શ્રાવણ માસ નિમિત્તે સંસ્કૃત પાઠશાળામાં કરાયું વિશેષ પૂજાનું આયોજન, રૂદ્રીના પાઠનું ઋષિકુમારોએ કર્યું અધ્યયન


  • Published By :
  • Published Date : 2023-09-15 17:27:13

શ્રાવણ મહિના દરમિયાન દેવાધિ દેવ મદાહેવની આરાધના કરવામાં આવતી હોય છે. શિવજીને પ્રસન્ન કરવા માટે આ શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. અનેક શિવ મંદિરોમાં શ્રાવણ મહિના નિમિત્તે રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતમાં આવેલા શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અભિષેકાત્મક અતિરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવલિંગ પર સામાન્ય દિવસો દરમિયાન પણ જળાભિષેક કરવામાં આવતો હોય છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન તો શિવજી પર વિશેષ અભિષેક કરવામાં આવે છે. અમાસના દિવસે આ આયોજનનું સમાપન હતું.

સંસ્કૃત પાઠશાળામાં કરાયું શ્રાવણ મહિના નિમિત્તે વિશેષ આયોજન 

શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ દરમિયાન ભક્તો અલગ અલગ આયોજનો કરતા હોય છે. ભગવાન શંકરને અતિ પ્રિય એવા રૂદ્રીથી ભગવાન શંકરનો અભિષેક કરવામાં આવે છે. રાજ્યમાં એવી અનેક સંસ્કૃત પાઠશાળા છે જ્યાં ઋષિકુમારોને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે. વૈદિક પરંપરાથી આજની પેઢી જોડાય તે માટે અનેક પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે સુરત ખાતે આવેલા સંસ્કૃત પાઠશાળામાં સમગ્ર શ્રાવણમાસ દરમિયાન વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 100થી વધારે ઋષિકુમારોએ આમાં ભાગ લીધો હતો.


વૈદિક પરંપરાને લોકો જાણે તે માટે કરાયું આયોજન!

ભગવાન ભોલેનાથની જ્યારે વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે લઘુરૂદ્ર સામાન્ય રીતે કરવામાં આવે છે. જો તેનાથી વિશેષ પૂજા કરવી હોય તો મહારૂદ્ર કરવામાં આવતો હોય છે અને તેનાથી પણ જો વિશેષ પૂજા કરવી હોય તો અતિરૂદ્રનું આયોજન કરવામાં આવતું હોય છે. ૧ લઘુરુદ્ર એટલે  નમસ્તે .... રુદ્રાષ્ટાધ્યાયી (પાંચમો અધ્યાય) નમકચમક સાથે ના ૧૨૧ આવર્તન અને આવા ૧૧ લઘુરુદ્ર એટલે ૧૩૩૧ આવર્તન અને ૧ મહારુદ્ર બને છે. તેમજ આવા ૧૧ મહારુદ્ર એટલે ૧૪, ૬૪૧(ચૌદ હજાર છસો એકતાલીસ) આવર્તન થાય ત્યારે ૧ અતિરુદ્ર થાય. આવી રીતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન ૧૦૦ થી વધારે ઋષિકુમારો પાંચમાં અધ્યાયનું આવર્તન કર્યું હતું. જ્યારે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થતું હોય છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જતા હોય છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.