ફરી એક વખત ધ્રૂજી દિલ્હીની ધરા


  • Published By :
  • Published Date : 2023-01-01 10:12:35

દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર 31 ડિસેમ્બરની મોડી રાત્રે ભૂકંપ અનુભવાયો હતો. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંચકા આવ્યા હતા. મોડી રાત્રે લગભગ 1.20 કલાકે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે મોડી રાત્રે આ ભૂકંપ આવ્યો હતો જેનું મુખ્ય કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું.

 


3.8 તીવ્રતાનો નોંધાયો ભૂકંપ

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વર્ષના પ્રથમ દિવસે જ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં કોઈ જાનહાની નથી થઈ. આ અગાઉ 29 નવેમ્બરે દિલ્હીની ધરા ધ્રૂજી હતી. તે વખતે 2.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ દિલ્હીનો પશ્ચિમ વિસ્તાર હતો. 


નવેમ્બરમાં અનેક વખત દિલ્હીમાં અનૂભવાયા છે આંચકા 

29 નવેમ્બર પહેલા 12 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે દિલ્હીની સાથે ઉત્તરાખંડની પણ ધરા ધ્રૂજી હતી. ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે પહેલા 9 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે ન કેવળ દિલ્હીની ધરા ધ્રૂજી હતી પરંતુ 7 રાજ્યોમાં ભૂકંપની અનુભૂતિ થઈ હતી. નેપાળ, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકોના મોત પણ થયા હતા. ઉપરાંત ઘણું નુકસાન પણ થયું હતું.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.