પાંચ રાજ્યો જુની પેન્શન સ્કિમ શરૂ કરવા મક્કમ, કેન્દ્ર સરકારને જાણકારી આપી


  • Published By :
  • Published Date : 2023-02-07 14:50:22

દેશભરના સરકારી કર્મચારીઓ જુની પેન્શન સિસ્ટમની માગ કરી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓએ સરકાર વિરોધી દેખાવો પણ કર્યા હતા. જો કે કેન્દ્ર સરકાર ટસની મસ થતી નથી, તેમ છતાં દેશના પાંચ રાજ્યોએ જુની પેન્શન સ્કિમ ફરી લાગુ કરવાની માગ કરી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.


5 રાજ્યોએ PFRDAને કરી જાણ


આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકારને પણ પોતાના નિર્ણયની જાણ કરી છે. નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકાર તથા પેન્શન નિયામક (PFRDA)ને પોતાના રાજ્યના કર્મચારીઓ માટે જુની પેન્શન સ્કિમ (OPS)ફરીથી શરૂ કરવા અંતે જણાવ્યું છે. કરાડે તે પણ જણાવ્યું કે PFRDA કાયદા મુજબ એવી કોઈ જોગવાઈ નથી, જે હેઠળ ગ્રાહકોની જમા રકમ એટલે કે NPSમાં સરકાર અને કર્મચારીઓનું યોગદાન, રાજ્ય સરકારને પાછી આપી શકાય છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.