વધુ એક પોલીસકર્મી દારૂની તસ્કરી કરતા ઝડપાયો, છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી પોલીસે બે લોકોની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-24 14:21:03

ગુજરાતમાં દારૂબંધીના કાયદો એક મજાક બની ગયો છે. દારૂની તસ્કરી અને વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. પોલીસ સાથે સાંઠગાઠ કરીને બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે. ઘણી વખત તો એવું બને છે કે પોલીસકર્મીઓ જ દારૂની તસ્કરી કરતા પકડાયા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે SRP ગ્રુપના કોન્સ્ટેબલને  દારૂની તસ્કરી કરતા પડડી પાડ્યો છે. હવે સવાલ એ થાય છે કે દારૂબંધીના કાયદોનો અમલ કરાવવાની જવાબદારી જેમના માથે છે તે પોલીસકર્મીઓ જ જો દારૂની તસ્કરી કરતા હોય તો પછી ફરિયાદ કોને કરવી?


બે લોકોની ધરપકડ


રાજ્યમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને જાણે સરકારી પગાર ઓછો પડતો હોય તેમ સાઈડ બિઝનેસ તરીકે દારૂની તસ્કરી પણ કરે છે. પોલીસ વાહન કે વર્દીમાં દારૂની હેરાફેરી કરતા આવા ભ્રષ્ટ પોલીસકર્મી પર કોઈને શંકા પણ જતી નથી તેથી તેમનું કામ આસાન બની જાય છે. જેમ કે  છોટાઉદેપુરના નશવાડી પોલસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સનો ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક આરોપી મહીપાલસિંહ જાડેજા છે જે ડિયાદ SRP ગ્રુપનો કોન્સ્ટેબલ છે. જ્યારે તેની સાથે રહેલા બીજા આરોપીનું નામ દીપકસિંહ સોલંકી છે. પોલીસે બાતમીના આધારે કવાંટથી નસવાડી તરફ આવતી કારને રોકીને તપાસ હાથ ધરી હતી, પોલીસ તપાસમાં કારની ડેકીમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાનો દારૂ અને કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્ઝે કર્યો છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી વિદેશી દારૂ તથા તે માટે ઉપયોગમાં લેવામાં આવેલા વાહનને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.