ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ વડોદરામાં ખેલૈયા સાથે કર્યા ગરબા, જુઓ વીડિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 13:04:25

વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં નીરજે જોરદાર ગરબા કર્યો. આ પ્રસંગે તેમની સાથે કોમેન્ટેટર ચારુ શર્મા પણ હાજર હતા. બંનેએ સાથે મળીને ત્યાં હાજર લોકો સાથે ગરબા રમ્યા હતા.

  

ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા અને પીવી સિંધુ પણ હાજર રહેશે. જોકે તેઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. વડોદરા પહોંચી ગયેલા નીરજે બુધવારે લોકો સાથે ગરબા કર્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. નીરજે લોકોના દિલ જીતી લીધા.



વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં નીરજે જોરદાર ગરબા કર્યો. આ પ્રસંગે તેમની સાથે કોમેન્ટેટર ચારુ શર્મા પણ હાજર હતા. બંનેએ સાથે મળીને ત્યાં હાજર લોકો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. નીરજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં નવરાત્રીના અવસરે ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. નીરજ પણ પોતાની જાતને તેમાં સામેલ થવાથી રોકી શક્યો નહીં.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.