ફરી એક વખત ભારત જોડો યાત્રા પર સાધ્યું ભાજપે નિશાન, કહ્યું કોંગ્રેસને રાષ્ટ્રગીત તો આવડતું નથી અને ભારત જોડવા નીકળ્યાં છે !


  • Published By :
  • Published Date : 2022-11-17 13:56:34

ગુજરાતમાં વિધાનભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણી લડાવાની છે. કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાત નથી આવ્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. જેને કારણે ભાજપે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

   

રાષ્ટ્રગીતને લઈ ગરમાયું રાજકારણ      

ભાજપનો પ્રચાર કરવા અનેક રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં નથી આવી રહ્યા. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે જેને કારણે તેઓ ગુજરાતમાં હજુ સુધી આવી નથી શક્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થયા છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. આ વીડિયોને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના અનેક નેતાઓએ તેમનો વીડિયો વાયરલ કરી તેમના પર નિશાન સાધ્યું હતું. ગુજરાત ભાજપે પણ આ વીડિયોને લઈ ટ્વિટ કરી લખ્યું છે કે કોંગ્રેસને રાષ્ટ્રગીત તો આવડતું નથી અને ભારત જોડવા નીકળ્યાં છે.

Panchayat Election ગુજરાત : ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ - BBC News  ગુજરાતી

ચૂંટણી સમયે રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થયો 

ભાજપે અનેક વખત આ યાત્રા પર કટાક્ષ કર્યા છે. ત્યારે આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. કોંગ્રેસ ડોર ટુ ડોર જઈ પ્રચાર કરી રહી છે. ચૂંટણી સમયે આવા વીડિયો વાયરલ થવાથી કોંગ્રેસને નુકસાન થશે કે નહીં તે મતગણતરીના દિવસે ખબર પડશે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.