ફરી એક વખત કાળઝાળ ગરમીનો કરવો પડશે અહેસાસ! તાપમાનમાં થશે વધારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-01 08:49:26

થોડા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. માવઠાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવેથી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદીઓએ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં ગરમીનું જોર વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે. 



અમદાવાદ માટે યલો એલર્ટ કરાયું જાહેર!

તાપમાનમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં હળવો નહીં પરંતુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. અચાનક પડેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ આવ્યો હતો. કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આગામી દિવસો માટે તાપમાન વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. અમદાવાદ માટે આજે અને 4 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



કમોસમી વરસાદને કારણે મે મહિનામાં નોંધાયું ઓછું તાપમાન! 

ઉલ્લેખનિય છે કે મે મહિના દરમિયાન કાળઝાળ ગરમી પડતી હોય છે. આ વખતે મે મહિનામાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. પરંતુ વચ્ચે વચ્ચે પડતા વરસાદને કારણે તાપમાનમાં ફેરફાર આવતો રહેતો હતો.  સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું નોંધાતું હોય છે પરંતુ આ વર્ષે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પરંતુ જૂન મહિનામાં ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે. 


ગુજરાતમાં ચોમાસાને લઈ કરવામાં આવી આગાહી!

15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસુ મોડું બેસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે. સૌથી પહેલું ચોમાસુ કેરળમાં બેસતું હોય છે. પરંતુ આ વખતે કેરળમાં જ ચોમાસુ 15 જૂન આસપાસ બેસવાનું છે. એટલે ગુજરાતમાં 22 જૂન બાદ ચોમાસું બેસી શકે છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.