ગુજરાતમાં જીતેલા 182 ધારાસભ્યોમાંથી 40 ધરાવે છે ગુનાહિત ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2022-12-11 18:54:21

ગુજરાત વિધાનસભાના પરિણામો આઠમી ડિસેમ્બરના રોજ આવ્યા હતા. જેમાં ભાજપના ફાળે 156 સીટો આવી છે. કોંગ્રેસના ભાગમાં માત્ર 17 સીટો આવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવવામાં સફળતા હાંસલ કરી છે. ત્યારે ADRનો રિપોર્ટ આવ્યો છે. ADR એટલે Association For Democratic Reformએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં 182માંથી 40 MLA પર ક્રિમીનલ કેસ ચાલી રહ્યા છે.

Association for Democratic Reforms | Improving and Strengthening Democracy  in India


182માંથી 40 ધારાસભ્યો સામે નોંધાયો છે ગુન્હો

ચૂંટણી પૂર્વે ઉમેદવારોને એફિડેવિટ સબ્મિટ કરાવી પડે. જેની અંદર ઉમેદવારે પોતાની સંપૂર્ણ જાણકારી આપવી પડે. આ એફિટેવિટ પ્રમાણે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે જેમાં ગુનાહિત એમએલએની વિગતો આપવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર 182માંથી 40 MLA ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ 40માંથી 29 MLA પર ગંભીર ગુન્હાઓ બોલે છે. આ 29 MLAમાં ભાજપના 20 MLAનો સમાવેશ થાય છે, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 2, અપક્ષના 2 અને એક સમાજવાદી પાર્ટીના MLA કાંધલ જાડેજાનો સમાવેશ થાય છે.


2017 કરતા 2022માં ઓછા છે ગુન્હાહિત MLA

2022માં 2017 કરતાં ઓછા ધારાસભ્યો છે જેમની સામે ગુન્હો નોંધાયો હોય. 2017માં 47 ધારાસભ્યો સામે કેસ ચાલતા હતા. કોંગ્રેસના ધારાસભ્યની વાત કરીએ તો વાંસદના ધારાસભ્ય અનંત પટેલે, પાટણના કિરીટ પટેલ તેમજ ઉના ભાજપના ધારાસભ્ય કલુભાઈ રાઠોડ ગંભીર ગુન્હો ધરાવે છે. ઉપરાંત કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, જેઠા ભરવાડ, જનક તાલવિયા તેમજ ચૈતર વસાવા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.