દિવાળીમાં રાશનધારકોને વધારાનું 1 કિલો ખાંડ અને 1 લિટર તેલ અપાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 18:29:05

દિવાળી નજીક છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે. કેજરીવાલની રેવડી અને ગેરંટીઓની બોલબાલા છે તેની વચ્ચે ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે રાશનધારકોને વધારાની એક કિલો ખાંડ અને એક લિટર તેલ રાહતદરે આપવામાં આવશે. 


આ રાહત દર કેટલો રહેશે?

દિવાળી નજીક જ છે ત્યારે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે અંત્યોદય અને બીપીએલ એમ 32 લાખ લોકોને રાહત દરે 1 કિલો ખાંડ મળશે. 15 અને 22 રૂપિયાના દરે 1 કિલો ખાંડ આપવામાં આવશે. જ્યારે 100 રૂપિયાના દરે 1 લીટર સિંગતેલ આપવામાં આવશે. આ નિર્ણયનો લાભ ગુજરાતના 71 લાખ જેટલા લોકોને મળશે. 


કેન્દ્ર સરકાર વિનામૂલ્યે આપી રહી છે રાશન

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ડિસેમ્બર સુધી 71 લાખ રાશનકાર્ડ ધારકોને 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા વિનામૂલ્યે વિતરણ કરી રહ્યું છે. જ્યારે રાહત દરે વિતરણ અને વિનામૂલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે. 

  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે