રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 1307 કરોડનું દેવું, શહેરની પાણીની દૈનિક માંગ 40 કરોડ લીટરથી વધુ


  • Published By :
  • Published Date : 2023-12-22 15:37:04

રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો જબરદસ્ત ખોટ કરી રહી છે, રાજકોટ મહાનગરપાલિકા પર તો કરોડો રૂપિયાનું દેવું હોવાનું દેવું હોવાનું સામે આવ્યું છે.  રાજકોટના મેયર  નયના પેઢડીયાએ દેવા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 1307 કરોડ રુપિયાનું દેવુ છે. પાણી ચાર્જ પેટે સરકારના વિવિધ વિભાગોનું રૂ. 1307 કરોડનું દેવું ચડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. 


 દૈનિક 40 કરોડ લીટર પાણીની માગ 


રાજકોટના મેયર નયના પેઢડિયાએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટર કરતા પણ વધારે છે. સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધી દેવા રકમ રૂ.1307 કરોડ પહોંચી છે. તેમના જણાવ્યા મુજબ સૌની યોજનાના 153 કરોડ, નર્મદા નીરના 770.81 કરોડ તથા સિંચાઈ વિભાગના 373.27 કરોડ રૂપિયા બાકી છે. રાજકોટની જનતાને પાણી અંગે સમસ્યા ઉભી ન થાય તે માટે પાણીની માગ કરવામાં આવી છે. રાજકોટ  મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 45 વર્ષથી નવા જળસ્ત્રોત ન હોવાથી અન્ય યોજનાઓ પર આધાર રાખવો પડે છે. અગાઉની જેમ આ વખતે પણ રીતે દેવુ માફ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરીશું, હાલ પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.