વધુ એક પોલીસકર્મી દારૂની તસ્કરી કરતા ઝડપાયો, છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી પોલીસે બે લોકોની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-24 14:21:03

ગુજરાતમાં દારૂબંધીના કાયદો એક મજાક બની ગયો છે. દારૂની તસ્કરી અને વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. પોલીસ સાથે સાંઠગાઠ કરીને બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે. ઘણી વખત તો એવું બને છે કે પોલીસકર્મીઓ જ દારૂની તસ્કરી કરતા પકડાયા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે SRP ગ્રુપના કોન્સ્ટેબલને  દારૂની તસ્કરી કરતા પડડી પાડ્યો છે. હવે સવાલ એ થાય છે કે દારૂબંધીના કાયદોનો અમલ કરાવવાની જવાબદારી જેમના માથે છે તે પોલીસકર્મીઓ જ જો દારૂની તસ્કરી કરતા હોય તો પછી ફરિયાદ કોને કરવી?


બે લોકોની ધરપકડ


રાજ્યમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને જાણે સરકારી પગાર ઓછો પડતો હોય તેમ સાઈડ બિઝનેસ તરીકે દારૂની તસ્કરી પણ કરે છે. પોલીસ વાહન કે વર્દીમાં દારૂની હેરાફેરી કરતા આવા ભ્રષ્ટ પોલીસકર્મી પર કોઈને શંકા પણ જતી નથી તેથી તેમનું કામ આસાન બની જાય છે. જેમ કે  છોટાઉદેપુરના નશવાડી પોલસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સનો ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક આરોપી મહીપાલસિંહ જાડેજા છે જે ડિયાદ SRP ગ્રુપનો કોન્સ્ટેબલ છે. જ્યારે તેની સાથે રહેલા બીજા આરોપીનું નામ દીપકસિંહ સોલંકી છે. પોલીસે બાતમીના આધારે કવાંટથી નસવાડી તરફ આવતી કારને રોકીને તપાસ હાથ ધરી હતી, પોલીસ તપાસમાં કારની ડેકીમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાનો દારૂ અને કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્ઝે કર્યો છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી વિદેશી દારૂ તથા તે માટે ઉપયોગમાં લેવામાં આવેલા વાહનને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી