ફરી એક વખત રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયો માનહાનિનો કેસ! જાણો રાહુલ ગાંધી વિરૂદ્ધ કોણે કેસ કર્યો દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-13 09:42:34

રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ મોદી સરનેમને લઈ આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. જે મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. આ મામલો હજી શાંત નથી થયો, આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ અંગે સુનાવણી થવાની છે ત્યારે તો રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ દ્વારા કરવામાં આવ્યો છે. વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ સાવરકરના વંશજ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

  

વીર સાવરકરના વંશજે કર્યો રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 2019માં મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા ઉપરાંત બે વર્ષની સજા પણ ફટકારી હતી.જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે તો રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. વીર સાવરકર પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કરાયો છે. આ વખતે માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ સત્યકી સાવરકર દ્વારા કરાયો છે.

હિમંત બિસ્વા સરમા પણ કરી શકે છે માનહાનિ કેસ દાખલ! 

આ અંગે વાત કરતા સત્યકી સાવરકરે રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીએ આ વર્ષે યુનાઈટેડ કિંગડમમાં પોતાની હાલિયા યાત્રા દરમિયાન વીર સાવરકર માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. વીર સાવરકરના વંશજ ઉપરાંત રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની વાત આસામના મુખ્યમંત્રી  હિમંત બિસ્વા સરમા દ્વારા પણ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા અદાણીને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું. જેમાં અનેક પૂર્વ કોંગ્રેસી નેતાઓના નામ જોડવામાં આવ્યા હતા. આ નામમાં આસામના મુખ્યમંત્રીનો પણ સમાવેશ થયો હતો. આ મામલે હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ કરવાની વાત પણ કહી હતી.  


 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.