ફરી એક વખત છલકાયું TET-TAT પાસ ઉમેદવારોનું દર્દ, કાયમી શિક્ષકોને લઈ યુવા સંસદમાં ઉમેદવારોએ કહી આ વાત, સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-03-18 13:06:02

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ. વિધાનસભામાં પણ શિક્ષકોની ભરતી અંગે ચર્ચા થઈ હતી. આજે પણ અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધાર પર ચાલે છે. શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર થતી હોય છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે .ગાંધીનગરમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાયમી શિક્ષકોને લઈ જે વાત કરવામાં આવી તે સાંભળવા જેવી છે.

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ 

બાળકો ભણે તે માટે અલગ અલગ યોજનાઓ, કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. બાળકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે બાળક ભણે. ભણવા માટે બાળક શાળામાં આવે છે પરંતુ શાળામાં ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. શિક્ષકોની ઘટ છે ગુજરાતમાં તે વાત તો સરકારે જાતે સ્વીકારી છે વિધાનસભામાં.. અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. કાયમી શિક્ષકોની માગ કરી રહેલા ઉમેદવારોએ ફરી એક વખત સરકારને પ્રશ્ન પૂછ્યો છે. 


ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધારાસભ્યોને લઈ કહી આ વાત

થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં યુવા સંસદ યોજાઈ હતી. યુવા સંસદમાં યુવાનોએ પોતાનો મત રાખ્યો હતો અને સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. પદ ઉપરથી રાજીનામું આપી ગયેલા ધારાસભ્યોને લઈ લોકોએ યુવા સંસદમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે "ધારાસભ્યએ રાજીનામાં આપ્યા એની પેટા ચૂંટણી હમણાં થઈ જશે પણ આ હજારો શિક્ષકોની ભરતી ક્યારે થશે?"   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.