ફરી એક વખત કાળઝાળ ગરમીનો કરવો પડશે અહેસાસ! તાપમાનમાં થશે વધારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-01 08:49:26

થોડા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. માવઠાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવેથી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદીઓએ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં ગરમીનું જોર વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે. 



અમદાવાદ માટે યલો એલર્ટ કરાયું જાહેર!

તાપમાનમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં હળવો નહીં પરંતુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. અચાનક પડેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ આવ્યો હતો. કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આગામી દિવસો માટે તાપમાન વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. અમદાવાદ માટે આજે અને 4 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



કમોસમી વરસાદને કારણે મે મહિનામાં નોંધાયું ઓછું તાપમાન! 

ઉલ્લેખનિય છે કે મે મહિના દરમિયાન કાળઝાળ ગરમી પડતી હોય છે. આ વખતે મે મહિનામાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. પરંતુ વચ્ચે વચ્ચે પડતા વરસાદને કારણે તાપમાનમાં ફેરફાર આવતો રહેતો હતો.  સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું નોંધાતું હોય છે પરંતુ આ વર્ષે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પરંતુ જૂન મહિનામાં ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે. 


ગુજરાતમાં ચોમાસાને લઈ કરવામાં આવી આગાહી!

15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસુ મોડું બેસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે. સૌથી પહેલું ચોમાસુ કેરળમાં બેસતું હોય છે. પરંતુ આ વખતે કેરળમાં જ ચોમાસુ 15 જૂન આસપાસ બેસવાનું છે. એટલે ગુજરાતમાં 22 જૂન બાદ ચોમાસું બેસી શકે છે.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.