ફરી એક વખત વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અડફેટે આવી જતા સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-03-24 11:35:23

વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. ફરી એક વખત રેલવે ટ્રેક પર ગાય આવી જતાં અકસ્માત સર્જાયો છે. જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે ત્યારથી અનેક વખત અકસ્માતનો ભોગ ટ્રેનને બનવું પડ્યું છે. હજી સુધી અનેક વખત અકસ્માત થવાને કારણે ટ્રેનને નુકસાન પહોંચ્યું છે. ત્યારે વલસાડ વાપી પાસે ફરી એક વખત ટ્રેનના રસ્તામાં ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા ગાયનું મોત નિપજ્યું છે.


ફરી એક વખત ટ્રેન સાથે સર્જાયો અકસ્માત   

જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ હતી ત્યારથી ટ્રેન સાથે અનેક અકસ્માતો સર્જાયા છે. અનેક વખત રેલવે ટ્રેક પર રખડતાં પશુ આવી ગયા છે જેને કારણે ટ્રેનની ટક્કર રખડતાં પશુ સાથે થઈ છે. ત્યારે ફરી એક વખત વલસાડ નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. ટક્કર થવાને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા પશુનું મોત નિપજ્યું છે. વંદે ભારત ટ્રેનને અકસ્માત નડવાનો કિસ્સો પ્રથમ વખત નથી બન્યો. 


ટ્રેક પર પશુ આવી જતા સર્જાય છે અકસ્માત

અનેક વખત વંદે ભારત ટ્રેનના રસ્તા પર રખડતાં પશુ આવી ગયા છે તેવી ઘટનાઓ બની છે. અત્યારસુધી અસંખ્ય વખત ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. અકસ્માત થવાને કારણે ટ્રેન હંમેશા ચર્ચામાં રહેતી હતી. ટ્રેક પર પશુ આવી જતા અકસ્માત થતો હોય છે જેમાં પશુનું મોત તો નિપજે છે પરંતુ ટ્રેનને પણ નુકસાન વેઠવાનો વારો આવે છે. થોડા સમયથી અકસ્માતની ઘટના ન બની હતી. પરંતુ ફરી એક વખત અકસ્માત થવાનો કિસ્સો સામે આવ્યો છે. અવાર-નવાર થતા અકસ્માતને કારણે મુસાફરોના જીવ જોખમમાં મૂકાય છે.  


રખડતાં પશુનો ત્રાસ રેલવે ટ્રેક પર પણ જોવા મળ્યો!

અસંખ્ય વખત ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડે છે. ડિસેમ્બર મહિનામાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. તે પહેલા અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પર ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. તે ઉપરાંત ઓક્ટોબરમાં પણ ટ્રેનને અકસ્માતનો ભોગ બનવો પડ્યો હતો. રખડતાં પશુને કારણે અનેક વખત અકસ્માત સર્જાયા છે. રખડતાં પશુનો આંતક રસ્તા પર તો જોવા મળે છે પરંતુ રેલવે ટ્રેક પર પણ રખડતાં પશુને કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે રખડતાં પશુઓને લઈ કડક કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ હોય તેવું લાગી રહ્યું છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.