જનતા વતી Jamawatએ કરી Banaskanthaના ઉમેદવારો સાથે વાત, Genibenએ કહ્યું હું જનતા માટે આટલા કામો કરીશ જ્યારે રેખાબેન પ્રચારમાં વ્યસ્ત!


  • Published By : Admin
  • Published Date : 2024-05-01 21:53:05

ગુજરાતમાં મતદાનને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે.. ગુજરાતમાં પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે.. દિગ્ગજ નેતાઓ રેલી કરી ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે... મતદાતાને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવશે. અનેક મતદાતા પાર્ટીને જોઈ મતદાન કરતા હોય છે અને અનેક લોકો ઉમેદવારને જોઈ... જનતાને એ જાણવાની ઈચ્છા હોય છે કે તેમના વિસ્તારના ઉમેદવાર આગામી પાંચ વર્ષમાં કયા કામો કરશે... ત્યારે જનતા વતી જમાવટની ટીમ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કરે છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે તે ઉમેદવારનું વિઝન શું છે?

ભાજપના ઉમેદવાર સાથે વાત ના થઈ શકી કારણ કે... 

બનાસકાંઠા લોકસભા સીટ સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે.. ભાજપે ડો. રેખા ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને  ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કર્યો હતો તેમના વિઝનને જાણવા.. રેખાબેન ચૌધરીનું વિઝન જાણવા માટે અનેક વખત ફોન કર્યા પરંતુ તે પ્રચારમાં વ્યસ્ત હતા.. તેમની સાથે વાત ના થઈ શકી.. જ્યારે જ્યારે રેખાબેનનો કોન્ટેક કરવાની કોશિશ કરી ત્યારે તેમના પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું કે બેન બિઝી છે... જો કે ચૂંટણીના પ્રચાર વચ્ચે અનેક નેતાઓ સાથે સંપર્ક નથી થઈ શક્યો


જો ગેનીબેન જીતશે તો આગામી પાંચ વર્ષમાં કરશે આ કામ!

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે સાંસદ બને છે તો તે કયા કામો કરશે તો તેમણે કહ્યું કે સમગ્ર દેશની અંદર ખેડૂતોને એમએસપીના ભાવ મળે.. શિક્ષણની યોજનાઓ, હેલ્થની યોજનાને લઈ વાત કરી હતી, રોજગારીની તકો યુવાનોને મળે તે માટે તે કામ કરશે... મહત્વનું છે કે આ એક બેઠક એવી છે જેની ચર્ચા ખૂબ થાય છે.. બંને રાજકીય પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કઈ મહિલાને સંસદ પહોંચાડે છે?  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.