વડોદરામાં રખડતા પશુઓને પકડવાની થઈ રહી છે કામગીરી, મુખ્યમંત્રીના આદેશ બાદ કાર્યવાહી તેજ


  • Published By :
  • Published Date : 2023-01-17 13:28:25

રાજ્યમાં રખડતા પશુઓને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અનેક વખત લોકો રખડતા પશુઓનો ભોગ પણ બનતા હોય છે. રખડતા પશુઓ  ઉપરાંત રખડતા શ્વાનનો આતંક પણ વધી ગયો છે. થોડા દિવસ પહેલા રખડતા પશુને કારણે જીવ ગયો હતો. ત્યારે વડોદરામાં રખડતા પશુને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.



તંત્ર દ્વારા રખડતા પશુને પકડવાની ચાલતી કામગીરી  

રખડતા પશુઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકોના મોત થયા છે ત્યારે વડોદરામાં રખડતા પશુનો પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં રખડતા પશુને કારણે કોઈનું પણ મોત ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


ચારેય ઝોનમાં થઈ રહી છે કામગીરી

વહેલી સવારથી વડોદરા ખાતે તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના ચારેય ઝોનમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. રખડતા ઢોરની સાથે રખડતા શ્વાનનો પણ પ્રશ્ન હલ થવો જોઈએ.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.