ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ વડોદરામાં ખેલૈયા સાથે કર્યા ગરબા, જુઓ વીડિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 13:04:25

વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં નીરજે જોરદાર ગરબા કર્યો. આ પ્રસંગે તેમની સાથે કોમેન્ટેટર ચારુ શર્મા પણ હાજર હતા. બંનેએ સાથે મળીને ત્યાં હાજર લોકો સાથે ગરબા રમ્યા હતા.

  

ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા અને પીવી સિંધુ પણ હાજર રહેશે. જોકે તેઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. વડોદરા પહોંચી ગયેલા નીરજે બુધવારે લોકો સાથે ગરબા કર્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. નીરજે લોકોના દિલ જીતી લીધા.



વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં નીરજે જોરદાર ગરબા કર્યો. આ પ્રસંગે તેમની સાથે કોમેન્ટેટર ચારુ શર્મા પણ હાજર હતા. બંનેએ સાથે મળીને ત્યાં હાજર લોકો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. નીરજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં નવરાત્રીના અવસરે ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. નીરજ પણ પોતાની જાતને તેમાં સામેલ થવાથી રોકી શક્યો નહીં.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"