વધુ એક પોલીસકર્મી દારૂની તસ્કરી કરતા ઝડપાયો, છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી પોલીસે બે લોકોની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-24 14:21:03

ગુજરાતમાં દારૂબંધીના કાયદો એક મજાક બની ગયો છે. દારૂની તસ્કરી અને વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. પોલીસ સાથે સાંઠગાઠ કરીને બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે. ઘણી વખત તો એવું બને છે કે પોલીસકર્મીઓ જ દારૂની તસ્કરી કરતા પકડાયા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે SRP ગ્રુપના કોન્સ્ટેબલને  દારૂની તસ્કરી કરતા પડડી પાડ્યો છે. હવે સવાલ એ થાય છે કે દારૂબંધીના કાયદોનો અમલ કરાવવાની જવાબદારી જેમના માથે છે તે પોલીસકર્મીઓ જ જો દારૂની તસ્કરી કરતા હોય તો પછી ફરિયાદ કોને કરવી?


બે લોકોની ધરપકડ


રાજ્યમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને જાણે સરકારી પગાર ઓછો પડતો હોય તેમ સાઈડ બિઝનેસ તરીકે દારૂની તસ્કરી પણ કરે છે. પોલીસ વાહન કે વર્દીમાં દારૂની હેરાફેરી કરતા આવા ભ્રષ્ટ પોલીસકર્મી પર કોઈને શંકા પણ જતી નથી તેથી તેમનું કામ આસાન બની જાય છે. જેમ કે  છોટાઉદેપુરના નશવાડી પોલસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સનો ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક આરોપી મહીપાલસિંહ જાડેજા છે જે ડિયાદ SRP ગ્રુપનો કોન્સ્ટેબલ છે. જ્યારે તેની સાથે રહેલા બીજા આરોપીનું નામ દીપકસિંહ સોલંકી છે. પોલીસે બાતમીના આધારે કવાંટથી નસવાડી તરફ આવતી કારને રોકીને તપાસ હાથ ધરી હતી, પોલીસ તપાસમાં કારની ડેકીમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાનો દારૂ અને કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્ઝે કર્યો છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી વિદેશી દારૂ તથા તે માટે ઉપયોગમાં લેવામાં આવેલા વાહનને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.