Gopal Italiaએ કયા આધાર પર કહ્યું કે ભાજપની હવા કાઢી નાખી!| કહ્યું - મનસુખ માંડવીયા ભાગ્યા ભાવનગરથી.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-05 11:35:55

શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. ભાજપ સામાન્ય રીતે ઉમેદવારોને લઈ સરપ્રાઈઝ આપતું હોય છે. એવા ચહેરાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે જેના વિશે સામાન્ય રીતે કોઈને ખબર નથી હોતી. રાજ્યસભાના પૂર્વ સાંસદ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રિપીટ કરવામાં ન આવ્યા હતા. જેને લઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે આ બંને મંત્રીઓને લોકસભા લડાવવામાં આવશે. 

ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહાર!

સંભાવનાઓ હતી કે રાજકોટથી પરષોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવામાં આવે અને મનસુખ માંડવિયાને ભાવનગરથી પરંતુ  પોરબંદરથી મનસુખ માંડવિયાને ટિકીટ આપવામાં આવી. જે બાદ આની પાછળ ભાજપ દ્વારા શું ગણિત કરવામાં આવ્યું તેની વિચારણા ચાલુ કરવામાં આવી. ગુજરાતની 11 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી અને તેને લઈ અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેવા માગે છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની હવા કાઢી નાખી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.