રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 1307 કરોડનું દેવું, શહેરની પાણીની દૈનિક માંગ 40 કરોડ લીટરથી વધુ


  • Published By :
  • Published Date : 2023-12-22 15:37:04

રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો જબરદસ્ત ખોટ કરી રહી છે, રાજકોટ મહાનગરપાલિકા પર તો કરોડો રૂપિયાનું દેવું હોવાનું દેવું હોવાનું સામે આવ્યું છે.  રાજકોટના મેયર  નયના પેઢડીયાએ દેવા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 1307 કરોડ રુપિયાનું દેવુ છે. પાણી ચાર્જ પેટે સરકારના વિવિધ વિભાગોનું રૂ. 1307 કરોડનું દેવું ચડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. 


 દૈનિક 40 કરોડ લીટર પાણીની માગ 


રાજકોટના મેયર નયના પેઢડિયાએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટર કરતા પણ વધારે છે. સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધી દેવા રકમ રૂ.1307 કરોડ પહોંચી છે. તેમના જણાવ્યા મુજબ સૌની યોજનાના 153 કરોડ, નર્મદા નીરના 770.81 કરોડ તથા સિંચાઈ વિભાગના 373.27 કરોડ રૂપિયા બાકી છે. રાજકોટની જનતાને પાણી અંગે સમસ્યા ઉભી ન થાય તે માટે પાણીની માગ કરવામાં આવી છે. રાજકોટ  મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 45 વર્ષથી નવા જળસ્ત્રોત ન હોવાથી અન્ય યોજનાઓ પર આધાર રાખવો પડે છે. અગાઉની જેમ આ વખતે પણ રીતે દેવુ માફ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરીશું, હાલ પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.