મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને પૂછ્યા 9 સવાલ! મોદી સરકારના કાર્યકાળની કોંગ્રેસે ગણાવી ખામીઓ.. અદાણીને લઈ પણ પૂછ્યા પ્રશ્ન.


  • Published By :
  • Published Date : 2023-05-26 16:57:13

9 વર્ષ પહેલા ભાજપ પાર્ટી સત્તા પર આવી હતી. આજે સત્તા પર આવે ભાજપને 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કોંગ્રેસે ભાજપને અને પીએમ મોદીને 9 સવાલ પૂછ્યા છે. જયરામ રમેશે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 9 પ્રશ્નો પૂછવા માગે છે. 9 સવાલ માટે એક ડોક્યુમેન્ટરી બહાર પાડવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ ઈકોનોમીને લઈ, કૃષિ અને ખેડૂતોને લઈ, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સહિતના અનેક મુદ્દાઓને લઈ ભાજપ સરકારને પ્રશ્ન પૂછ્યા છે. અમારી પાર્ટી પીએમ મોદીને સવાલ પૂછવા માગે છે અને જાણવા માગે છે કે પીએમ મોદી આ પ્રશ્નોના જવાબ ક્યારે આપશે?

            

કોંગ્રેસે ભાજપને પૂછ્યા 9 પ્રશ્નો! 

ભાજપ જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી કોંગ્રેસ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર નિશાન સાધતું આવ્યું છે. કોંગ્રેસ દ્વારા અનેક વખત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યારે આજે ભાજપને સત્તા પર આવે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને 9 પ્રશ્નો પૂછ્યા છે. અદાણી મુદ્દે કોંગ્રેસે અનેક વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે આ 9 પ્રશ્નોમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સિવાય દેશમાં વધતી મોંઘવારી, ખેડૂતોને પડતી મુશ્કેલી, જનકલ્યાણની યોજનાઓને લઈ પ્રશ્નો પૂછ્યા હતા. ચીનને લઈને પણ કોંગ્રેસ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.


વીડિયો પણ કર્યો શેર!

કોંગ્રેસ દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બહાર પાડવામાં આવી છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે નાકામીના 9 વર્ષ. કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત આવા પ્રશ્નો ઉઠાવ્યા છે. પરંતુ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. પીએમ મોદી 9 પ્રશ્નોના જવાબ આપી પોતાનું મૌન તોડે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.