ગુજરાત સ્થાપના દિવસ પર જાણો એ આંદોલન વિશે જેને કારણે મહાગુજરાતમાં સ્થાપના થઈ બે રાજ્યોની! જાણો કોણે કરી ગુજરાત રાજ્યની સ્થાપના!


  • Published By :
  • Published Date : 2023-05-01 13:07:42

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. પહેલી મે 1960ના રોજ મહાગુજરાતમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની સ્થાપના દિવસ પર વાત કરવી છે મહાગુજરાત આંદોલનની. ગુજરાતની માગ માટે છોકરાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓ મહાગુજરાત આંદોલન પણ કરી શકે છે અને નવ નિર્માણ આંદોલનન પણ કરી શકે છે.     


ગુજરાત રાજ્ય સ્થાપવા માટે ચાલ્યું મહાગુજરાત આંદોલન! 

મહાગુજરાતમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવા માટે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. રાજ્યો અલગ કરવા માટે મહાગુજરાત આંદોલન 1956થી 1960 સુધી ચાલ્યું. જેમાં અનેક લોકો શહીદ થયા.. આપણે દિવસની ઉજવણી તો કરતા હોઈએ છીએ, વ્હોટસઅપ સ્ટેટસ પણ રાખી દઈએ છીએ કે ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પરંતુ તેની સાથે જોડાયેલા ઈતિહાસ વિશે આપણને જાણકારી છે ખરી? આપણે એ ઈતિહાસને પણ ભૂલવો ના જોઈએ જ્યારે એ જ ગુજરાત માટે વિદ્યાર્થીઓએ બંદુક સામે પોતાની છાતી ધરી દીધી હતી....


અલગ રાજ્ય સ્થાપવા માટે વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન!

આ આંદોલનને એટલા માટે પણ યાદ કરવું છે કારણ કે ભારતની આઝાદી પછી મહાગુજરાત આંદોલન ગુજરાતનું સૌથી મોટું આંદોલન હતું. જ્યારે આપણો દેશ બ્રિટિશરોની ગુલામી હેઠળ હતો ત્યારે અત્યારનો પશ્ચિમનો ભાગ બોમ્બે પ્રેસિડન્સી કહેવાતો હતો. આઝાદી પછી 6 ઓગસ્ટ 1956ના દિવસે મુંબઈ રાજ્યની સ્થાપના થઈ. જેમાં બે ભાષા બોલાતી હતી એક હતી મરાઠી અને બીજી હતી ગુજરાતી. ગુજરાતની ગુજરાતી પ્રજાને અલગ રાજ્ય ના મળતા તેમને આઘાત લાગ્યો હતો... જો કે મહારાષ્ટ્રની પરિસ્થિતિ પણ એવી હતી કારણ કે તેમને પણ મરાઠી ભાષા માટેનું અલગ રાજ્ય જોઈતું હતું. ત્યાં પણ આંદોલનો થયા હતા.. 


ઈન્દુલાલ યાજ્ઞિકે આંદોલનનો સંભાળ્યો મોરચો!

રાજ્ય સ્થાપનાના ઠીક એક દિવસ બાદ એટલે કે 7 ઓગસ્ટ 1956ના દિવસે છોકરાઓ કોંગ્રેસના ઠાકોર ભાઈ દેસાઈને મળ્યા... ઠાકોરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ ના આપ્યો અને તેના કારણે જ હડતાળનું એલાન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરના એલિસબ્રિજ ખાતે વિદ્યાર્થીઓનું 'લે કે રહેંગે મહાગુજરાત'ના નારા સાથે મોટું સરઘસ નિકળ્યું...તેના એક દિવસ પછી એટલે કે 8 ઓગસ્ટે અમદાવાદના ભદ્ર કિલ્લા પાસે છોકરાઓએ વિરોધ કર્યો... વિદ્યાર્થીઓનો વિરોધ હતો કોંગ્રેસ ભવન સામે... વિરોધ મોટા પાયે થઈ ગયો હતો... આંદોલને એટલું વિકરાળ સ્વરુપ લઈ લીધું હતું કે પોલેસે વિદ્યાર્થીઓ પર ગોળીઓનો મારો ચલાવ્યો... જેમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા... આ સમયે ઈન્દુચાચા નિવૃત હતા પણ માગને જોતા ઈન્દુલાલ યાજ્ઞિકેએ મહાગુજરાત આંદોલનની બાગડોર પોતાના હાથમાં લીધી. 


પહેલી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની થઈ સ્થાપના!

ઈન્દુચાચાની આગેવાનીથી ગુજરાતના લોકોને એક શક્તિ મળી...ગુજરાતના અનેક જગ્યા પર આંદોલનો થયા જેમાં 20થી વધુ યુવાનોએ જીવ ગુમાવ્યા. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાળા રાજ્યોની રચના કરવા માટે સહેમત થયા... આખરે પહેલી મે 1960ના દિવસે મહાગુજરાત આંદોલન સફળ નિવળ્યું અને બોમ્બે પ્રેસિડન્સીમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા...


રવિશંકર મહારાજે કરી ગુજરાત રાજ્યની સ્થાપના!

મહારાજના નામે જાણીતા રવિશંકર વ્યાસ એટલે કે રવિશંકર મહારાજે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યની સ્થાપના કરી... ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે....આંદોલનના મુખ્ય ચહેરાઓને યાદ કરીએ તો નેતા તરીકે ઈન્દુલાલ યાજ્ઞિક હતા ત્યાર બાદ... સનત મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા, અશોક ભટ્ટ, બુદ્ધિબેન ધ્રુવ, રવિશંકર મહારાજ, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવલ, હરિહર ખંભોળજા, દિનકર અમીન, રમણિકલાલ મણિયાર, રણજીતરાય શાસ્ત્રી, માર્કંડ શાસ્ત્રી હતા. ત્યારે જમાવટ પરિવાર તરફથી તમામ દર્શકોને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .