકારણ ગરમાયું હતું ત્યારે આ ટ્વિટથી રાજનીતિમાં શું ઉથલપાથલ થવાની છે તે આવનારો સમય બતાવશે.          




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.