મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને પૂછ્યા 9 સવાલ! મોદી સરકારના કાર્યકાળની કોંગ્રેસે ગણાવી ખામીઓ.. અદાણીને લઈ પણ પૂછ્યા પ્રશ્ન.


  • Published By :
  • Published Date : 2023-05-26 16:57:13

9 વર્ષ પહેલા ભાજપ પાર્ટી સત્તા પર આવી હતી. આજે સત્તા પર આવે ભાજપને 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કોંગ્રેસે ભાજપને અને પીએમ મોદીને 9 સવાલ પૂછ્યા છે. જયરામ રમેશે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 9 પ્રશ્નો પૂછવા માગે છે. 9 સવાલ માટે એક ડોક્યુમેન્ટરી બહાર પાડવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ ઈકોનોમીને લઈ, કૃષિ અને ખેડૂતોને લઈ, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સહિતના અનેક મુદ્દાઓને લઈ ભાજપ સરકારને પ્રશ્ન પૂછ્યા છે. અમારી પાર્ટી પીએમ મોદીને સવાલ પૂછવા માગે છે અને જાણવા માગે છે કે પીએમ મોદી આ પ્રશ્નોના જવાબ ક્યારે આપશે?

            

કોંગ્રેસે ભાજપને પૂછ્યા 9 પ્રશ્નો! 

ભાજપ જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી કોંગ્રેસ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર નિશાન સાધતું આવ્યું છે. કોંગ્રેસ દ્વારા અનેક વખત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યારે આજે ભાજપને સત્તા પર આવે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને 9 પ્રશ્નો પૂછ્યા છે. અદાણી મુદ્દે કોંગ્રેસે અનેક વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે આ 9 પ્રશ્નોમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સિવાય દેશમાં વધતી મોંઘવારી, ખેડૂતોને પડતી મુશ્કેલી, જનકલ્યાણની યોજનાઓને લઈ પ્રશ્નો પૂછ્યા હતા. ચીનને લઈને પણ કોંગ્રેસ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.


વીડિયો પણ કર્યો શેર!

કોંગ્રેસ દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બહાર પાડવામાં આવી છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે નાકામીના 9 વર્ષ. કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત આવા પ્રશ્નો ઉઠાવ્યા છે. પરંતુ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. પીએમ મોદી 9 પ્રશ્નોના જવાબ આપી પોતાનું મૌન તોડે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.