શ્રાવણ માસ નિમિત્તે સંસ્કૃત પાઠશાળામાં કરાયું વિશેષ પૂજાનું આયોજન, રૂદ્રીના પાઠનું ઋષિકુમારોએ કર્યું અધ્યયન


  • Published By :
  • Published Date : 2023-09-15 17:27:13

શ્રાવણ મહિના દરમિયાન દેવાધિ દેવ મદાહેવની આરાધના કરવામાં આવતી હોય છે. શિવજીને પ્રસન્ન કરવા માટે આ શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. અનેક શિવ મંદિરોમાં શ્રાવણ મહિના નિમિત્તે રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતમાં આવેલા શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અભિષેકાત્મક અતિરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવલિંગ પર સામાન્ય દિવસો દરમિયાન પણ જળાભિષેક કરવામાં આવતો હોય છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન તો શિવજી પર વિશેષ અભિષેક કરવામાં આવે છે. અમાસના દિવસે આ આયોજનનું સમાપન હતું.

સંસ્કૃત પાઠશાળામાં કરાયું શ્રાવણ મહિના નિમિત્તે વિશેષ આયોજન 

શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ દરમિયાન ભક્તો અલગ અલગ આયોજનો કરતા હોય છે. ભગવાન શંકરને અતિ પ્રિય એવા રૂદ્રીથી ભગવાન શંકરનો અભિષેક કરવામાં આવે છે. રાજ્યમાં એવી અનેક સંસ્કૃત પાઠશાળા છે જ્યાં ઋષિકુમારોને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે. વૈદિક પરંપરાથી આજની પેઢી જોડાય તે માટે અનેક પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે સુરત ખાતે આવેલા સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણમાસ દરમિયાન વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 100થી વધારે ઋષિકુમારોએ આમાં ભાગ લીધો હતો.


વૈદિક પરંપરાને લોકો જાણે તે માટે કરાયું આયોજન!

ભગવાન ભોલેનાથની જ્યારે વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે લઘુરૂદ્ર સામાન્ય રીતે કરવામાં આવે છે. જો તેનાથી વિશેષ પૂજા કરવી હોય તો મહારૂદ્ર કરવામાં આવતો હોય છે અને તેનાથી પણ જો વિશેષ પૂજા કરવી હોય તો અતિરૂદ્રનું આયોજન કરવામાં આવતું હોય છે. ૧ લઘુરુદ્ર એટલે  નમસ્તે .... રુદ્રાષ્ટાધ્યાયી (પાંચમો અધ્યાય) નમકચમક સાથે ના ૧૨૧ આવર્તન અને આવા ૧૧ લઘુરુદ્ર એટલે ૧૩૩૧ આવર્તન અને ૧ મહારુદ્ર બને છે. તેમજ આવા ૧૧ મહારુદ્ર એટલે ૧૪, ૬૪૧(ચૌદ હજાર છસો એકતાલીસ) આવર્તન થાય ત્યારે ૧ અતિરુદ્ર થાય. આવી રીતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન ૧૦૦ થી વધારે ઋષિકુમારો પાંચમાં અધ્યાયનું આવર્તન કર્યું હતું. જ્યારે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જતા હોય છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી