માવઠાને લઈ ફરી એક વખત હવામાન વિભાગે કરી આગાહી, જાણો કયારે અને કઈ જગ્યાએ આવશે માવઠું


  • Published By :
  • Published Date : 2023-03-27 11:37:01

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે આફત સર્જી છે. અનેક દિવસોથી આવતા વરસાદને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળશે. 30 અને 31 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.


ફરી આવશે કમોસમી વરસાદ!

છેલ્લા ઘણા સમયથી કુદરતનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. માર્ચ મહિનામાં થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 


આ વિસ્તારોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં 30 અને 31 માર્ચના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા તેમજ કચ્છમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 31મી તારીખે બનાસકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.         


માવઠા બાદ વધશે ગરમીનું પ્રમાણ!

માર્ચમાં આવેલા માવઠાને કારણે જગતના તાતની હાલત ચિંતાજનક બની છે. ખેતરમાં અનેક વખત પાણી આવી જવા ઉપરાંત કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાનને લઈ સરકાર વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કમોસમી વરસાદ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે. એવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ વર્ષની ગરમી અનેક વર્ષોનો રેકોર્ડ તોડી શકે છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.