હવે ડુંગળી લોકોને રડાવશે, થોડા જ દિવસોમાં ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાને વટાવી જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:46:27

દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી છે. દુધ, દહી, અનાજ, કઠોળ, શાકભાજી, તથા પેટ્રોલ, ડિઝલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. જો કે હવે ડુંગળી પણ રડાવવાની તૈયારી કરી રહી છે. દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. 


ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાએ પહોંચી જશે 


બજારમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ડુંગળીનો નવો ન આવે ત્યાં સુધી ભાવમાં ઉછાળો ચાલુ રહેશે. સમાચાર અનુસાર, ઘણી જગ્યાએ ડુંગળીની છૂટક કિંમત રૂ.40 પ્રતિ કિલોને પાર થઈ ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે ડુંગળી ટૂંક સમયમાં રૂ.50 પ્રતિ કિલોને પાર કરી શકે છે. ઓક્ટોબરની શરૂઆતમાં, છૂટક બજારમાં ડુંગળી 15 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી. ડુંગળીની ખરીદ કિંમત પખવાડિયા પહેલાની સરખામણીએ લગભગ 30-40% વધારે છે. સામાન્ય રીતે ડુંગળીની ખરીદ કિંમત રૂ.15 થી રૂ.30 પ્રતિ કિલોની વચ્ચે હોય છે. ડુંગળીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે રવિ પાક પછી ભાવ સ્થિર થશે. ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો 70% છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે