બજેટ સત્રના છેલ્લા દિવસે વિપક્ષનો ફ્લેગ માર્ચ, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2023-04-06 14:09:18

સંસદમાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો.અનેક વખત હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસીની માગ કરાઈ હતી તો ભાજપે લંડનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ માફી માગે તેની માગ કરી હતી. જેને કારણે અનેક વખત લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે સત્રના અંતિમ દિવસે વિપક્ષી પાર્ટી દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

   

વિપક્ષનુું તિરંગા માર્ચ 

અદાણી મુદ્દે વિપક્ષનું આક્રામક રૂપ જોવા મળ્યું હતું. વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરાઈ હતી. અનેક વખત ભારે હોબાળો થતાં સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. બંને સદનોમાં અનેક વખત ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે વિપક્ષી પાર્ટીઓ દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય ચોક સુધી આ માર્ચ નિકાળવામાં આવી હતી. 


મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર પ્રહાર કર્યા 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમે જાણીએ છે કે કેવી રીતે માત્ર 2.5 વર્ષમાં અદાણીની સંપત્તિ 12 લાખ કરોડ થઈ ગઈ. 50 લાખ કરોડનું બજેટ કેવી રીતે માત્ર 12 મિનિટની અંદર પાસ કરવામાં આવ્યું. આ સવાલ તેમને હંમેશા પૂછ્યો પરંતુ જ્યારે અમે બોલવા ઉઠતા હતા, નોટિસ આપતા હતા તો તેની પરવાનગી આપવામાં આવી ન હતી. મને રાજનીતિમાં કામ કરતા 50-52 વર્ષ થઈ ગયા પરંતુ આવો સમય ક્યારે પણ નથી જોયો.        




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.