સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં વધુ એક કામદારનું મોત, મૃત્યુઆંક વધીને 8 થયો, માલિકો સામે નોંધાશે ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-12-05 14:54:15

સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી સ્પેશિયાલિટી કેમિકલ મૅન્યૂફૅક્ચરિંગ કંપની એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ફૅક્ટરીમાં લાગેલી ભયાનક આગમાં વધુ એક કામદારનું મોત નિપજ્યું છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 8 થઈ ગયો છે. આગની ઘટનામાં બે ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં 40 વર્ષીય પ્રમોદ મદારી ગૌતમનો પણ સમાવેશ થતો હતો. ઈજાગ્રસ્ત પ્રમોદ મદારીનું સારવાર દરમિયાન મોત થતા મામલો વધુ વણસ્યો છે. આ મામલે કાંઈક રંધાઈ રહ્યું છે તેવી ગંધ આવતા હવે FSL અને NGT તપાસ શરૂ કરી છે. 


NGTએ કલેક્ટર અને GPCBને નોટિસ 


સુરત એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ મામલે NGT (નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે) કલેક્ટર અને GPCBને નોટિસ ફટકારી છે. 8 ડિસેમ્બરે યોજાનારી સુનાવણીમાં હાજર રહેવા કલેક્ટર અને પ્રદુષણ બોર્ડને પણ આદેશ અપાયા છે. વળતર માટે NGT કોર્ટ દ્વારા તપાસ કરવા કમિટીની રચના કરાશે અને વળતરની જાહેરાત બાદ વળતર ચૂકવાયું કે કેમ તે અંગે તપાસ કરાશે. NGT ઉપરાંત સુરતની પણ 2 સંસ્થાઓ દ્વારા કેસ દાખલ કરાયો છે.  NGT દ્વારા રચાયેલી કમિટી વિસ્ફોટના કારણોની પણ તપાસ કરશે.


FSLએ શરૂ કરી સેમ્પલ લેવાની કામગીરી


હવે આ મામલે 9 દિવસ બાદ મોડે મોડે FSLપણ એક્સનમાં આવ્યું છે. FSL દ્વારા ઘટનાના 9 દિવસ બાદ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટનું બહાનું આગળ કરી મોડું થયાનો દાવો કરાયો છે. 9 દિવસ સુધી સેમ્પલ નહીં લેવાતા તપાસની તટસ્થતા સામે પણ આક્ષેપો થઈ રહ્યાં છે.  


આગનું કારણ સામે આવ્યું 


એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગનું કારણ  તપાસ કમિટીના રિપોર્ટમાં જાણવા મળ્યું છે. એથરમાં ટ્રેટા હાઇડ્રોફ્યુરન સોલ્વન્ટને કારણે આગ લાગ્યાનો ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરીમા કામ કરતા કામદારોના જણાવ્યા મુજબ ટ્રેટા હાઇડ્રોફ્યુરન સોલ્વન્ટની ટેન્કમાં ધડાકો થયો હતો જો કે આગમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની કમિટી રાહ જોઇ રહી છે. બુધવાર સાંજ સુધીમાં તપાસ કમિટી રિપોર્ટ સોંપે તેવી શક્યતા છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ દ્વારા એથરના માલિકો સામે કોર્ટમાં કેસ દાખલ કરાશે અને તપાસ સમિતીના રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેશે. વિસ્તૃત રિપોર્ટ બાદ કઈ કલમો અંતર્ગત કેસ નોંધવો તે અંગે નિર્ણય લેવાશે. ઉલ્લેખનિય છે કે એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સુરત (ગુજરાત, ભારત) વિભિન્ન ઇન્ટરમિડિયેટ કેમિકલ્સ અને ટૅક્નૉલૉજી સેક્ટરમાં કાર્યરત કંપની છે. તેની પ્રોડક્ટો ફાર્માસ્યૂટિકલ, ઍગ્રોકેમિકલ, મટિરિયલ સાયન્સ, કોટિંગ, ફોટોગ્રાફી માટે વપરાતા રસાયણો, એડિટિવ અને ઑઇલ તથા ગૅસ સહિતના રસાયણ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવે છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી