વધુ એક પોલીસકર્મી દારૂની તસ્કરી કરતા ઝડપાયો, છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી પોલીસે બે લોકોની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-24 14:21:03

ગુજરાતમાં દારૂબંધીના કાયદો એક મજાક બની ગયો છે. દારૂની તસ્કરી અને વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. પોલીસ સાથે સાંઠગાઠ કરીને બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે. ઘણી વખત તો એવું બને છે કે પોલીસકર્મીઓ જ દારૂની તસ્કરી કરતા પકડાયા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે SRP ગ્રુપના કોન્સ્ટેબલને  દારૂની તસ્કરી કરતા પડડી પાડ્યો છે. હવે સવાલ એ થાય છે કે દારૂબંધીના કાયદોનો અમલ કરાવવાની જવાબદારી જેમના માથે છે તે પોલીસકર્મીઓ જ જો દારૂની તસ્કરી કરતા હોય તો પછી ફરિયાદ કોને કરવી?


બે લોકોની ધરપકડ


રાજ્યમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને જાણે સરકારી પગાર ઓછો પડતો હોય તેમ સાઈડ બિઝનેસ તરીકે દારૂની તસ્કરી પણ કરે છે. પોલીસ વાહન કે વર્દીમાં દારૂની હેરાફેરી કરતા આવા ભ્રષ્ટ પોલીસકર્મી પર કોઈને શંકા પણ જતી નથી તેથી તેમનું કામ આસાન બની જાય છે. જેમ કે  છોટાઉદેપુરના નશવાડી પોલસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સનો ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક આરોપી મહીપાલસિંહ જાડેજા છે જે ડિયાદ SRP ગ્રુપનો કોન્સ્ટેબલ છે. જ્યારે તેની સાથે રહેલા બીજા આરોપીનું નામ દીપકસિંહ સોલંકી છે. પોલીસે બાતમીના આધારે કવાંટથી નસવાડી તરફ આવતી કારને રોકીને તપાસ હાથ ધરી હતી, પોલીસ તપાસમાં કારની ડેકીમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાનો દારૂ અને કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્ઝે કર્યો છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી વિદેશી દારૂ તથા તે માટે ઉપયોગમાં લેવામાં આવેલા વાહનને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.