ગુજરાતમાં જીતેલા 182 ધારાસભ્યોમાંથી 40 ધરાવે છે ગુનાહિત ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2022-12-11 18:54:21

ગુજરાત વિધાનસભાના પરિણામો આઠમી ડિસેમ્બરના રોજ આવ્યા હતા. જેમાં ભાજપના ફાળે 156 સીટો આવી છે. કોંગ્રેસના ભાગમાં માત્ર 17 સીટો આવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવવામાં સફળતા હાંસલ કરી છે. ત્યારે ADRનો રિપોર્ટ આવ્યો છે. ADR એટલે Association For Democratic Reformએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં 182માંથી 40 MLA પર ક્રિમીનલ કેસ ચાલી રહ્યા છે.

Association for Democratic Reforms | Improving and Strengthening Democracy  in India


182માંથી 40 ધારાસભ્યો સામે નોંધાયો છે ગુન્હો

ચૂંટણી પૂર્વે ઉમેદવારોને એફિડેવિટ સબ્મિટ કરાવી પડે. જેની અંદર ઉમેદવારે પોતાની સંપૂર્ણ જાણકારી આપવી પડે. આ એફિટેવિટ પ્રમાણે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે જેમાં ગુનાહિત એમએલએની વિગતો આપવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર 182માંથી 40 MLA ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ 40માંથી 29 MLA પર ગંભીર ગુન્હાઓ બોલે છે. આ 29 MLAમાં ભાજપના 20 MLAનો સમાવેશ થાય છે, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 2, અપક્ષના 2 અને એક સમાજવાદી પાર્ટીના MLA કાંધલ જાડેજાનો સમાવેશ થાય છે.


2017 કરતા 2022માં ઓછા છે ગુન્હાહિત MLA

2022માં 2017 કરતાં ઓછા ધારાસભ્યો છે જેમની સામે ગુન્હો નોંધાયો હોય. 2017માં 47 ધારાસભ્યો સામે કેસ ચાલતા હતા. કોંગ્રેસના ધારાસભ્યની વાત કરીએ તો વાંસદના ધારાસભ્ય અનંત પટેલે, પાટણના કિરીટ પટેલ તેમજ ઉના ભાજપના ધારાસભ્ય કલુભાઈ રાઠોડ ગંભીર ગુન્હો ધરાવે છે. ઉપરાંત કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, જેઠા ભરવાડ, જનક તાલવિયા તેમજ ચૈતર વસાવા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.