રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ દોષિતોને મુક્ત કરવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-11-11 14:45:25

રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને છોડી દેવાનો આદેશ કર્યો છે. આરોપી નીલિની, રવિચંદ્રન સહિતના 6 લોકોને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.  


ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધીની કરાઈ હતી હત્યા

વર્ષ 1991ની 21 મેના દિવસે તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાજીવ ગાંધીની રેલીમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં રાજીવ ગાંધીનું નિધન થયું હતું. હુમલાખોર મહિલા આરોપીએ રાજીવ ગાંધીને હાર પહેરાવ્યો અને ધમાકો થયો હતો. આ ધમાકામાં રાજીવ ગાંધી સહિત 6 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

હત્યારાને રાહુલ ગાંધીએ કર્યો હતો માફ

તમામ હત્યારાઓને મોતની સજા ફટકારવામાં આવી હતી ત્યાર બાદ 30 વર્ષ તેઓ જેલમાં હતા. જેમાં આજે 6 હત્યારાઓને છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. અગાઉ પણ રાજીવ ગાંધીના હત્યારાઓને બચાવવાના ઘણા પ્રયાસો થયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ હત્યારાઓએ ચીઠ્ઠી લખીને જેલ મુક્ત થવા માટે આજીજી કરી હતી. પયાસ, જયકુમારન, પી. રવિચંદ્રન, મુરુગન, એસ નલિની, સંથન અને એજી પેરારિવલનને રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સજા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીના હત્યારાઓને પણ રાહુલ ગાંધીએ પણ માફ કરી દીધો હતો.


સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"