ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ વડોદરામાં ખેલૈયા સાથે કર્યા ગરબા, જુઓ વીડિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 13:04:25

વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં નીરજે જોરદાર ગરબા કર્યો. આ પ્રસંગે તેમની સાથે કોમેન્ટેટર ચારુ શર્મા પણ હાજર હતા. બંનેએ સાથે મળીને ત્યાં હાજર લોકો સાથે ગરબા રમ્યા હતા.

  

ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા અને પીવી સિંધુ પણ હાજર રહેશે. જોકે તેઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. વડોદરા પહોંચી ગયેલા નીરજે બુધવારે લોકો સાથે ગરબા કર્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. નીરજે લોકોના દિલ જીતી લીધા.



વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં નીરજે જોરદાર ગરબા કર્યો. આ પ્રસંગે તેમની સાથે કોમેન્ટેટર ચારુ શર્મા પણ હાજર હતા. બંનેએ સાથે મળીને ત્યાં હાજર લોકો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. નીરજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં નવરાત્રીના અવસરે ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. નીરજ પણ પોતાની જાતને તેમાં સામેલ થવાથી રોકી શક્યો નહીં.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે