જનતા વતી Jamawatએ કરી Banaskanthaના ઉમેદવારો સાથે વાત, Genibenએ કહ્યું હું જનતા માટે આટલા કામો કરીશ જ્યારે રેખાબેન પ્રચારમાં વ્યસ્ત!


  • Published By : Admin
  • Published Date : 2024-05-01 21:53:05

ગુજરાતમાં મતદાનને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે.. ગુજરાતમાં પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે.. દિગ્ગજ નેતાઓ રેલી કરી ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે... મતદાતાને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવશે. અનેક મતદાતા પાર્ટીને જોઈ મતદાન કરતા હોય છે અને અનેક લોકો ઉમેદવારને જોઈ... જનતાને એ જાણવાની ઈચ્છા હોય છે કે તેમના વિસ્તારના ઉમેદવાર આગામી પાંચ વર્ષમાં કયા કામો કરશે... ત્યારે જનતા વતી જમાવટની ટીમ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કરે છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે તે ઉમેદવારનું વિઝન શું છે?

ભાજપના ઉમેદવાર સાથે વાત ના થઈ શકી કારણ કે... 

બનાસકાંઠા લોકસભા સીટ સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે.. ભાજપે ડો. રેખા ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને  ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કર્યો હતો તેમના વિઝનને જાણવા.. રેખાબેન ચૌધરીનું વિઝન જાણવા માટે અનેક વખત ફોન કર્યા પરંતુ તે પ્રચારમાં વ્યસ્ત હતા.. તેમની સાથે વાત ના થઈ શકી.. જ્યારે જ્યારે રેખાબેનનો કોન્ટેક કરવાની કોશિશ કરી ત્યારે તેમના પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું કે બેન બિઝી છે... જો કે ચૂંટણીના પ્રચાર વચ્ચે અનેક નેતાઓ સાથે સંપર્ક નથી થઈ શક્યો


જો ગેનીબેન જીતશે તો આગામી પાંચ વર્ષમાં કરશે આ કામ!

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે સાંસદ બને છે તો તે કયા કામો કરશે તો તેમણે કહ્યું કે સમગ્ર દેશની અંદર ખેડૂતોને એમએસપીના ભાવ મળે.. શિક્ષણની યોજનાઓ, હેલ્થની યોજનાને લઈ વાત કરી હતી, રોજગારીની તકો યુવાનોને મળે તે માટે તે કામ કરશે... મહત્વનું છે કે આ એક બેઠક એવી છે જેની ચર્ચા ખૂબ થાય છે.. બંને રાજકીય પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કઈ મહિલાને સંસદ પહોંચાડે છે?  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.