ગુજરાતમાં જીતેલા 182 ધારાસભ્યોમાંથી 40 ધરાવે છે ગુનાહિત ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2022-12-11 18:54:21

ગુજરાત વિધાનસભાના પરિણામો આઠમી ડિસેમ્બરના રોજ આવ્યા હતા. જેમાં ભાજપના ફાળે 156 સીટો આવી છે. કોંગ્રેસના ભાગમાં માત્ર 17 સીટો આવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવવામાં સફળતા હાંસલ કરી છે. ત્યારે ADRનો રિપોર્ટ આવ્યો છે. ADR એટલે Association For Democratic Reformએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં 182માંથી 40 MLA પર ક્રિમીનલ કેસ ચાલી રહ્યા છે.

Association for Democratic Reforms | Improving and Strengthening Democracy  in India


182માંથી 40 ધારાસભ્યો સામે નોંધાયો છે ગુન્હો

ચૂંટણી પૂર્વે ઉમેદવારોને એફિડેવિટ સબ્મિટ કરાવી પડે. જેની અંદર ઉમેદવારે પોતાની સંપૂર્ણ જાણકારી આપવી પડે. આ એફિટેવિટ પ્રમાણે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે જેમાં ગુનાહિત એમએલએની વિગતો આપવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર 182માંથી 40 MLA ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ 40માંથી 29 MLA પર ગંભીર ગુન્હાઓ બોલે છે. આ 29 MLAમાં ભાજપના 20 MLAનો સમાવેશ થાય છે, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 2, અપક્ષના 2 અને એક સમાજવાદી પાર્ટીના MLA કાંધલ જાડેજાનો સમાવેશ થાય છે.


2017 કરતા 2022માં ઓછા છે ગુન્હાહિત MLA

2022માં 2017 કરતાં ઓછા ધારાસભ્યો છે જેમની સામે ગુન્હો નોંધાયો હોય. 2017માં 47 ધારાસભ્યો સામે કેસ ચાલતા હતા. કોંગ્રેસના ધારાસભ્યની વાત કરીએ તો વાંસદના ધારાસભ્ય અનંત પટેલે, પાટણના કિરીટ પટેલ તેમજ ઉના ભાજપના ધારાસભ્ય કલુભાઈ રાઠોડ ગંભીર ગુન્હો ધરાવે છે. ઉપરાંત કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, જેઠા ભરવાડ, જનક તાલવિયા તેમજ ચૈતર વસાવા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી