બજેટ સત્રના છેલ્લા દિવસે વિપક્ષનો ફ્લેગ માર્ચ, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2023-04-06 14:09:18

સંસદમાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો.અનેક વખત હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસીની માગ કરાઈ હતી તો ભાજપે લંડનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ માફી માગે તેની માગ કરી હતી. જેને કારણે અનેક વખત લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે સત્રના અંતિમ દિવસે વિપક્ષી પાર્ટી દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

   

વિપક્ષનુું તિરંગા માર્ચ 

અદાણી મુદ્દે વિપક્ષનું આક્રામક રૂપ જોવા મળ્યું હતું. વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરાઈ હતી. અનેક વખત ભારે હોબાળો થતાં સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. બંને સદનોમાં અનેક વખત ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે વિપક્ષી પાર્ટીઓ દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય ચોક સુધી આ માર્ચ નિકાળવામાં આવી હતી. 


મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર પ્રહાર કર્યા 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમે જાણીએ છે કે કેવી રીતે માત્ર 2.5 વર્ષમાં અદાણીની સંપત્તિ 12 લાખ કરોડ થઈ ગઈ. 50 લાખ કરોડનું બજેટ કેવી રીતે માત્ર 12 મિનિટની અંદર પાસ કરવામાં આવ્યું. આ સવાલ તેમને હંમેશા પૂછ્યો પરંતુ જ્યારે અમે બોલવા ઉઠતા હતા, નોટિસ આપતા હતા તો તેની પરવાનગી આપવામાં આવી ન હતી. મને રાજનીતિમાં કામ કરતા 50-52 વર્ષ થઈ ગયા પરંતુ આવો સમય ક્યારે પણ નથી જોયો.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.