વન નેશન વન ચલણ પ્રોજેક્ટ કરાયો શરૂ, કાયદાનો ભંગ કરી ચલાણ ન ભરનાર વિરૂદ્ધ કરાશે આ કડક કાર્યવાહી, સાંભળો શું કહ્યું IPS Safin Hasanએ?


  • Published By :
  • Published Date : 2024-01-17 14:27:15

જ્યારે આપણે કોઈ કાયદાનો ભંગ કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ કે કાયદો જ તોડવા માટે બનાવવામાં આવે છે. કાયદાનો ભંગ કરી લોકોને આનંદ થતો હોય તેવું ઘણી વાર લાગે છે. જો કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તો લોકોને કદાચ મૂર્ખ ગણતા હશે. રસ્તા પર મુખ્યત્વે લોકો હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગ કરતા જોવા મળતા હોય છે. જો કોઈ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે તો ઈ મેમો ફાડવામાં આવે છે. કદાચ તમારા ઘરમાં પણ દંડ ભરવાનું ફરફરીયું આવ્યું હશે. પરંતુ જો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ચેતી જજો કારણ કે રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ચલણ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે એનઆઈસીના સહયોગથી. મોબાઈલ એપ્લીકેશનમાં ઈ ચલણ એપ્લિકેશન 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે.

વન નેશન વન ચલણ પ્રોજેક્ટની કરાઈ શરૂઆત  

દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવવાની છે. ટ્રાફિકના નિયમો અંગે લોકો જાગૃત થાય, નિયમોનું પાલન કરે તે માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા. ત્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ દંડ ન ભરનાર લોકો વિરૂદ્ધ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. વન નેશન વન ચલણ અંતર્ગત જો ઈ ચલણની અવગણના કરી તો તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિકના નિયમ ભંગ કરનારને મોબાઈલ નંબર પર જ એસએમએસ થકી ઈ-ચલણ મોકલી આપશે, જો વાહન ચાલક ઈચ્છે તો સ્થળ પર જ તે ઈ-મેમો ભરી શકે છે . 


જો ચલણની અવગણના કરી તો..

નવા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરતા સમયે જ દંડ ભરવાનો મોકો આપશે. જો તમે ન ભરો તો 90 દિવસમાં મોબાઈલ દ્વારા ઓનલાઈન ઈ-ચલણ ભરી શકશો. જો તમે આ સમયગાળા દરમિયાન દંડ નહીં ભરો તો વર્ચ્યુઅલ કોર્ટમા કાર્યવાહી કરવામાં આવશે. જો તે બાદ પણ દંડ નહીં ભર્યો હોય તો ફિઝિકલ કોર્ટમાં કેસ ચાલશે અને તે બાદ જેલની સજા પણ થઈ શકે છે. 


ટ્રાફિકના નિયમોને પાળવા લોકોને કરી પોલીસે અપીલ  

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન સારી રીતે કરે તે માટે રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં આ પ્રોજેક્ટને અમલ મૂકવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેને આ એપ્લિકેશનની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એક પ્રશ્ન થાય કે શું આ નિયમો પોલીસ માટે પડશે કારણ કે અનેક વખત આપણે જોયું હશે કે પોલીસકર્મીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.