ધનતેરસે સોનું દેનાર જ લૂંટાયો , અમદાવાદ જ્વેલરી શો રૂમમાં સોનું ચોરાયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 15:54:38


અમદાવાદમાં ધનતેરસની રાતે સોનાની દુકાનમાં જ કારીગરોએ શેઠને બંધ કરીને દુકાનમાંથી 3 કિલો સોનાની લૂંટને અંજામ આપ્યો હતો. દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ દુકાને પહોંચી હતી, ત્યારે બહારથી દાગીનાની લૂંટ કરી કારીગરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


રાતે ચોરીને અંજામ આપ્યો ?

મોટેરા ગામમાં આવેલી અંજલી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈકાલે ધનતેરસ હોવાથી રાત સુધી ગ્રાહકોની અવરજવર હતી, જે પૂરી થતાં રાતના 2 વાગે દુકાન મલિક મહેશ શાહ અને દુકાનના કારીગર સુરેન્દ્રસિંહ ઝાલા અને ચિરાગ બારોટ બધો સામાન સરખો મૂકી રહ્યા હતા. દુકાન માલિક મહેશ શાહ સ્ટ્રોંગ રૂમમાં દાગીના અને કેસ મૂકવા જતા હતા.


પોલીસે દુકાનદારને બહાર કાઢ્યા !!!

શેઠ જ્યારે દુકાનમાં ફસાયા ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી. શેઠને બંધ કરીને દુકાનમાં પડેલા સોનાના 3 કિલો દાગીનાની બંને કારીગરોએ લૂંટ કરી દીધી હતી. દુકાનના માલિક રૂમમાં બંધ હતા, જેથી તેમણે પોલીસને ફોન કર્યો હતો. પોલીસ આવી ત્યારે લૂંટ થઈ ચૂકી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને દુકાન માલિકને રૂમમાંથી બહાર કાઢ્યા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.