માવઠાને લઈ ફરી એક વખત હવામાન વિભાગે કરી આગાહી, જાણો કયારે અને કઈ જગ્યાએ આવશે માવઠું


  • Published By :
  • Published Date : 2023-03-27 11:37:01

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે આફત સર્જી છે. અનેક દિવસોથી આવતા વરસાદને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળશે. 30 અને 31 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.


ફરી આવશે કમોસમી વરસાદ!

છેલ્લા ઘણા સમયથી કુદરતનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. માર્ચ મહિનામાં થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 


આ વિસ્તારોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં 30 અને 31 માર્ચના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા તેમજ કચ્છમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 31મી તારીખે બનાસકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.         


માવઠા બાદ વધશે ગરમીનું પ્રમાણ!

માર્ચમાં આવેલા માવઠાને કારણે જગતના તાતની હાલત ચિંતાજનક બની છે. ખેતરમાં અનેક વખત પાણી આવી જવા ઉપરાંત કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાનને લઈ સરકાર વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કમોસમી વરસાદ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે. એવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ વર્ષની ગરમી અનેક વર્ષોનો રેકોર્ડ તોડી શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.