તમારા જમાવટને એક વર્ષ પુરૂ| હાજર છીએ એપ્લિકેશન સાથે!|Chhotaudepurના બાળકોની વચ્ચે મનાવ્યો બર્થડે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-25 15:38:14

છેલ્લા એક વર્ષમાં ગુજરાતે અમને ખૂબ પ્રેમ આપ્યો છે. એક નાનકડા સપનાથી શરૂ થયેલી સફર આજે એક મુકામે પહોંચી ગઈ છે. લાખો લોકોનો પ્રેમ અમને મળી રહ્યો છે. એક વર્ષની સફરમાં અનેક વખત અમે એવા પ્રશ્નોની રજૂઆત કરી છે જે દરેક ગુજરાતીને જાણવું જોઈએ. આપણે શહેરમાં વસીએ છીએ પરંતુ ગુજરાતમાં જ અંતરિયાળ વિસ્તારો એવા છે જે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જમાવટે પોતાનો બર્થ-ડે એ ગામડામાં જઈને સેલિબ્રેટ કર્યો જ્યાં પાકા રસ્તાઓ નથી, વીજળી નથી, શાળા છે પરંતુ ત્યાં માત્ર 8 જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એપ્લિકેશન પણ આ જ વિદ્યાર્થીઓના હસ્તે લોન્ચ કરવામાં આવી છે. છોટાઉદેપુરના બાળકો વચ્ચે પહેલો બર્થ-ડે જમાવટે મનાવ્યો હતો. 

નાના બાળકોના હસ્તે લોન્ચ થઈ જમાવટની એપ્લિકેશન  

જમાવટ આજે પોતાની પહેલી બર્થ-ડે મનાવી રહ્યું છે. એક વર્ષની આ યાત્રા બહુ જ યાદગાર રહી. અનેક એવા પ્રશ્નો અમે આ સફર દરમિયાન ઉઠાવ્યા જે સામાન્ય માણસને સીધી રીતે અથવા તો આડકતરી રીતે તમારા જીવન પર અસર કરતા હોય છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો પણ વિકાસના એટલા જ હકદાર છે. તે પણ સન્માનના હકદાર છે. મોટા માણસોના હસ્તે અમે અમારી એપ્લિકેશન લોન્ચ કરાવી શકતા હતા. પરંતુ અમે એવા બાળકોના હસ્તે એપ્લિકેશન લોન્ચ કરાવી જેમણે નાની ઉંમરમાં જ અનેક સંઘર્ષો જોયા છે. અનેક મુશ્કેલી વેઠ્યા બાદ પણ સપના જવાનું નથી છોડતા. એ આંખોમાં પણ એ જ સપના છે જે આપણી આંખોમાં હોય છે. નાની આંખોમાં મોટા સપના જોવા. સંઘર્ષોથી ઘેરાયેલા હોવા છતાંય એ બાળકોએ શાળામાં જવાનું નથી છોડ્યું. આ છે અમારા હમસફર નિરાશ થયા વગર, સોનેરી ભવિષ્યની શોધમાં સતત ઉજાસ પાથરતા બાળકોની વચ્ચે પહોંચ્યું છે જમાવટ.  

  

એક વર્ષમાં અમને સમજાયો સંઘર્ષનો ખરો અર્થ!

જે બાળકો વચ્ચે જમાવટે પોતાના બર્થડે સેલિબ્રેટ કર્યો છે તે બાળકો અને અમારી વચ્ચે એક જ સામ્યતા છે દરેક અવરોધો, દરેક મુશ્કેલીઓ, પડકાર અને સિમીત સંશાધનો વચ્ચે જોવાયેલા વિશાળ સપનાઓની. અને આજ સામ્યતા અમને છોટા ઉદેપુર ખેંચી ગઈ હતી. એ બાળકો જેમની આંખોમાં વિશાળ સપના જોવાની હિંમત છે. સંઘર્ષો વચ્ચે પણ પોતાને સાબિત કરવાની.  જમાવટના એક વર્ષમાં જે અનુભવ અમને થયો તેના પરથી અમને સાહસનો ખરો અર્થ સમજાયો.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.