શ્રાવણ માસ નિમિત્તે સંસ્કૃત પાઠશાળામાં કરાયું વિશેષ પૂજાનું આયોજન, રૂદ્રીના પાઠનું ઋષિકુમારોએ કર્યું અધ્યયન


  • Published By :
  • Published Date : 2023-09-15 17:27:13

શ્રાવણ મહિના દરમિયાન દેવાધિ દેવ મદાહેવની આરાધના કરવામાં આવતી હોય છે. શિવજીને પ્રસન્ન કરવા માટે આ શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. અનેક શિવ મંદિરોમાં શ્રાવણ મહિના નિમિત્તે રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતમાં આવેલા શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અભિષેકાત્મક અતિરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવલિંગ પર સામાન્ય દિવસો દરમિયાન પણ જળાભિષેક કરવામાં આવતો હોય છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન તો શિવજી પર વિશેષ અભિષેક કરવામાં આવે છે. અમાસના દિવસે આ આયોજનનું સમાપન હતું.

સંસ્કૃત પાઠશાળામાં કરાયું શ્રાવણ મહિના નિમિત્તે વિશેષ આયોજન 

શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ દરમિયાન ભક્તો અલગ અલગ આયોજનો કરતા હોય છે. ભગવાન શંકરને અતિ પ્રિય એવા રૂદ્રીથી ભગવાન શંકરનો અભિષેક કરવામાં આવે છે. રાજ્યમાં એવી અનેક સંસ્કૃત પાઠશાળા છે જ્યાં ઋષિકુમારોને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે. વૈદિક પરંપરાથી આજની પેઢી જોડાય તે માટે અનેક પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે સુરત ખાતે આવેલા સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણમાસ દરમિયાન વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 100થી વધારે ઋષિકુમારોએ આમાં ભાગ લીધો હતો.


વૈદિક પરંપરાને લોકો જાણે તે માટે કરાયું આયોજન!

ભગવાન ભોલેનાથની જ્યારે વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે લઘુરૂદ્ર સામાન્ય રીતે કરવામાં આવે છે. જો તેનાથી વિશેષ પૂજા કરવી હોય તો મહારૂદ્ર કરવામાં આવતો હોય છે અને તેનાથી પણ જો વિશેષ પૂજા કરવી હોય તો અતિરૂદ્રનું આયોજન કરવામાં આવતું હોય છે. ૧ લઘુરુદ્ર એટલે  નમસ્તે .... રુદ્રાષ્ટાધ્યાયી (પાંચમો અધ્યાય) નમકચમક સાથે ના ૧૨૧ આવર્તન અને આવા ૧૧ લઘુરુદ્ર એટલે ૧૩૩૧ આવર્તન અને ૧ મહારુદ્ર બને છે. તેમજ આવા ૧૧ મહારુદ્ર એટલે ૧૪, ૬૪૧(ચૌદ હજાર છસો એકતાલીસ) આવર્તન થાય ત્યારે ૧ અતિરુદ્ર થાય. આવી રીતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન ૧૦૦ થી વધારે ઋષિકુમારો પાંચમાં અધ્યાયનું આવર્તન કર્યું હતું. જ્યારે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જતા હોય છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.