હવે ડુંગળી લોકોને રડાવશે, થોડા જ દિવસોમાં ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાને વટાવી જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:46:27

દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી છે. દુધ, દહી, અનાજ, કઠોળ, શાકભાજી, તથા પેટ્રોલ, ડિઝલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. જો કે હવે ડુંગળી પણ રડાવવાની તૈયારી કરી રહી છે. દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. 


ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાએ પહોંચી જશે 


બજારમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ડુંગળીનો નવો ન આવે ત્યાં સુધી ભાવમાં ઉછાળો ચાલુ રહેશે. સમાચાર અનુસાર, ઘણી જગ્યાએ ડુંગળીની છૂટક કિંમત રૂ.40 પ્રતિ કિલોને પાર થઈ ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે ડુંગળી ટૂંક સમયમાં રૂ.50 પ્રતિ કિલોને પાર કરી શકે છે. ઓક્ટોબરની શરૂઆતમાં, છૂટક બજારમાં ડુંગળી 15 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી. ડુંગળીની ખરીદ કિંમત પખવાડિયા પહેલાની સરખામણીએ લગભગ 30-40% વધારે છે. સામાન્ય રીતે ડુંગળીની ખરીદ કિંમત રૂ.15 થી રૂ.30 પ્રતિ કિલોની વચ્ચે હોય છે. ડુંગળીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે રવિ પાક પછી ભાવ સ્થિર થશે. ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો 70% છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.