હવે ડુંગળી લોકોને રડાવશે, થોડા જ દિવસોમાં ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાને વટાવી જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:46:27

દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી છે. દુધ, દહી, અનાજ, કઠોળ, શાકભાજી, તથા પેટ્રોલ, ડિઝલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. જો કે હવે ડુંગળી પણ રડાવવાની તૈયારી કરી રહી છે. દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. 


ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાએ પહોંચી જશે 


બજારમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ડુંગળીનો નવો ન આવે ત્યાં સુધી ભાવમાં ઉછાળો ચાલુ રહેશે. સમાચાર અનુસાર, ઘણી જગ્યાએ ડુંગળીની છૂટક કિંમત રૂ.40 પ્રતિ કિલોને પાર થઈ ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે ડુંગળી ટૂંક સમયમાં રૂ.50 પ્રતિ કિલોને પાર કરી શકે છે. ઓક્ટોબરની શરૂઆતમાં, છૂટક બજારમાં ડુંગળી 15 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી. ડુંગળીની ખરીદ કિંમત પખવાડિયા પહેલાની સરખામણીએ લગભગ 30-40% વધારે છે. સામાન્ય રીતે ડુંગળીની ખરીદ કિંમત રૂ.15 થી રૂ.30 પ્રતિ કિલોની વચ્ચે હોય છે. ડુંગળીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે રવિ પાક પછી ભાવ સ્થિર થશે. ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો 70% છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.