વડોદરામાં રખડતા પશુઓને પકડવાની થઈ રહી છે કામગીરી, મુખ્યમંત્રીના આદેશ બાદ કાર્યવાહી તેજ


  • Published By :
  • Published Date : 2023-01-17 13:28:25

રાજ્યમાં રખડતા પશુઓને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અનેક વખત લોકો રખડતા પશુઓનો ભોગ પણ બનતા હોય છે. રખડતા પશુઓ  ઉપરાંત રખડતા શ્વાનનો આતંક પણ વધી ગયો છે. થોડા દિવસ પહેલા રખડતા પશુને કારણે જીવ ગયો હતો. ત્યારે વડોદરામાં રખડતા પશુને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.



તંત્ર દ્વારા રખડતા પશુને પકડવાની ચાલતી કામગીરી  

રખડતા પશુઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકોના મોત થયા છે ત્યારે વડોદરામાં રખડતા પશુનો પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં રખડતા પશુને કારણે કોઈનું પણ મોત ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


ચારેય ઝોનમાં થઈ રહી છે કામગીરી

વહેલી સવારથી વડોદરા ખાતે તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના ચારેય ઝોનમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. રખડતા ઢોરની સાથે રખડતા શ્વાનનો પણ પ્રશ્ન હલ થવો જોઈએ.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.