મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનો ઘોડાપુર, મંદિરમાં વિશેષ પૂજાનું કરાયું છે આયોજન


  • Published By :
  • Published Date : 2023-02-18 12:53:03

સમગ્ર દેશમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો દિવસ. આ દિવસે શિવમંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી લાઈન જોવા મળતી હોય છે. તે ઉપરાંત જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પણ વિશેષ મહિમા હોય છે. પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે.

 



વહેલી સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર   

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજન અર્ચન કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે દેશના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આ દિવસે જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મહિમા અનેરો હોય છે. ત્યારે સોમનાથમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. અનેક લોકોએ સોમનાથ દાદાની આરતીનો લાભ લીધો હતો. તે ઉપરાંત મહાશિવરાત્રી પ્રસંગ મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે. 



મંદિરમાં કરાયું છે વિશેષ પૂજાનું આયોજન 

મહાશિવરાત્રીને લઈ મંદિર દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સતત 42 કલાક સુધી મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવશે. મહામૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય ચારેય પ્રહર દરમિયાન ભગવાન ભોળાનાથની ભક્તિભાવ સાથે પૂજા કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.