અહો આશ્ચર્યમ: મહેસાણાના બિલ્ડરના બેંક ખાતામાંથી 37 લાખ રૂપિયા ઉપડી ગયા


  • Published By :
  • Published Date : 2023-01-02 17:31:13

ઈન્ટરનેટ બેંકિંગ જે ઝડપથી વધી રહ્યું છે તેટલા જ પ્રમાણમાં ઓન લાઈન ફ્રોડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મહેસાણામાં એક બિલ્ડરના ખાતામાંથી એક સામટા 37 લાખ રૂપિયા ઉપડી ગયાની ઘટના કિસ્સો સામે આવ્યો છે. દુષ્યંત પટેલના ICICI બેંકના ખાતામાંથી  37 લાખ રૂપિયા ઉપડ્યોનો મેસેજ આવતા જ તેમને ધ્રાસ્કો લાગ્યો હતો.  દુષ્યંતભાઈ ICICI બેંકના એકાઉન્ટથી પોતાના ધંધાકીય વ્યવહાર કરતા આવ્યા છે અને વર્ષોથી આઈ સી આઈ સી આઈ બેંકના માધ્યમથી લેવડ દેવડ કરતા આવ્યા છે. 


કોઈ OTP,કૉલ કે મેસેજ વિના છેતરપિંડી 


આ કેસની રસપ્રદ બાબતો તે છે કે બિલ્ડર દુષ્યંત પટેલે કોઈ પણ OTP,ફોન કૉલ, મેસેજ  કે પછી કોઈ અજાણી લિંક  એક્સેસ કરી નહોતી, તેમ છતાં ગઠીયાએ કરામત કરીને તેમના ખાતામાંથી 37 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ખેરવી લીધી હતી. દુષ્યંતભાઈ ICICI બેંકમાં ખાતાની વિગત જાણવા ગયા પણ ત્યા તેને કોઇ સંતોષજનક જવાબ ન મળતા આખરે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


સાયબર ક્રાઈમ પોલીસ કરી રહી છે તપાસ


બિલ્ડર દુષ્યંત પટેલના સી સી એકાઉન્ટમાંથી એક જ દિવસમાં દસ મિનિટમાં 37 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા આખો મામલો સામે આવ્યો છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને બિલ્ડરની ફરિયાદ બાદ પોલીસે વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલી રકમ સ્ટોપ કરી દીધી છે. જો કે આટલી મોટી રકમ કેવી રીતે અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ તેનો જવાબ તો પોલીસ પાસે પણ નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.