ફરી એક વખત ધ્રૂજી દિલ્હીની ધરા


  • Published By :
  • Published Date : 2023-01-01 10:12:35

દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર 31 ડિસેમ્બરની મોડી રાત્રે ભૂકંપ અનુભવાયો હતો. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંચકા આવ્યા હતા. મોડી રાત્રે લગભગ 1.20 કલાકે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે મોડી રાત્રે આ ભૂકંપ આવ્યો હતો જેનું મુખ્ય કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું.

 


3.8 તીવ્રતાનો નોંધાયો ભૂકંપ

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વર્ષના પ્રથમ દિવસે જ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં કોઈ જાનહાની નથી થઈ. આ અગાઉ 29 નવેમ્બરે દિલ્હીની ધરા ધ્રૂજી હતી. તે વખતે 2.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ દિલ્હીનો પશ્ચિમ વિસ્તાર હતો. 


નવેમ્બરમાં અનેક વખત દિલ્હીમાં અનૂભવાયા છે આંચકા 

29 નવેમ્બર પહેલા 12 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે દિલ્હીની સાથે ઉત્તરાખંડની પણ ધરા ધ્રૂજી હતી. ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે પહેલા 9 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે ન કેવળ દિલ્હીની ધરા ધ્રૂજી હતી પરંતુ 7 રાજ્યોમાં ભૂકંપની અનુભૂતિ થઈ હતી. નેપાળ, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકોના મોત પણ થયા હતા. ઉપરાંત ઘણું નુકસાન પણ થયું હતું.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.