જનતા વતી જમાવટે અમદાવાદ પૂર્વના ઉમેદવારોને પૂછ્યો સવાલ, તેમની પાસેથી સાંભળો તમારા માટે શું કામ કરશે આગામી પાંચ વર્ષ દરમિયાન?


  • Published By :
  • Published Date : 2024-04-24 15:49:00

લોકસભા ચૂંટણીનો  માહોલ ગુજરાતમાં બની રહ્યો છે.. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે.. પોતાના પક્ષ તરફ મતદાતાઓને આકર્ષવા માટે અનેક વચનો આપવામાં આવશે,, વાયદાઓ કરવામાં આવશે કે જો અમારી પાર્ટી સત્તામાં આવી તો અમે આમ કરીશું વગેરે વગેરે... પ્રચાર દરમિયાન વિપક્ષ પર પણ પ્રહાર કરાશે.. ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે પરંતુ એવા મુદ્દાઓની વાત નથી કરવામાં આવતી જેની સીધી અસર મતદારના જીવન પર પડતી હોય છે....

જમાવટની એક નવી પહેલ 

મત આપવા જતા મતદાતાના મનમાં પ્રશ્ન હોય છે કે આગમી વર્ષોમાં તેમના વિસ્તારમાં કયા કામો કરવામાં આવશે... ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધશે તે જાણવા માટે ગુજરાત લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન જમાવટની ટીમ દ્વારા કરવામાં આવ્યો.. અમદાવાદ પૂર્વના ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારને ફોન કર્યો અને જાણવાની કોશિશ કરી કે જો તે સાંસદ બની જાય છે તો પોતાના મતવિસ્તારનો વિકાસ કરવા કયા કામો કરશે.. અમદાવાદ પૂર્વ પર ભાજપે હસમુખ પટેલને જ્યારે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકીટ આપી.. 


આ વિઝન સાથે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર  લડશે ચૂંટણી! 

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હિંમતસિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે આગામી પાંચ વર્ષમાં કયા વિઝન સાથે તે આગળ વધશે તો તેમણે જણાવ્યું તેમના મતવિસ્તારમાં ભિન્ન ભિન્ન વ્યવસાય ધરાવતા લોકો વસે છે... લોકોને સારવાર મળી શકે તેવી કોઈ સરકારી હોસ્પિટલ નથી બની.. તેમણે વાત કરતી વખતે ભાજપ કેટલા વર્ષોથી શાસનમાં છે તેની વાત કરી હતી. તે ઉપરાંત સરકારી શાળા, કોલેજની પણ વાત કરી હતી. પૂર્વ વિસ્તારમાં રોજગારી ઉભી થાય તે માટે વ્યવસ્થા કરશે તેવી વાત કરી હતી.


શું છે ભાજપના ઉમેદવારનું વિઝન?

મેડિકલ કોલેજ બને, બધી જ શાળાઓ સ્માર્ટ શાળામાં પરિવર્તિત થાય એ દિશામાં મારા પ્રયત્નો છે. યુવાનોને રોજગારી મળે તે દિશમાં તે કામ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે...  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.