શું ગુજરાત, પંજાબ અને હિમાચાલ OPS અમલી બનશે?, અર્થશાસ્ત્રીઓએ તે અંગે ચિંતા વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-11-13 19:36:28

દેશના વિવિધ રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગણી બુલંદ બની છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચાલ પ્રદેશ અને ઝારખંડમાં સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કર્મચારીઓના મત મેળવવા માટે કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી છે. જો કે આ કર્મચારીઓની માગને લઈ દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે. 


અગ્રણી અર્થશાસ્ત્રીઓએ OPSને લઈ શા માટે વાંધો ઉઠાવ્યો?


દેશના અગ્રણી અર્થશાસ્ત્રી અને બેંગલુરૂ સ્થિત ડો. બીઆર આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના કુલપતિ એન આર ભાનુમૂર્તિએ કહ્યું કે NPS વિવિધ સ્તરે ખુબ જ વિચાર-વિમર્સ બાદ લાગુ કરવામાં આવી છે, અને સ્વતંત્ર ભારતનો સૌથી મોટો રોજકોષિય સુધાર છે. તેના કારણે સરકાર પર નાણાકીય બોજ ઘટ્યો છે, અને રાજ્ય સરકારોની રાજકોષિય સ્થિતી પણ ઘણી સુધરી છે. તેમણે કહ્યું કે જો  OPSને સમગ્ર દેશમાં અમલી કરવામાં આવશે તો તેની નાણાકીય અસર ઘણી વ્યાપક થશે. જાહેર દેવાનું વ્યવસ્થાપન તથા સરેરાશ જીડીપી વૃધ્ધી દર પણ તેની અસર પડશે. જીડીપી વૃધ્ધી દર સાત ટકાથી વધવાની સંભાવના ઘટીને છ ટકા પર આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે OPS લાગુ કરવાથી સરકારી ક્ષેત્રમાં કામ કરનારા સરકારી નોકરીયાતોને જ લાભ થશે, જો કે તે કુલ વસ્તીનો ખુબ જ નાનો ભાગ જ છે.  સરકારી કર્મચારીઓની સાથે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ સહિતના લોકોને પણ સામાજીક સુરક્ષાનો લાભ મળવો જોઈએ. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.