ફરી એક વખત છલકાયું TET-TAT પાસ ઉમેદવારોનું દર્દ, કાયમી શિક્ષકોને લઈ યુવા સંસદમાં ઉમેદવારોએ કહી આ વાત, સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-03-18 13:06:02

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ. વિધાનસભામાં પણ શિક્ષકોની ભરતી અંગે ચર્ચા થઈ હતી. આજે પણ અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધાર પર ચાલે છે. શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર થતી હોય છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે .ગાંધીનગરમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાયમી શિક્ષકોને લઈ જે વાત કરવામાં આવી તે સાંભળવા જેવી છે.

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

બાળકો ભણે તે માટે અલગ અલગ યોજનાઓ, કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. બાળકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે બાળક ભણે. ભણવા માટે બાળક શાળામાં આવે છે પરંતુ શાળામાં ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. શિક્ષકોની ઘટ છે ગુજરાતમાં તે વાત તો સરકારે જાતે સ્વીકારી છે વિધાનસભામાં.. અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. કાયમી શિક્ષકોની માગ કરી રહેલા ઉમેદવારોએ ફરી એક વખત સરકારને પ્રશ્ન પૂછ્યો છે. 


ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધારાસભ્યોને લઈ કહી આ વાત

થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં યુવા સંસદ યોજાઈ હતી. યુવા સંસદમાં યુવાનોએ પોતાનો મત રાખ્યો હતો અને સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. પદ ઉપરથી રાજીનામું આપી ગયેલા ધારાસભ્યોને લઈ લોકોએ યુવા સંસદમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે "ધારાસભ્યએ રાજીનામાં આપ્યા એની પેટા ચૂંટણી હમણાં થઈ જશે પણ આ હજારો શિક્ષકોની ભરતી ક્યારે થશે?"   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.