પાંચ રાજ્યો જુની પેન્શન સ્કિમ શરૂ કરવા મક્કમ, કેન્દ્ર સરકારને જાણકારી આપી


  • Published By :
  • Published Date : 2023-02-07 14:50:22

દેશભરના સરકારી કર્મચારીઓ જુની પેન્શન સિસ્ટમની માગ કરી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓએ સરકાર વિરોધી દેખાવો પણ કર્યા હતા. જો કે કેન્દ્ર સરકાર ટસની મસ થતી નથી, તેમ છતાં દેશના પાંચ રાજ્યોએ જુની પેન્શન સ્કિમ ફરી લાગુ કરવાની માગ કરી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.


5 રાજ્યોએ PFRDAને કરી જાણ


આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકારને પણ પોતાના નિર્ણયની જાણ કરી છે. નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકાર તથા પેન્શન નિયામક (PFRDA)ને પોતાના રાજ્યના કર્મચારીઓ માટે જુની પેન્શન સ્કિમ (OPS)ફરીથી શરૂ કરવા અંતે જણાવ્યું છે. કરાડે તે પણ જણાવ્યું કે PFRDA કાયદા મુજબ એવી કોઈ જોગવાઈ નથી, જે હેઠળ ગ્રાહકોની જમા રકમ એટલે કે NPSમાં સરકાર અને કર્મચારીઓનું યોગદાન, રાજ્ય સરકારને પાછી આપી શકાય છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.