લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, અધ્યક્ષ પર લગાવ્યો આ ગંભીર આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:57:01

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ મોદી સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. દરમિયાન, સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે વિપક્ષી પાર્ટી સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે પણ વાત કરી રહી છે.


સ્પીકરનું ગૃહમાં પક્ષપાતી વલણ


કોંગ્રેસના ટોચના સૂત્રએ એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું કે વિપક્ષી પાર્ટીઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. આ સૂત્રએ જણાવ્યું હતું કે ગૃહમાં પક્ષપાતી વલણને કારણે સોમવારે બિરલા સામે અવિશ્વાસની દરખાસ્ત લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરી રહી છે.


ગૃહમાં માઈક મ્યૂટ કરવાનો કોંગ્રેસનો આરોપ


કોંગ્રેસનો આરોપ છે કે વિપક્ષની માંગણીઓને દબાવવા માટે લોકસભામાં માઈક બંધ કરવામાં આવી રહ્યું છે. 17 માર્ચના રોજ, કોંગ્રેસે ટ્વિટર પર એક ક્લિપ શેર કરી હતી. આ ક્લિપમાં કથિત રીતે લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષના વિરોધ દરમિયાન મ્યૂટ કરાયેલ ઓડિયો બતાવવામાં આવ્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.