પાંચ રાજ્યો જુની પેન્શન સ્કિમ શરૂ કરવા મક્કમ, કેન્દ્ર સરકારને જાણકારી આપી


  • Published By :
  • Published Date : 2023-02-07 14:50:22

દેશભરના સરકારી કર્મચારીઓ જુની પેન્શન સિસ્ટમની માગ કરી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓએ સરકાર વિરોધી દેખાવો પણ કર્યા હતા. જો કે કેન્દ્ર સરકાર ટસની મસ થતી નથી, તેમ છતાં દેશના પાંચ રાજ્યોએ જુની પેન્શન સ્કિમ ફરી લાગુ કરવાની માગ કરી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.


5 રાજ્યોએ PFRDAને કરી જાણ


આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકારને પણ પોતાના નિર્ણયની જાણ કરી છે. નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકાર તથા પેન્શન નિયામક (PFRDA)ને પોતાના રાજ્યના કર્મચારીઓ માટે જુની પેન્શન સ્કિમ (OPS)ફરીથી શરૂ કરવા અંતે જણાવ્યું છે. કરાડે તે પણ જણાવ્યું કે PFRDA કાયદા મુજબ એવી કોઈ જોગવાઈ નથી, જે હેઠળ ગ્રાહકોની જમા રકમ એટલે કે NPSમાં સરકાર અને કર્મચારીઓનું યોગદાન, રાજ્ય સરકારને પાછી આપી શકાય છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.