મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને પૂછ્યા 9 સવાલ! મોદી સરકારના કાર્યકાળની કોંગ્રેસે ગણાવી ખામીઓ.. અદાણીને લઈ પણ પૂછ્યા પ્રશ્ન.


  • Published By :
  • Published Date : 2023-05-26 16:57:13

9 વર્ષ પહેલા ભાજપ પાર્ટી સત્તા પર આવી હતી. આજે સત્તા પર આવે ભાજપને 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કોંગ્રેસે ભાજપને અને પીએમ મોદીને 9 સવાલ પૂછ્યા છે. જયરામ રમેશે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 9 પ્રશ્નો પૂછવા માગે છે. 9 સવાલ માટે એક ડોક્યુમેન્ટરી બહાર પાડવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ ઈકોનોમીને લઈ, કૃષિ અને ખેડૂતોને લઈ, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સહિતના અનેક મુદ્દાઓને લઈ ભાજપ સરકારને પ્રશ્ન પૂછ્યા છે. અમારી પાર્ટી પીએમ મોદીને સવાલ પૂછવા માગે છે અને જાણવા માગે છે કે પીએમ મોદી આ પ્રશ્નોના જવાબ ક્યારે આપશે?

            

કોંગ્રેસે ભાજપને પૂછ્યા 9 પ્રશ્નો! 

ભાજપ જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી કોંગ્રેસ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર નિશાન સાધતું આવ્યું છે. કોંગ્રેસ દ્વારા અનેક વખત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યારે આજે ભાજપને સત્તા પર આવે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને 9 પ્રશ્નો પૂછ્યા છે. અદાણી મુદ્દે કોંગ્રેસે અનેક વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે આ 9 પ્રશ્નોમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સિવાય દેશમાં વધતી મોંઘવારી, ખેડૂતોને પડતી મુશ્કેલી, જનકલ્યાણની યોજનાઓને લઈ પ્રશ્નો પૂછ્યા હતા. ચીનને લઈને પણ કોંગ્રેસ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.


વીડિયો પણ કર્યો શેર!

કોંગ્રેસ દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બહાર પાડવામાં આવી છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે નાકામીના 9 વર્ષ. કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત આવા પ્રશ્નો ઉઠાવ્યા છે. પરંતુ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. પીએમ મોદી 9 પ્રશ્નોના જવાબ આપી પોતાનું મૌન તોડે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.