વન નેશન વન ચલણ પ્રોજેક્ટ કરાયો શરૂ, કાયદાનો ભંગ કરી ચલાણ ન ભરનાર વિરૂદ્ધ કરાશે આ કડક કાર્યવાહી, સાંભળો શું કહ્યું IPS Safin Hasanએ?


  • Published By :
  • Published Date : 2024-01-17 14:27:15

જ્યારે આપણે કોઈ કાયદાનો ભંગ કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ કે કાયદો જ તોડવા માટે બનાવવામાં આવે છે. કાયદાનો ભંગ કરી લોકોને આનંદ થતો હોય તેવું ઘણી વાર લાગે છે. જો કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તો લોકોને કદાચ મૂર્ખ ગણતા હશે. રસ્તા પર મુખ્યત્વે લોકો હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગ કરતા જોવા મળતા હોય છે. જો કોઈ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે તો ઈ મેમો ફાડવામાં આવે છે. કદાચ તમારા ઘરમાં પણ દંડ ભરવાનું ફરફરીયું આવ્યું હશે. પરંતુ જો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ચેતી જજો કારણ કે રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ચલણ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે એનઆઈસીના સહયોગથી. મોબાઈલ એપ્લીકેશનમાં ઈ ચલણ એપ્લિકેશન 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે.

વન નેશન વન ચલણ પ્રોજેક્ટની કરાઈ શરૂઆત  

દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવવાની છે. ટ્રાફિકના નિયમો અંગે લોકો જાગૃત થાય, નિયમોનું પાલન કરે તે માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા. ત્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ દંડ ન ભરનાર લોકો વિરૂદ્ધ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. વન નેશન વન ચલણ અંતર્ગત જો ઈ ચલણની અવગણના કરી તો તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિકના નિયમ ભંગ કરનારને મોબાઈલ નંબર પર જ એસએમએસ થકી ઈ-ચલણ મોકલી આપશે, જો વાહન ચાલક ઈચ્છે તો સ્થળ પર જ તે ઈ-મેમો ભરી શકે છે . 


જો ચલણની અવગણના કરી તો..

નવા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરતા સમયે જ દંડ ભરવાનો મોકો આપશે. જો તમે ન ભરો તો 90 દિવસમાં મોબાઈલ દ્વારા ઓનલાઈન ઈ-ચલણ ભરી શકશો. જો તમે આ સમયગાળા દરમિયાન દંડ નહીં ભરો તો વર્ચ્યુઅલ કોર્ટમા કાર્યવાહી કરવામાં આવશે. જો તે બાદ પણ દંડ નહીં ભર્યો હોય તો ફિઝિકલ કોર્ટમાં કેસ ચાલશે અને તે બાદ જેલની સજા પણ થઈ શકે છે. 


ટ્રાફિકના નિયમોને પાળવા લોકોને કરી પોલીસે અપીલ  

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન સારી રીતે કરે તે માટે રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં આ પ્રોજેક્ટને અમલ મૂકવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેને આ એપ્લિકેશનની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એક પ્રશ્ન થાય કે શું આ નિયમો પોલીસ માટે પડશે કારણ કે અનેક વખત આપણે જોયું હશે કે પોલીસકર્મીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.