બજેટ સત્રના છેલ્લા દિવસે વિપક્ષનો ફ્લેગ માર્ચ, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2023-04-06 14:09:18

સંસદમાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો.અનેક વખત હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસીની માગ કરાઈ હતી તો ભાજપે લંડનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ માફી માગે તેની માગ કરી હતી. જેને કારણે અનેક વખત લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે સત્રના અંતિમ દિવસે વિપક્ષી પાર્ટી દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

   

વિપક્ષનુું તિરંગા માર્ચ 

અદાણી મુદ્દે વિપક્ષનું આક્રામક રૂપ જોવા મળ્યું હતું. વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરાઈ હતી. અનેક વખત ભારે હોબાળો થતાં સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. બંને સદનોમાં અનેક વખત ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે વિપક્ષી પાર્ટીઓ દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય ચોક સુધી આ માર્ચ નિકાળવામાં આવી હતી. 


મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર પ્રહાર કર્યા 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમે જાણીએ છે કે કેવી રીતે માત્ર 2.5 વર્ષમાં અદાણીની સંપત્તિ 12 લાખ કરોડ થઈ ગઈ. 50 લાખ કરોડનું બજેટ કેવી રીતે માત્ર 12 મિનિટની અંદર પાસ કરવામાં આવ્યું. આ સવાલ તેમને હંમેશા પૂછ્યો પરંતુ જ્યારે અમે બોલવા ઉઠતા હતા, નોટિસ આપતા હતા તો તેની પરવાનગી આપવામાં આવી ન હતી. મને રાજનીતિમાં કામ કરતા 50-52 વર્ષ થઈ ગયા પરંતુ આવો સમય ક્યારે પણ નથી જોયો.        




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.