જનતા વતી જમાવટે અમદાવાદ પૂર્વના ઉમેદવારોને પૂછ્યો સવાલ, તેમની પાસેથી સાંભળો તમારા માટે શું કામ કરશે આગામી પાંચ વર્ષ દરમિયાન?


  • Published By :
  • Published Date : 2024-04-24 15:49:00

લોકસભા ચૂંટણીનો  માહોલ ગુજરાતમાં બની રહ્યો છે.. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે.. પોતાના પક્ષ તરફ મતદાતાઓને આકર્ષવા માટે અનેક વચનો આપવામાં આવશે,, વાયદાઓ કરવામાં આવશે કે જો અમારી પાર્ટી સત્તામાં આવી તો અમે આમ કરીશું વગેરે વગેરે... પ્રચાર દરમિયાન વિપક્ષ પર પણ પ્રહાર કરાશે.. ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે પરંતુ એવા મુદ્દાઓની વાત નથી કરવામાં આવતી જેની સીધી અસર મતદારના જીવન પર પડતી હોય છે....

જમાવટની એક નવી પહેલ 

મત આપવા જતા મતદાતાના મનમાં પ્રશ્ન હોય છે કે આગમી વર્ષોમાં તેમના વિસ્તારમાં કયા કામો કરવામાં આવશે... ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધશે તે જાણવા માટે ગુજરાત લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન જમાવટની ટીમ દ્વારા કરવામાં આવ્યો.. અમદાવાદ પૂર્વના ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારને ફોન કર્યો અને જાણવાની કોશિશ કરી કે જો તે સાંસદ બની જાય છે તો પોતાના મતવિસ્તારનો વિકાસ કરવા કયા કામો કરશે.. અમદાવાદ પૂર્વ પર ભાજપે હસમુખ પટેલને જ્યારે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકીટ આપી.. 


આ વિઝન સાથે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર  લડશે ચૂંટણી! 

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હિંમતસિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે આગામી પાંચ વર્ષમાં કયા વિઝન સાથે તે આગળ વધશે તો તેમણે જણાવ્યું તેમના મતવિસ્તારમાં ભિન્ન ભિન્ન વ્યવસાય ધરાવતા લોકો વસે છે... લોકોને સારવાર મળી શકે તેવી કોઈ સરકારી હોસ્પિટલ નથી બની.. તેમણે વાત કરતી વખતે ભાજપ કેટલા વર્ષોથી શાસનમાં છે તેની વાત કરી હતી. તે ઉપરાંત સરકારી શાળા, કોલેજની પણ વાત કરી હતી. પૂર્વ વિસ્તારમાં રોજગારી ઉભી થાય તે માટે વ્યવસ્થા કરશે તેવી વાત કરી હતી.


શું છે ભાજપના ઉમેદવારનું વિઝન?

મેડિકલ કોલેજ બને, બધી જ શાળાઓ સ્માર્ટ શાળામાં પરિવર્તિત થાય એ દિશામાં મારા પ્રયત્નો છે. યુવાનોને રોજગારી મળે તે દિશમાં તે કામ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે...  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.