શું ગુજરાત, પંજાબ અને હિમાચાલ OPS અમલી બનશે?, અર્થશાસ્ત્રીઓએ તે અંગે ચિંતા વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-11-13 19:36:28

દેશના વિવિધ રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગણી બુલંદ બની છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચાલ પ્રદેશ અને ઝારખંડમાં સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કર્મચારીઓના મત મેળવવા માટે કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી છે. જો કે આ કર્મચારીઓની માગને લઈ દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે. 


અગ્રણી અર્થશાસ્ત્રીઓએ OPSને લઈ શા માટે વાંધો ઉઠાવ્યો?


દેશના અગ્રણી અર્થશાસ્ત્રી અને બેંગલુરૂ સ્થિત ડો. બીઆર આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના કુલપતિ એન આર ભાનુમૂર્તિએ કહ્યું કે NPS વિવિધ સ્તરે ખુબ જ વિચાર-વિમર્સ બાદ લાગુ કરવામાં આવી છે, અને સ્વતંત્ર ભારતનો સૌથી મોટો રોજકોષિય સુધાર છે. તેના કારણે સરકાર પર નાણાકીય બોજ ઘટ્યો છે, અને રાજ્ય સરકારોની રાજકોષિય સ્થિતી પણ ઘણી સુધરી છે. તેમણે કહ્યું કે જો  OPSને સમગ્ર દેશમાં અમલી કરવામાં આવશે તો તેની નાણાકીય અસર ઘણી વ્યાપક થશે. જાહેર દેવાનું વ્યવસ્થાપન તથા સરેરાશ જીડીપી વૃધ્ધી દર પણ તેની અસર પડશે. જીડીપી વૃધ્ધી દર સાત ટકાથી વધવાની સંભાવના ઘટીને છ ટકા પર આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે OPS લાગુ કરવાથી સરકારી ક્ષેત્રમાં કામ કરનારા સરકારી નોકરીયાતોને જ લાભ થશે, જો કે તે કુલ વસ્તીનો ખુબ જ નાનો ભાગ જ છે.  સરકારી કર્મચારીઓની સાથે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ સહિતના લોકોને પણ સામાજીક સુરક્ષાનો લાભ મળવો જોઈએ. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે