નવરાત્રીના પ્રથમ દિવસે મેઘમહેરે થતા ખેલૈયાઓ નિરાશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 16:33:02

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું ન હતું. ત્યારે આ વર્ષે કોરોના નિયંત્રણમાં આવતા, મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2 વર્ષ બાદ ગરબા રમવા મળતા ખેલૈયાઓ ઉત્સાહિત હતા. પરંતુ નવરાત્રીના પ્રથમ નોરતે વરસાદ પડવાને કારણે રંગમાં ભંગ પડી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ પડવાને કારણે ખેલૈયાઓના આનંદમાં ઘટાડો થયો છે. 


અનેક જગ્યાઓ પર વરસ્યો વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના ખોખરા, મણિનગર, અમરાઈવાડી, CTM, વટવા, ઘોડાસર સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વડોદરા ખાતે પણ વરસાદની પધરામણી થતા આયોજકોમાં ચિંતા પ્રવર્તી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ઉના, સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્તા ખેલૈયાઓમાં નિરાશા પ્રવર્તિ હતી. સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો. તેમજ ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ થયો હતો જેને કારણે ખેલૈયાઓમાં તેમજ આયોજકો ચિંતામાં મૂકાયા છે. પરંતુ આ તો ગુજરાતીઓ કહેવાય, વરસાદમાં પણ ગરબે ઘૂમે તો નવાઈ નહીં. 

નવરાત્રીમાં વરસાદ બનશે વિલન! હજુ ચાર દિવસ વરસાદી વાવાઝોડુ ગુજરાતને ઘમરોળશે  | heavy rain in gujarat during navratri monsoon 2019

Rain threat to lessen, Garba goers gearing up to make up for loss |  DeshGujarat



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"