માવઠાને લઈ ફરી એક વખત હવામાન વિભાગે કરી આગાહી, જાણો કયારે અને કઈ જગ્યાએ આવશે માવઠું


  • Published By :
  • Published Date : 2023-03-27 11:37:01

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે આફત સર્જી છે. અનેક દિવસોથી આવતા વરસાદને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળશે. 30 અને 31 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.


ફરી આવશે કમોસમી વરસાદ!

છેલ્લા ઘણા સમયથી કુદરતનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. માર્ચ મહિનામાં થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 


આ વિસ્તારોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં 30 અને 31 માર્ચના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા તેમજ કચ્છમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 31મી તારીખે બનાસકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.         


માવઠા બાદ વધશે ગરમીનું પ્રમાણ!

માર્ચમાં આવેલા માવઠાને કારણે જગતના તાતની હાલત ચિંતાજનક બની છે. ખેતરમાં અનેક વખત પાણી આવી જવા ઉપરાંત કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાનને લઈ સરકાર વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કમોસમી વરસાદ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે. એવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ વર્ષની ગરમી અનેક વર્ષોનો રેકોર્ડ તોડી શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે