ફરી એક વખત રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયો માનહાનિનો કેસ! જાણો રાહુલ ગાંધી વિરૂદ્ધ કોણે કેસ કર્યો દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-13 09:42:34

રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ મોદી સરનેમને લઈ આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. જે મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. આ મામલો હજી શાંત નથી થયો, આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ અંગે સુનાવણી થવાની છે ત્યારે તો રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ દ્વારા કરવામાં આવ્યો છે. વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ સાવરકરના વંશજ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

  

વીર સાવરકરના વંશજે કર્યો રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 2019માં મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા ઉપરાંત બે વર્ષની સજા પણ ફટકારી હતી.જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે તો રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. વીર સાવરકર પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કરાયો છે. આ વખતે માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ સત્યકી સાવરકર દ્વારા કરાયો છે.

હિમંત બિસ્વા સરમા પણ કરી શકે છે માનહાનિ કેસ દાખલ! 

આ અંગે વાત કરતા સત્યકી સાવરકરે રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીએ આ વર્ષે યુનાઈટેડ કિંગડમમાં પોતાની હાલિયા યાત્રા દરમિયાન વીર સાવરકર માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. વીર સાવરકરના વંશજ ઉપરાંત રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની વાત આસામના મુખ્યમંત્રી  હિમંત બિસ્વા સરમા દ્વારા પણ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા અદાણીને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું. જેમાં અનેક પૂર્વ કોંગ્રેસી નેતાઓના નામ જોડવામાં આવ્યા હતા. આ નામમાં આસામના મુખ્યમંત્રીનો પણ સમાવેશ થયો હતો. આ મામલે હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ કરવાની વાત પણ કહી હતી.  


 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.