અહો આશ્ચર્યમ: મહેસાણાના બિલ્ડરના બેંક ખાતામાંથી 37 લાખ રૂપિયા ઉપડી ગયા


  • Published By :
  • Published Date : 2023-01-02 17:31:13

ઈન્ટરનેટ બેંકિંગ જે ઝડપથી વધી રહ્યું છે તેટલા જ પ્રમાણમાં ઓન લાઈન ફ્રોડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મહેસાણામાં એક બિલ્ડરના ખાતામાંથી એક સામટા 37 લાખ રૂપિયા ઉપડી ગયાની ઘટના કિસ્સો સામે આવ્યો છે. દુષ્યંત પટેલના ICICI બેંકના ખાતામાંથી  37 લાખ રૂપિયા ઉપડ્યોનો મેસેજ આવતા જ તેમને ધ્રાસ્કો લાગ્યો હતો.  દુષ્યંતભાઈ ICICI બેંકના એકાઉન્ટથી પોતાના ધંધાકીય વ્યવહાર કરતા આવ્યા છે અને વર્ષોથી આઈ સી આઈ સી આઈ બેંકના માધ્યમથી લેવડ દેવડ કરતા આવ્યા છે. 


કોઈ OTP,કૉલ કે મેસેજ વિના છેતરપિંડી 


આ કેસની રસપ્રદ બાબતો તે છે કે બિલ્ડર દુષ્યંત પટેલે કોઈ પણ OTP,ફોન કૉલ, મેસેજ  કે પછી કોઈ અજાણી લિંક  એક્સેસ કરી નહોતી, તેમ છતાં ગઠીયાએ કરામત કરીને તેમના ખાતામાંથી 37 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ખેરવી લીધી હતી. દુષ્યંતભાઈ ICICI બેંકમાં ખાતાની વિગત જાણવા ગયા પણ ત્યા તેને કોઇ સંતોષજનક જવાબ ન મળતા આખરે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


સાયબર ક્રાઈમ પોલીસ કરી રહી છે તપાસ


બિલ્ડર દુષ્યંત પટેલના સી સી એકાઉન્ટમાંથી એક જ દિવસમાં દસ મિનિટમાં 37 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા આખો મામલો સામે આવ્યો છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને બિલ્ડરની ફરિયાદ બાદ પોલીસે વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલી રકમ સ્ટોપ કરી દીધી છે. જો કે આટલી મોટી રકમ કેવી રીતે અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ તેનો જવાબ તો પોલીસ પાસે પણ નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.