વડોદરામાં રખડતા પશુઓને પકડવાની થઈ રહી છે કામગીરી, મુખ્યમંત્રીના આદેશ બાદ કાર્યવાહી તેજ


  • Published By :
  • Published Date : 2023-01-17 13:28:25

રાજ્યમાં રખડતા પશુઓને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અનેક વખત લોકો રખડતા પશુઓનો ભોગ પણ બનતા હોય છે. રખડતા પશુઓ  ઉપરાંત રખડતા શ્વાનનો આતંક પણ વધી ગયો છે. થોડા દિવસ પહેલા રખડતા પશુને કારણે જીવ ગયો હતો. ત્યારે વડોદરામાં રખડતા પશુને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.



તંત્ર દ્વારા રખડતા પશુને પકડવાની ચાલતી કામગીરી  

રખડતા પશુઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકોના મોત થયા છે ત્યારે વડોદરામાં રખડતા પશુનો પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં રખડતા પશુને કારણે કોઈનું પણ મોત ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


ચારેય ઝોનમાં થઈ રહી છે કામગીરી

વહેલી સવારથી વડોદરા ખાતે તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના ચારેય ઝોનમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. રખડતા ઢોરની સાથે રખડતા શ્વાનનો પણ પ્રશ્ન હલ થવો જોઈએ.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.