મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનો ઘોડાપુર, મંદિરમાં વિશેષ પૂજાનું કરાયું છે આયોજન


  • Published By :
  • Published Date : 2023-02-18 12:53:03

સમગ્ર દેશમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો દિવસ. આ દિવસે શિવમંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી લાઈન જોવા મળતી હોય છે. તે ઉપરાંત જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પણ વિશેષ મહિમા હોય છે. પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે.

 



વહેલી સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર   

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજન અર્ચન કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે દેશના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આ દિવસે જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મહિમા અનેરો હોય છે. ત્યારે સોમનાથમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. અનેક લોકોએ સોમનાથ દાદાની આરતીનો લાભ લીધો હતો. તે ઉપરાંત મહાશિવરાત્રી પ્રસંગ મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે. 



મંદિરમાં કરાયું છે વિશેષ પૂજાનું આયોજન 

મહાશિવરાત્રીને લઈ મંદિર દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સતત 42 કલાક સુધી મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવશે. મહામૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય ચારેય પ્રહર દરમિયાન ભગવાન ભોળાનાથની ભક્તિભાવ સાથે પૂજા કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.