વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:57:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્માં છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરી એક વખત 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે.

ભાજપમાં બેઠકોનો દોર

વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ એક્ટીવ મોડમાં આવી ગઈ છે. ચૂંટણીને લઈ રણનીતી બનાવાઈ રહી છે. પીએમ પણ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

પ્રવાસ દરમિયાન અમદાવાદ, ભાવનગર તેમજ સુરતના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ધાટન કરશે. ઉપરાંત સુરત અને ભાવનગરમાં સરકારની વિવિધ યોજનાઓનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે. 30મીએ પણ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. એ પહેલા તેઓ પોતાના જન્મ દિવસ પર પણ માતા હિરાબાના આશીર્વાદ લેવા આવી શકે છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી