ગુજરાત સ્થાપના દિવસ પર જાણો એ આંદોલન વિશે જેને કારણે મહાગુજરાતમાં સ્થાપના થઈ બે રાજ્યોની! જાણો કોણે કરી ગુજરાત રાજ્યની સ્થાપના!


  • Published By :
  • Published Date : 2023-05-01 13:07:42

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. પહેલી મે 1960ના રોજ મહાગુજરાતમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની સ્થાપના દિવસ પર વાત કરવી છે મહાગુજરાત આંદોલનની. ગુજરાતની માગ માટે છોકરાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓ મહાગુજરાત આંદોલન પણ કરી શકે છે અને નવ નિર્માણ આંદોલનન પણ કરી શકે છે.     


ગુજરાત રાજ્ય સ્થાપવા માટે ચાલ્યું મહાગુજરાત આંદોલન! 

મહાગુજરાતમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવા માટે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. રાજ્યો અલગ કરવા માટે મહાગુજરાત આંદોલન 1956થી 1960 સુધી ચાલ્યું. જેમાં અનેક લોકો શહીદ થયા.. આપણે દિવસની ઉજવણી તો કરતા હોઈએ છીએ, વ્હોટસઅપ સ્ટેટસ પણ રાખી દઈએ છીએ કે ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પરંતુ તેની સાથે જોડાયેલા ઈતિહાસ વિશે આપણને જાણકારી છે ખરી? આપણે એ ઈતિહાસને પણ ભૂલવો ના જોઈએ જ્યારે એ જ ગુજરાત માટે વિદ્યાર્થીઓએ બંદુક સામે પોતાની છાતી ધરી દીધી હતી....


અલગ રાજ્ય સ્થાપવા માટે વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન!

આ આંદોલનને એટલા માટે પણ યાદ કરવું છે કારણ કે ભારતની આઝાદી પછી મહાગુજરાત આંદોલન ગુજરાતનું સૌથી મોટું આંદોલન હતું. જ્યારે આપણો દેશ બ્રિટિશરોની ગુલામી હેઠળ હતો ત્યારે અત્યારનો પશ્ચિમનો ભાગ બોમ્બે પ્રેસિડન્સી કહેવાતો હતો. આઝાદી પછી 6 ઓગસ્ટ 1956ના દિવસે મુંબઈ રાજ્યની સ્થાપના થઈ. જેમાં બે ભાષા બોલાતી હતી એક હતી મરાઠી અને બીજી હતી ગુજરાતી. ગુજરાતની ગુજરાતી પ્રજાને અલગ રાજ્ય ના મળતા તેમને આઘાત લાગ્યો હતો... જો કે મહારાષ્ટ્રની પરિસ્થિતિ પણ એવી હતી કારણ કે તેમને પણ મરાઠી ભાષા માટેનું અલગ રાજ્ય જોઈતું હતું. ત્યાં પણ આંદોલનો થયા હતા.. 


ઈન્દુલાલ યાજ્ઞિકે આંદોલનનો સંભાળ્યો મોરચો!

રાજ્ય સ્થાપનાના ઠીક એક દિવસ બાદ એટલે કે 7 ઓગસ્ટ 1956ના દિવસે છોકરાઓ કોંગ્રેસના ઠાકોર ભાઈ દેસાઈને મળ્યા... ઠાકોરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ ના આપ્યો અને તેના કારણે જ હડતાળનું એલાન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરના એલિસબ્રિજ ખાતે વિદ્યાર્થીઓનું 'લે કે રહેંગે મહાગુજરાત'ના નારા સાથે મોટું સરઘસ નિકળ્યું...તેના એક દિવસ પછી એટલે કે 8 ઓગસ્ટે અમદાવાદના ભદ્ર કિલ્લા પાસે છોકરાઓએ વિરોધ કર્યો... વિદ્યાર્થીઓનો વિરોધ હતો કોંગ્રેસ ભવન સામે... વિરોધ મોટા પાયે થઈ ગયો હતો... આંદોલને એટલું વિકરાળ સ્વરુપ લઈ લીધું હતું કે પોલેસે વિદ્યાર્થીઓ પર ગોળીઓનો મારો ચલાવ્યો... જેમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા... આ સમયે ઈન્દુચાચા નિવૃત હતા પણ માગને જોતા ઈન્દુલાલ યાજ્ઞિકેએ મહાગુજરાત આંદોલનની બાગડોર પોતાના હાથમાં લીધી. 


પહેલી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની થઈ સ્થાપના!

ઈન્દુચાચાની આગેવાનીથી ગુજરાતના લોકોને એક શક્તિ મળી...ગુજરાતના અનેક જગ્યા પર આંદોલનો થયા જેમાં 20થી વધુ યુવાનોએ જીવ ગુમાવ્યા. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાળા રાજ્યોની રચના કરવા માટે સહેમત થયા... આખરે પહેલી મે 1960ના દિવસે મહાગુજરાત આંદોલન સફળ નિવળ્યું અને બોમ્બે પ્રેસિડન્સીમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા...


રવિશંકર મહારાજે કરી ગુજરાત રાજ્યની સ્થાપના!

મહારાજના નામે જાણીતા રવિશંકર વ્યાસ એટલે કે રવિશંકર મહારાજે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યની સ્થાપના કરી... ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે....આંદોલનના મુખ્ય ચહેરાઓને યાદ કરીએ તો નેતા તરીકે ઈન્દુલાલ યાજ્ઞિક હતા ત્યાર બાદ... સનત મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા, અશોક ભટ્ટ, બુદ્ધિબેન ધ્રુવ, રવિશંકર મહારાજ, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવલ, હરિહર ખંભોળજા, દિનકર અમીન, રમણિકલાલ મણિયાર, રણજીતરાય શાસ્ત્રી, માર્કંડ શાસ્ત્રી હતા. ત્યારે જમાવટ પરિવાર તરફથી તમામ દર્શકોને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.