ફરી એક વખત ભારત જોડો યાત્રા પર સાધ્યું ભાજપે નિશાન, કહ્યું કોંગ્રેસને રાષ્ટ્રગીત તો આવડતું નથી અને ભારત જોડવા નીકળ્યાં છે !


  • Published By :
  • Published Date : 2022-11-17 13:56:34

ગુજરાતમાં વિધાનભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણી લડાવાની છે. કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાત નથી આવ્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. જેને કારણે ભાજપે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

   

રાષ્ટ્રગીતને લઈ ગરમાયું રાજકારણ      

ભાજપનો પ્રચાર કરવા અનેક રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં નથી આવી રહ્યા. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે જેને કારણે તેઓ ગુજરાતમાં હજુ સુધી આવી નથી શક્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થયા છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. આ વીડિયોને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના અનેક નેતાઓએ તેમનો વીડિયો વાયરલ કરી તેમના પર નિશાન સાધ્યું હતું. ગુજરાત ભાજપે પણ આ વીડિયોને લઈ ટ્વિટ કરી લખ્યું છે કે કોંગ્રેસને રાષ્ટ્રગીત તો આવડતું નથી અને ભારત જોડવા નીકળ્યાં છે.

Panchayat Election ગુજરાત : ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ - BBC News  ગુજરાતી

ચૂંટણી સમયે રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થયો 

ભાજપે અનેક વખત આ યાત્રા પર કટાક્ષ કર્યા છે. ત્યારે આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. કોંગ્રેસ ડોર ટુ ડોર જઈ પ્રચાર કરી રહી છે. ચૂંટણી સમયે આવા વીડિયો વાયરલ થવાથી કોંગ્રેસને નુકસાન થશે કે નહીં તે મતગણતરીના દિવસે ખબર પડશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે