ફરી એક વખત ભારત જોડો યાત્રા પર સાધ્યું ભાજપે નિશાન, કહ્યું કોંગ્રેસને રાષ્ટ્રગીત તો આવડતું નથી અને ભારત જોડવા નીકળ્યાં છે !


  • Published By :
  • Published Date : 2022-11-17 13:56:34

ગુજરાતમાં વિધાનભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણી લડાવાની છે. કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાત નથી આવ્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. જેને કારણે ભાજપે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

   

રાષ્ટ્રગીતને લઈ ગરમાયું રાજકારણ      

ભાજપનો પ્રચાર કરવા અનેક રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં નથી આવી રહ્યા. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે જેને કારણે તેઓ ગુજરાતમાં હજુ સુધી આવી નથી શક્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થયા છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. આ વીડિયોને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના અનેક નેતાઓએ તેમનો વીડિયો વાયરલ કરી તેમના પર નિશાન સાધ્યું હતું. ગુજરાત ભાજપે પણ આ વીડિયોને લઈ ટ્વિટ કરી લખ્યું છે કે કોંગ્રેસને રાષ્ટ્રગીત તો આવડતું નથી અને ભારત જોડવા નીકળ્યાં છે.

Panchayat Election ગુજરાત : ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ - BBC News  ગુજરાતી

ચૂંટણી સમયે રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થયો 

ભાજપે અનેક વખત આ યાત્રા પર કટાક્ષ કર્યા છે. ત્યારે આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. કોંગ્રેસ ડોર ટુ ડોર જઈ પ્રચાર કરી રહી છે. ચૂંટણી સમયે આવા વીડિયો વાયરલ થવાથી કોંગ્રેસને નુકસાન થશે કે નહીં તે મતગણતરીના દિવસે ખબર પડશે.  




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.