ફરી એક વખત કાળઝાળ ગરમીનો કરવો પડશે અહેસાસ! તાપમાનમાં થશે વધારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-01 08:49:26

થોડા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. માવઠાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવેથી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદીઓએ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં ગરમીનું જોર વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે. 



અમદાવાદ માટે યલો એલર્ટ કરાયું જાહેર!

તાપમાનમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં હળવો નહીં પરંતુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. અચાનક પડેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ આવ્યો હતો. કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આગામી દિવસો માટે તાપમાન વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. અમદાવાદ માટે આજે અને 4 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



કમોસમી વરસાદને કારણે મે મહિનામાં નોંધાયું ઓછું તાપમાન! 

ઉલ્લેખનિય છે કે મે મહિના દરમિયાન કાળઝાળ ગરમી પડતી હોય છે. આ વખતે મે મહિનામાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. પરંતુ વચ્ચે વચ્ચે પડતા વરસાદને કારણે તાપમાનમાં ફેરફાર આવતો રહેતો હતો.  સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું નોંધાતું હોય છે પરંતુ આ વર્ષે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પરંતુ જૂન મહિનામાં ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે. 


ગુજરાતમાં ચોમાસાને લઈ કરવામાં આવી આગાહી!

15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસુ મોડું બેસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે. સૌથી પહેલું ચોમાસુ કેરળમાં બેસતું હોય છે. પરંતુ આ વખતે કેરળમાં જ ચોમાસુ 15 જૂન આસપાસ બેસવાનું છે. એટલે ગુજરાતમાં 22 જૂન બાદ ચોમાસું બેસી શકે છે.        



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..