રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ દોષિતોને મુક્ત કરવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-11-11 14:45:25

રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને છોડી દેવાનો આદેશ કર્યો છે. આરોપી નીલિની, રવિચંદ્રન સહિતના 6 લોકોને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.  


ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધીની કરાઈ હતી હત્યા

વર્ષ 1991ની 21 મેના દિવસે તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાજીવ ગાંધીની રેલીમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં રાજીવ ગાંધીનું નિધન થયું હતું. હુમલાખોર મહિલા આરોપીએ રાજીવ ગાંધીને હાર પહેરાવ્યો અને ધમાકો થયો હતો. આ ધમાકામાં રાજીવ ગાંધી સહિત 6 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

હત્યારાને રાહુલ ગાંધીએ કર્યો હતો માફ

તમામ હત્યારાઓને મોતની સજા ફટકારવામાં આવી હતી ત્યાર બાદ 30 વર્ષ તેઓ જેલમાં હતા. જેમાં આજે 6 હત્યારાઓને છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. અગાઉ પણ રાજીવ ગાંધીના હત્યારાઓને બચાવવાના ઘણા પ્રયાસો થયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ હત્યારાઓએ ચીઠ્ઠી લખીને જેલ મુક્ત થવા માટે આજીજી કરી હતી. પયાસ, જયકુમારન, પી. રવિચંદ્રન, મુરુગન, એસ નલિની, સંથન અને એજી પેરારિવલનને રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સજા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીના હત્યારાઓને પણ રાહુલ ગાંધીએ પણ માફ કરી દીધો હતો.


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.