અહો આશ્ચર્યમ: મહેસાણાના બિલ્ડરના બેંક ખાતામાંથી 37 લાખ રૂપિયા ઉપડી ગયા


  • Published By :
  • Published Date : 2023-01-02 17:31:13

ઈન્ટરનેટ બેંકિંગ જે ઝડપથી વધી રહ્યું છે તેટલા જ પ્રમાણમાં ઓન લાઈન ફ્રોડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મહેસાણામાં એક બિલ્ડરના ખાતામાંથી એક સામટા 37 લાખ રૂપિયા ઉપડી ગયાની ઘટના કિસ્સો સામે આવ્યો છે. દુષ્યંત પટેલના ICICI બેંકના ખાતામાંથી  37 લાખ રૂપિયા ઉપડ્યોનો મેસેજ આવતા જ તેમને ધ્રાસ્કો લાગ્યો હતો.  દુષ્યંતભાઈ ICICI બેંકના એકાઉન્ટથી પોતાના ધંધાકીય વ્યવહાર કરતા આવ્યા છે અને વર્ષોથી આઈ સી આઈ સી આઈ બેંકના માધ્યમથી લેવડ દેવડ કરતા આવ્યા છે. 


કોઈ OTP,કૉલ કે મેસેજ વિના છેતરપિંડી 


આ કેસની રસપ્રદ બાબતો તે છે કે બિલ્ડર દુષ્યંત પટેલે કોઈ પણ OTP,ફોન કૉલ, મેસેજ  કે પછી કોઈ અજાણી લિંક  એક્સેસ કરી નહોતી, તેમ છતાં ગઠીયાએ કરામત કરીને તેમના ખાતામાંથી 37 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ખેરવી લીધી હતી. દુષ્યંતભાઈ ICICI બેંકમાં ખાતાની વિગત જાણવા ગયા પણ ત્યા તેને કોઇ સંતોષજનક જવાબ ન મળતા આખરે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


સાયબર ક્રાઈમ પોલીસ કરી રહી છે તપાસ


બિલ્ડર દુષ્યંત પટેલના સી સી એકાઉન્ટમાંથી એક જ દિવસમાં દસ મિનિટમાં 37 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા આખો મામલો સામે આવ્યો છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને બિલ્ડરની ફરિયાદ બાદ પોલીસે વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલી રકમ સ્ટોપ કરી દીધી છે. જો કે આટલી મોટી રકમ કેવી રીતે અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ તેનો જવાબ તો પોલીસ પાસે પણ નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.