ધનતેરસે સોનું દેનાર જ લૂંટાયો , અમદાવાદ જ્વેલરી શો રૂમમાં સોનું ચોરાયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 15:54:38


અમદાવાદમાં ધનતેરસની રાતે સોનાની દુકાનમાં જ કારીગરોએ શેઠને બંધ કરીને દુકાનમાંથી 3 કિલો સોનાની લૂંટને અંજામ આપ્યો હતો. દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ દુકાને પહોંચી હતી, ત્યારે બહારથી દાગીનાની લૂંટ કરી કારીગરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


રાતે ચોરીને અંજામ આપ્યો ?

મોટેરા ગામમાં આવેલી અંજલી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈકાલે ધનતેરસ હોવાથી રાત સુધી ગ્રાહકોની અવરજવર હતી, જે પૂરી થતાં રાતના 2 વાગે દુકાન મલિક મહેશ શાહ અને દુકાનના કારીગર સુરેન્દ્રસિંહ ઝાલા અને ચિરાગ બારોટ બધો સામાન સરખો મૂકી રહ્યા હતા. દુકાન માલિક મહેશ શાહ સ્ટ્રોંગ રૂમમાં દાગીના અને કેસ મૂકવા જતા હતા.


પોલીસે દુકાનદારને બહાર કાઢ્યા !!!

શેઠ જ્યારે દુકાનમાં ફસાયા ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી. શેઠને બંધ કરીને દુકાનમાં પડેલા સોનાના 3 કિલો દાગીનાની બંને કારીગરોએ લૂંટ કરી દીધી હતી. દુકાનના માલિક રૂમમાં બંધ હતા, જેથી તેમણે પોલીસને ફોન કર્યો હતો. પોલીસ આવી ત્યારે લૂંટ થઈ ચૂકી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને દુકાન માલિકને રૂમમાંથી બહાર કાઢ્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.