લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, અધ્યક્ષ પર લગાવ્યો આ ગંભીર આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:57:01

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ મોદી સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. દરમિયાન, સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે વિપક્ષી પાર્ટી સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે પણ વાત કરી રહી છે.


સ્પીકરનું ગૃહમાં પક્ષપાતી વલણ


કોંગ્રેસના ટોચના સૂત્રએ એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું કે વિપક્ષી પાર્ટીઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. આ સૂત્રએ જણાવ્યું હતું કે ગૃહમાં પક્ષપાતી વલણને કારણે સોમવારે બિરલા સામે અવિશ્વાસની દરખાસ્ત લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરી રહી છે.


ગૃહમાં માઈક મ્યૂટ કરવાનો કોંગ્રેસનો આરોપ


કોંગ્રેસનો આરોપ છે કે વિપક્ષની માંગણીઓને દબાવવા માટે લોકસભામાં માઈક બંધ કરવામાં આવી રહ્યું છે. 17 માર્ચના રોજ, કોંગ્રેસે ટ્વિટર પર એક ક્લિપ શેર કરી હતી. આ ક્લિપમાં કથિત રીતે લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષના વિરોધ દરમિયાન મ્યૂટ કરાયેલ ઓડિયો બતાવવામાં આવ્યો હતો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.