ફરી એક વખત છલકાયું TET-TAT પાસ ઉમેદવારોનું દર્દ, કાયમી શિક્ષકોને લઈ યુવા સંસદમાં ઉમેદવારોએ કહી આ વાત, સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-03-18 13:06:02

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ. વિધાનસભામાં પણ શિક્ષકોની ભરતી અંગે ચર્ચા થઈ હતી. આજે પણ અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધાર પર ચાલે છે. શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર થતી હોય છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે .ગાંધીનગરમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાયમી શિક્ષકોને લઈ જે વાત કરવામાં આવી તે સાંભળવા જેવી છે.

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

બાળકો ભણે તે માટે અલગ અલગ યોજનાઓ, કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. બાળકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે બાળક ભણે. ભણવા માટે બાળક શાળામાં આવે છે પરંતુ શાળામાં ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. શિક્ષકોની ઘટ છે ગુજરાતમાં તે વાત તો સરકારે જાતે સ્વીકારી છે વિધાનસભામાં.. અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. કાયમી શિક્ષકોની માગ કરી રહેલા ઉમેદવારોએ ફરી એક વખત સરકારને પ્રશ્ન પૂછ્યો છે. 


ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધારાસભ્યોને લઈ કહી આ વાત

થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં યુવા સંસદ યોજાઈ હતી. યુવા સંસદમાં યુવાનોએ પોતાનો મત રાખ્યો હતો અને સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. પદ ઉપરથી રાજીનામું આપી ગયેલા ધારાસભ્યોને લઈ લોકોએ યુવા સંસદમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે "ધારાસભ્યએ રાજીનામાં આપ્યા એની પેટા ચૂંટણી હમણાં થઈ જશે પણ આ હજારો શિક્ષકોની ભરતી ક્યારે થશે?"   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી