ફરી એક વખત વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અડફેટે આવી જતા સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-03-24 11:35:23

વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. ફરી એક વખત રેલવે ટ્રેક પર ગાય આવી જતાં અકસ્માત સર્જાયો છે. જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે ત્યારથી અનેક વખત અકસ્માતનો ભોગ ટ્રેનને બનવું પડ્યું છે. હજી સુધી અનેક વખત અકસ્માત થવાને કારણે ટ્રેનને નુકસાન પહોંચ્યું છે. ત્યારે વલસાડ વાપી પાસે ફરી એક વખત ટ્રેનના રસ્તામાં ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા ગાયનું મોત નિપજ્યું છે.


ફરી એક વખત ટ્રેન સાથે સર્જાયો અકસ્માત   

જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ હતી ત્યારથી ટ્રેન સાથે અનેક અકસ્માતો સર્જાયા છે. અનેક વખત રેલવે ટ્રેક પર રખડતાં પશુ આવી ગયા છે જેને કારણે ટ્રેનની ટક્કર રખડતાં પશુ સાથે થઈ છે. ત્યારે ફરી એક વખત વલસાડ નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. ટક્કર થવાને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા પશુનું મોત નિપજ્યું છે. વંદે ભારત ટ્રેનને અકસ્માત નડવાનો કિસ્સો પ્રથમ વખત નથી બન્યો. 


ટ્રેક પર પશુ આવી જતા સર્જાય છે અકસ્માત

અનેક વખત વંદે ભારત ટ્રેનના રસ્તા પર રખડતાં પશુ આવી ગયા છે તેવી ઘટનાઓ બની છે. અત્યારસુધી અસંખ્ય વખત ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. અકસ્માત થવાને કારણે ટ્રેન હંમેશા ચર્ચામાં રહેતી હતી. ટ્રેક પર પશુ આવી જતા અકસ્માત થતો હોય છે જેમાં પશુનું મોત તો નિપજે છે પરંતુ ટ્રેનને પણ નુકસાન વેઠવાનો વારો આવે છે. થોડા સમયથી અકસ્માતની ઘટના ન બની હતી. પરંતુ ફરી એક વખત અકસ્માત થવાનો કિસ્સો સામે આવ્યો છે. અવાર-નવાર થતા અકસ્માતને કારણે મુસાફરોના જીવ જોખમમાં મૂકાય છે.  


રખડતાં પશુનો ત્રાસ રેલવે ટ્રેક પર પણ જોવા મળ્યો!

અસંખ્ય વખત ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડે છે. ડિસેમ્બર મહિનામાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. તે પહેલા અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પર ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. તે ઉપરાંત ઓક્ટોબરમાં પણ ટ્રેનને અકસ્માતનો ભોગ બનવો પડ્યો હતો. રખડતાં પશુને કારણે અનેક વખત અકસ્માત સર્જાયા છે. રખડતાં પશુનો આંતક રસ્તા પર તો જોવા મળે છે પરંતુ રેલવે ટ્રેક પર પણ રખડતાં પશુને કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે રખડતાં પશુઓને લઈ કડક કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ હોય તેવું લાગી રહ્યું છે.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.