મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનો ઘોડાપુર, મંદિરમાં વિશેષ પૂજાનું કરાયું છે આયોજન


  • Published By :
  • Published Date : 2023-02-18 12:53:03

સમગ્ર દેશમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો દિવસ. આ દિવસે શિવમંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી લાઈન જોવા મળતી હોય છે. તે ઉપરાંત જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પણ વિશેષ મહિમા હોય છે. પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે.

 



વહેલી સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર   

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજન અર્ચન કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે દેશના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આ દિવસે જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મહિમા અનેરો હોય છે. ત્યારે સોમનાથમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. અનેક લોકોએ સોમનાથ દાદાની આરતીનો લાભ લીધો હતો. તે ઉપરાંત મહાશિવરાત્રી પ્રસંગ મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે. 



મંદિરમાં કરાયું છે વિશેષ પૂજાનું આયોજન 

મહાશિવરાત્રીને લઈ મંદિર દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સતત 42 કલાક સુધી મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવશે. મહામૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય ચારેય પ્રહર દરમિયાન ભગવાન ભોળાનાથની ભક્તિભાવ સાથે પૂજા કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે