ફરી એક વખત ભારત જોડો યાત્રા પર સાધ્યું ભાજપે નિશાન, કહ્યું કોંગ્રેસને રાષ્ટ્રગીત તો આવડતું નથી અને ભારત જોડવા નીકળ્યાં છે !


  • Published By :
  • Published Date : 2022-11-17 13:56:34

ગુજરાતમાં વિધાનભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણી લડાવાની છે. કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાત નથી આવ્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. જેને કારણે ભાજપે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

   

રાષ્ટ્રગીતને લઈ ગરમાયું રાજકારણ      

ભાજપનો પ્રચાર કરવા અનેક રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં નથી આવી રહ્યા. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે જેને કારણે તેઓ ગુજરાતમાં હજુ સુધી આવી નથી શક્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થયા છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. આ વીડિયોને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના અનેક નેતાઓએ તેમનો વીડિયો વાયરલ કરી તેમના પર નિશાન સાધ્યું હતું. ગુજરાત ભાજપે પણ આ વીડિયોને લઈ ટ્વિટ કરી લખ્યું છે કે કોંગ્રેસને રાષ્ટ્રગીત તો આવડતું નથી અને ભારત જોડવા નીકળ્યાં છે.

Panchayat Election ગુજરાત : ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ - BBC News  ગુજરાતી

ચૂંટણી સમયે રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થયો 

ભાજપે અનેક વખત આ યાત્રા પર કટાક્ષ કર્યા છે. ત્યારે આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. કોંગ્રેસ ડોર ટુ ડોર જઈ પ્રચાર કરી રહી છે. ચૂંટણી સમયે આવા વીડિયો વાયરલ થવાથી કોંગ્રેસને નુકસાન થશે કે નહીં તે મતગણતરીના દિવસે ખબર પડશે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.