શું ગુજરાત, પંજાબ અને હિમાચાલ OPS અમલી બનશે?, અર્થશાસ્ત્રીઓએ તે અંગે ચિંતા વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-11-13 19:36:28

દેશના વિવિધ રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગણી બુલંદ બની છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચાલ પ્રદેશ અને ઝારખંડમાં સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કર્મચારીઓના મત મેળવવા માટે કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી છે. જો કે આ કર્મચારીઓની માગને લઈ દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે. 


અગ્રણી અર્થશાસ્ત્રીઓએ OPSને લઈ શા માટે વાંધો ઉઠાવ્યો?


દેશના અગ્રણી અર્થશાસ્ત્રી અને બેંગલુરૂ સ્થિત ડો. બીઆર આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના કુલપતિ એન આર ભાનુમૂર્તિએ કહ્યું કે NPS વિવિધ સ્તરે ખુબ જ વિચાર-વિમર્સ બાદ લાગુ કરવામાં આવી છે, અને સ્વતંત્ર ભારતનો સૌથી મોટો રોજકોષિય સુધાર છે. તેના કારણે સરકાર પર નાણાકીય બોજ ઘટ્યો છે, અને રાજ્ય સરકારોની રાજકોષિય સ્થિતી પણ ઘણી સુધરી છે. તેમણે કહ્યું કે જો  OPSને સમગ્ર દેશમાં અમલી કરવામાં આવશે તો તેની નાણાકીય અસર ઘણી વ્યાપક થશે. જાહેર દેવાનું વ્યવસ્થાપન તથા સરેરાશ જીડીપી વૃધ્ધી દર પણ તેની અસર પડશે. જીડીપી વૃધ્ધી દર સાત ટકાથી વધવાની સંભાવના ઘટીને છ ટકા પર આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે OPS લાગુ કરવાથી સરકારી ક્ષેત્રમાં કામ કરનારા સરકારી નોકરીયાતોને જ લાભ થશે, જો કે તે કુલ વસ્તીનો ખુબ જ નાનો ભાગ જ છે.  સરકારી કર્મચારીઓની સાથે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ સહિતના લોકોને પણ સામાજીક સુરક્ષાનો લાભ મળવો જોઈએ. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.