ગોપાલ ઈટાલીયા સામે વધુ એક ફરીયાદ, કૃષ્ણ ભગવાન પર શું કરી હતી ટીપ્પણી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 13:46:07

શ્રીકૃષ્ણ ભગવાન પર શું કરી હતી ટીપ્પણી?

વાત આખી એમ છે કે અરવિંદ કેજરીવાલ દ્વારકાની મુલાકાતે હતા, ખેડૂતો માટે મફત વિજળીની જાહેરાત કરી હતી, ગોપાલ ઈટાલીયા સંબોધન કરી રહ્યા હતા, ત્યાં આ વાક્ય એ બોલ્યા હતા શ્રીકૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે. આહિર સમાજના એક યુવક અમિત આહિરની ધાર્મીક લાગણી એમાં દુભાઈ અને એટલે ભાવનગરના ઉમરાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે પણ આઈપીસી 295એ, આઈપીસી 298એની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

આ પહેલા સુરતમાં ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી કહેતા ફરીયાદ થઈ

હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી અને ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી ગોપાલે કહ્યું હતું તો એની સામે સુરતમાં ફરીયાદ નોંધાઈ હતી, હવે એક એફઆઈઆરના ચક્કરમાંથી ઈટાલીયા બહાર આવે એ પહેલા બીજી ફરીયાદ થઈ ગઈ છે.

 

હજું ચૂંટણી પહેલા બીજું ઘણું બધુ થશે?

ગોપાલ ઈટાલીયાના જૂના વિડીયો ચૂંટણી પહેલા માર્કેટમાં આવવાની પુરી સંભાવના છે જેમાં એ હિંદૂ ધર્મ, સભ્યતા, બ્રાહ્મણ અને કથાકારો માટે બેફામ બોલી ચુક્યા છે, પણ ત્યારે એ રાજનીતિમાં નહોતા, હવે જૂની વાતો ગમે ત્યારે બહાર આવી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.