રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ દોષિતોને મુક્ત કરવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-11-11 14:45:25

રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને છોડી દેવાનો આદેશ કર્યો છે. આરોપી નીલિની, રવિચંદ્રન સહિતના 6 લોકોને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.  


ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધીની કરાઈ હતી હત્યા

વર્ષ 1991ની 21 મેના દિવસે તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાજીવ ગાંધીની રેલીમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં રાજીવ ગાંધીનું નિધન થયું હતું. હુમલાખોર મહિલા આરોપીએ રાજીવ ગાંધીને હાર પહેરાવ્યો અને ધમાકો થયો હતો. આ ધમાકામાં રાજીવ ગાંધી સહિત 6 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

હત્યારાને રાહુલ ગાંધીએ કર્યો હતો માફ

તમામ હત્યારાઓને મોતની સજા ફટકારવામાં આવી હતી ત્યાર બાદ 30 વર્ષ તેઓ જેલમાં હતા. જેમાં આજે 6 હત્યારાઓને છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. અગાઉ પણ રાજીવ ગાંધીના હત્યારાઓને બચાવવાના ઘણા પ્રયાસો થયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ હત્યારાઓએ ચીઠ્ઠી લખીને જેલ મુક્ત થવા માટે આજીજી કરી હતી. પયાસ, જયકુમારન, પી. રવિચંદ્રન, મુરુગન, એસ નલિની, સંથન અને એજી પેરારિવલનને રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સજા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીના હત્યારાઓને પણ રાહુલ ગાંધીએ પણ માફ કરી દીધો હતો.


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.