દિવાળીમાં રાશનધારકોને વધારાનું 1 કિલો ખાંડ અને 1 લિટર તેલ અપાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 18:29:05

દિવાળી નજીક છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે. કેજરીવાલની રેવડી અને ગેરંટીઓની બોલબાલા છે તેની વચ્ચે ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે રાશનધારકોને વધારાની એક કિલો ખાંડ અને એક લિટર તેલ રાહતદરે આપવામાં આવશે. 


આ રાહત દર કેટલો રહેશે?

દિવાળી નજીક જ છે ત્યારે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે અંત્યોદય અને બીપીએલ એમ 32 લાખ લોકોને રાહત દરે 1 કિલો ખાંડ મળશે. 15 અને 22 રૂપિયાના દરે 1 કિલો ખાંડ આપવામાં આવશે. જ્યારે 100 રૂપિયાના દરે 1 લીટર સિંગતેલ આપવામાં આવશે. આ નિર્ણયનો લાભ ગુજરાતના 71 લાખ જેટલા લોકોને મળશે. 


કેન્દ્ર સરકાર વિનામૂલ્યે આપી રહી છે રાશન

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ડિસેમ્બર સુધી 71 લાખ રાશનકાર્ડ ધારકોને 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા વિનામૂલ્યે વિતરણ કરી રહ્યું છે. જ્યારે રાહત દરે વિતરણ અને વિનામૂલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે. 

  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"