શ્રાવણ માસ નિમિત્તે સંસ્કૃત પાઠશાળામાં કરાયું વિશેષ પૂજાનું આયોજન, રૂદ્રીના પાઠનું ઋષિકુમારોએ કર્યું અધ્યયન


  • Published By :
  • Published Date : 2023-09-15 17:27:13

શ્રાવણ મહિના દરમિયાન દેવાધિ દેવ મદાહેવની આરાધના કરવામાં આવતી હોય છે. શિવજીને પ્રસન્ન કરવા માટે આ શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. અનેક શિવ મંદિરોમાં શ્રાવણ મહિના નિમિત્તે રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતમાં આવેલા શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અભિષેકાત્મક અતિરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવલિંગ પર સામાન્ય દિવસો દરમિયાન પણ જળાભિષેક કરવામાં આવતો હોય છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન તો શિવજી પર વિશેષ અભિષેક કરવામાં આવે છે. અમાસના દિવસે આ આયોજનનું સમાપન હતું.

સંસ્કૃત પાઠશાળામાં કરાયું શ્રાવણ મહિના નિમિત્તે વિશેષ આયોજન 

શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ દરમિયાન ભક્તો અલગ અલગ આયોજનો કરતા હોય છે. ભગવાન શંકરને અતિ પ્રિય એવા રૂદ્રીથી ભગવાન શંકરનો અભિષેક કરવામાં આવે છે. રાજ્યમાં એવી અનેક સંસ્કૃત પાઠશાળા છે જ્યાં ઋષિકુમારોને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે. વૈદિક પરંપરાથી આજની પેઢી જોડાય તે માટે અનેક પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે સુરત ખાતે આવેલા સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણમાસ દરમિયાન વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 100થી વધારે ઋષિકુમારોએ આમાં ભાગ લીધો હતો.


વૈદિક પરંપરાને લોકો જાણે તે માટે કરાયું આયોજન!

ભગવાન ભોલેનાથની જ્યારે વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે લઘુરૂદ્ર સામાન્ય રીતે કરવામાં આવે છે. જો તેનાથી વિશેષ પૂજા કરવી હોય તો મહારૂદ્ર કરવામાં આવતો હોય છે અને તેનાથી પણ જો વિશેષ પૂજા કરવી હોય તો અતિરૂદ્રનું આયોજન કરવામાં આવતું હોય છે. ૧ લઘુરુદ્ર એટલે  નમસ્તે .... રુદ્રાષ્ટાધ્યાયી (પાંચમો અધ્યાય) નમકચમક સાથે ના ૧૨૧ આવર્તન અને આવા ૧૧ લઘુરુદ્ર એટલે ૧૩૩૧ આવર્તન અને ૧ મહારુદ્ર બને છે. તેમજ આવા ૧૧ મહારુદ્ર એટલે ૧૪, ૬૪૧(ચૌદ હજાર છસો એકતાલીસ) આવર્તન થાય ત્યારે ૧ અતિરુદ્ર થાય. આવી રીતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન ૧૦૦ થી વધારે ઋષિકુમારો પાંચમાં અધ્યાયનું આવર્તન કર્યું હતું. જ્યારે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જતા હોય છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.