Chaitar Vasava વતી Gopal Italia ભરૂચનાં ગામે ગામ ફરી ચૂંટણી પ્રચાર કરશે! સાંભળો શું કહ્યું Gopal Italiyaએ?


  • Published By :
  • Published Date : 2023-12-12 11:32:41

ભરૂચનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહે છે. વસાવા Vs વસાવા વચ્ચેનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી જે બાદ તેઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ અનેક વખત નિવેદન આપ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપના અનેક નેતાઓ આવ્યા છે. એવી ચર્ચાઓ ચાલતી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ આ અંગેની જાહેરાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ભરૂચ લોકસભાના એક એક ગામમાં જઈને ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવા માટે મહેનત કરવાની શરૂઆત કરવામાં આવશે.

ચૈતર વસાવા અંગે ગોપાલ ઈટાલિયાએ કહી આ વાત

આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવશે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે સર્વનું માનવું છે કે માત્ર પોલીસ અને કોર્ટ કચેરીથી ન્યાયના ભરોષે બેસી રહેવાય તેમ નથી. માટે ચૈતર વસાવાને સાંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.  


ચૈતર વસાવાને સાંસદ બનાવા કરાઈ જાહેરાત!  

વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. જેના વિરૂદ્ધમાં આમ આદમી પાર્ટીએ આ અત્યાચારના જવાબમાં એ નિર્ણય લીધો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવાને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવવામાં આવશે. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.