જનતા વતી Jamawatએ કરી Banaskanthaના ઉમેદવારો સાથે વાત, Genibenએ કહ્યું હું જનતા માટે આટલા કામો કરીશ જ્યારે રેખાબેન પ્રચારમાં વ્યસ્ત!


  • Published By : Admin
  • Published Date : 2024-05-01 21:53:05

ગુજરાતમાં મતદાનને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે.. ગુજરાતમાં પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે.. દિગ્ગજ નેતાઓ રેલી કરી ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે... મતદાતાને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવશે. અનેક મતદાતા પાર્ટીને જોઈ મતદાન કરતા હોય છે અને અનેક લોકો ઉમેદવારને જોઈ... જનતાને એ જાણવાની ઈચ્છા હોય છે કે તેમના વિસ્તારના ઉમેદવાર આગામી પાંચ વર્ષમાં કયા કામો કરશે... ત્યારે જનતા વતી જમાવટની ટીમ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કરે છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે તે ઉમેદવારનું વિઝન શું છે?

ભાજપના ઉમેદવાર સાથે વાત ના થઈ શકી કારણ કે... 

બનાસકાંઠા લોકસભા સીટ સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે.. ભાજપે ડો. રેખા ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને  ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કર્યો હતો તેમના વિઝનને જાણવા.. રેખાબેન ચૌધરીનું વિઝન જાણવા માટે અનેક વખત ફોન કર્યા પરંતુ તે પ્રચારમાં વ્યસ્ત હતા.. તેમની સાથે વાત ના થઈ શકી.. જ્યારે જ્યારે રેખાબેનનો કોન્ટેક કરવાની કોશિશ કરી ત્યારે તેમના પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું કે બેન બિઝી છે... જો કે ચૂંટણીના પ્રચાર વચ્ચે અનેક નેતાઓ સાથે સંપર્ક નથી થઈ શક્યો


જો ગેનીબેન જીતશે તો આગામી પાંચ વર્ષમાં કરશે આ કામ!

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે સાંસદ બને છે તો તે કયા કામો કરશે તો તેમણે કહ્યું કે સમગ્ર દેશની અંદર ખેડૂતોને એમએસપીના ભાવ મળે.. શિક્ષણની યોજનાઓ, હેલ્થની યોજનાને લઈ વાત કરી હતી, રોજગારીની તકો યુવાનોને મળે તે માટે તે કામ કરશે... મહત્વનું છે કે આ એક બેઠક એવી છે જેની ચર્ચા ખૂબ થાય છે.. બંને રાજકીય પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કઈ મહિલાને સંસદ પહોંચાડે છે?  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે