વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:57:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્માં છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરી એક વખત 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે.

ભાજપમાં બેઠકોનો દોર

વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ એક્ટીવ મોડમાં આવી ગઈ છે. ચૂંટણીને લઈ રણનીતી બનાવાઈ રહી છે. પીએમ પણ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

પ્રવાસ દરમિયાન અમદાવાદ, ભાવનગર તેમજ સુરતના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ધાટન કરશે. ઉપરાંત સુરત અને ભાવનગરમાં સરકારની વિવિધ યોજનાઓનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે. 30મીએ પણ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. એ પહેલા તેઓ પોતાના જન્મ દિવસ પર પણ માતા હિરાબાના આશીર્વાદ લેવા આવી શકે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .