ફરી એક વખત ધ્રૂજી દિલ્હીની ધરા


  • Published By :
  • Published Date : 2023-01-01 10:12:35

દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર 31 ડિસેમ્બરની મોડી રાત્રે ભૂકંપ અનુભવાયો હતો. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંચકા આવ્યા હતા. મોડી રાત્રે લગભગ 1.20 કલાકે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે મોડી રાત્રે આ ભૂકંપ આવ્યો હતો જેનું મુખ્ય કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું.

 


3.8 તીવ્રતાનો નોંધાયો ભૂકંપ

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વર્ષના પ્રથમ દિવસે જ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં કોઈ જાનહાની નથી થઈ. આ અગાઉ 29 નવેમ્બરે દિલ્હીની ધરા ધ્રૂજી હતી. તે વખતે 2.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ દિલ્હીનો પશ્ચિમ વિસ્તાર હતો. 


નવેમ્બરમાં અનેક વખત દિલ્હીમાં અનૂભવાયા છે આંચકા 

29 નવેમ્બર પહેલા 12 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે દિલ્હીની સાથે ઉત્તરાખંડની પણ ધરા ધ્રૂજી હતી. ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે પહેલા 9 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે ન કેવળ દિલ્હીની ધરા ધ્રૂજી હતી પરંતુ 7 રાજ્યોમાં ભૂકંપની અનુભૂતિ થઈ હતી. નેપાળ, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકોના મોત પણ થયા હતા. ઉપરાંત ઘણું નુકસાન પણ થયું હતું.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.